પાકિસ્તાનના ઘણા ક્રિકેટરો પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. આમાંથી એક નામ પાકિસ્તાનના ભૂતપૂર્વ વિકેટકીપર કામરાન અકમલનું છે. ઉમર અકમલે હાલમાં જ એક પાકિસ્તાની ન્યૂઝ ચેનલ પર મોટો ખુલાસો કર્યો છે. તેણે એમએસ ધોની સાથે બંધ બારણે થયેલી વાતચીત વિશે જણાવ્યું છે. કામરાને જણાવ્યું કે કેવી રીતે ધોનીએ વર્ષ 2013માં વિરાટ કોહલીને ટીમમાંથી બહાર થતા બચાવ્યો હતો.
ઉમર અકમલે વર્ષ 2013ની એક ઘટના વિશે જણાવ્યું છે. વાસ્તવમાં વર્ષ 2013માં પાકિસ્તાનની ટીમ ભારતના પ્રવાસે આવી હતી. ત્યારબાદ બંને ટીમો વચ્ચે ટેસ્ટ શ્રેણી રમાઈ હતી. ઉમર અકમલે કહ્યું કે તે પ્રવાસ દરમિયાન એક દિવસ એમએસ ધોની સાથે ડિનર કરી રહ્યો હતો. ત્યારે સુરેશ રૈના, યુવરાજ સિંહ અને શોએબ મલિક પણ હાજર હતા. તે સમયે વિરાટ કોહલી ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો હતો. ત્યારે એક મેનેજર ધોનીના રૂમમાં આવ્યો હતો. તેને વિરાટને વનડે શ્રેણીની છેલ્લી મેચ ન રમવા માટે કહેવામાં આવ્યું હતું.
“I was having dinner with MS Dhoni. Team manager came & told him to drop Virat but Dhoni said then I’ll also not play. Make someone else the captain”
~Umar Akmal
•Never dropped players, The Og❤️
— Hustler (@HustlerCSK) July 1, 2024
ઉમર અકમલે વધુમાં જણાવ્યું કે ધોનીએ મેનેજરને જવાબ આપતા કહ્યું કે ઠીક છે, મેં પણ 6 મહિનાથી રજા લીધી નથી, કપ્તાની રૈના કરશે. એક કામ કરો, બે ટિકિટ લાવો, વિરાટ અને હું પાછા જઈએ. પછી મેનેજરે કહ્યું, ના-ના, તમે વિરાટને રમાડો અને તમને જે જોઈએ તે કરો. પછી જ્યારે ઉમરે ધોનીને આવો જવાબ આપવા પાછળનું કારણ પૂછ્યું તો ધોનીએ કહ્યું કે વિરાટ સર્વશ્રેષ્ઠ ખેલાડી છે અને જો તે 2-3 મેચ સુધી ફોર્મ માટે સંઘર્ષ કરી રહ્યો છે તો આપણે તેને કેમ પાછળ છોડીએ.
2012-13માં પાકિસ્તાન સામે રમાયેલી વનડે શ્રેણી વિરાટ માટે ઘણી ખરાબ રહી હતી. તેણે ત્રણ મેચમાં 4.33ની એવરેજથી માત્ર 13 રન બનાવ્યા. આ સમગ્ર શ્રેણીમાં તેના બેટમાંથી માત્ર 2 ચોગ્ગા આવ્યા અને એક મેચમાં તે ખાતું પણ ખોલી શક્યો નહીં.
આ પણ વાંચો: ‘સસરાનો ગુલામ…’ પાકિસ્તાનના સ્ટાર ક્રિકેટરનું જાહેરમાં થયું અપમાન, જુઓ વીડિયો
Published On - 6:57 pm, Tue, 2 July 24