06 July 2024

કોણે ટમેટાં ન ખાવા જોઈએ? નિષ્ણાત પાસેથી જાણો

Pic credit - Freepik

અત્યારે ટમેટાના ભાવ આસમાને પહોંચી ગયા છે. ટમેટાના ભાવ 80-100 રુપિયા થઈ ગયા છે.

ટમેટાંના ભાવ

ટમેટાંનો ઉપયોગ લગભગ તમામ ભારતીય રસોડામાં શાક અથવા સલાડ તરીકે થાય છે. ટમેટા એ દરેક ઋતુમાં ઉપલબ્ધ શાકભાજી છે.

ટમેટાંનો ઉપયોગ 

ટમેટાંમાં કેલ્શિયમ, વિટામીન સી અને ફોસ્ફરસ, એન્ટીઓક્સીડેન્ટ અને બળતરા વિરોધી ગુણો જોવા મળે છે જે શરીરને અનેક ગંભીર બીમારીઓથી બચાવે છે.

પોષક તત્વોથી ભરપૂર

ડાયેટિશિયન પ્રિયા પાલીવાલ કહે છે કે ટામેટાં શાકભાજીનો સ્વાદ વધારે છે પરંતુ કેટલાક લોકો માટે તે ખૂબ જ  ખતરનાક છે.

હાનિકારક પણ છે

ટમેટાંમાં કેલ્શિયમ ઓક્સાલેટ વધુ માત્રામાં જોવા મળે છે, આવી સ્થિતિમાં જે લોકોને આ સમસ્યા પહેલાથી જ હોય તેમણે ટમેટાંથી દૂર રહેવું જોઈએ.

કિડનીમાં પથરી

સાંધાના દુખાવાની સ્થિતિમાં વધુ પડતાં ટમેટા ખાવાથી નુકસાન થઈ શકે છે. જે લોકો સતત સાંધાના દુખાવાથી પરેશાન રહે છે તેમણે પણ ટમેટાં ઓછા ખાવા જોઈએ.

સાંધાનો દુખાવો

ટમેટા એસિડિક હોય છે. આ કારણે વધુ પડતા ટમેટા ખાવાથી એસિડિટીની સમસ્યા થઈ શકે છે.

પાચન

જે લોકોને ત્વચાની એલર્જી અથવા ત્વચા સંબંધિત સમસ્યાઓ હોય તેમના માટે ટમેટાં ખાવું નુકસાનકારક હોઈ શકે છે.

એલર્જી