AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રોહીત શર્માને થઈ દર્દનાક ઈજા, સેમીફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાને લાગ્યો આંચકો, જુઓ વીડિયો

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 10 નવેમ્બરે એડિલેડમાં સેમીફાઈનલ મેચ રમાવાની છે. આ મેચ માટે રોહિત નેટ્સમાં બેટિંગની પ્રેક્ટિસ કરી રહ્યો હતો ત્યારે તેને ઈજા થઈ હતી.

રોહીત શર્માને થઈ દર્દનાક ઈજા, સેમીફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાને લાગ્યો આંચકો, જુઓ વીડિયો
Rohit Sharma injured
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 08, 2022 | 10:57 AM
Share

ટીમ ઈન્ડિયાના કેમ્પમાંથી ઓસ્ટ્રેલિયાથી સમાચાર સારા નથી. કેપ્ટન રોહિત શર્મા ઈજાગ્રસ્ત છે. એડિલેડમાં નેટ્સ પર બેટિંગ કરતી વખતે તેને ઈજા પહોચી હતી, ત્યારબાદ તે પીડાથી કણસતો જોવા મળ્યો હતો. T20 વર્લ્ડ કપ 2022માં ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલ પહેલા રોહિતની ઈજા ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચારથી ઓછી નથી. જો કે આ ઈજા કેટલી ગંભીર છે તે અંગે હાલ કંઈ કહી શકાય તેમ નથી. ટીમના મેડિકલ સ્ટાફે રોહિત શર્માની ઈજાની નોંધ લીધી છે.

તમને જણાવી દઈએ કે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 10 નવેમ્બરે એડિલેડમાં સેમીફાઈનલ મેચ રમાવાની છે. આ મેચ માટે રોહિત નેટ્સમાં બેટિંગની પ્રેક્ટિસ કરી રહ્યો હતો ત્યારે તેને ઈજા થઈ હતી. આશા એવી હોવી જોઈએ કે, રોહિતની ઈજા વધારે ગંભીર ન હોય, જેથી ભારતને સેમીફાઈનલમાં કોઈ અપ્રિય પરિણામનો ભોગ ન બનવું પડે.

રોહિતને જમણા હાથમાં ઈજા થઈ હતી

હવે સવાલ એ છે કે રોહિત શર્માને કેવા પ્રકારની ઈજા થઈ? તેમને ક્યાં ઈજા થઈ? તો તમને જણાવી દઈએ કે ભારતીય કેપ્ટનને બેટિંગ પ્રેક્ટિસ દરમિયાન જમણા હાથમાં ઈજા થઈ હતી. આ ઈજા બાદ તે દર્દથી પિડાતો જોવા મળ્યો હતો. મામલાની ગંભીરતા સમજીને ટીમના ફિઝિયો દોડીને નેટ પર પહોચી ગયા હતા અને રોહિત શર્માની ઈજા વિશે જાણકારી મેળવી હતી.

રોહિત શર્માનું સેમિફાઇનલમાંથી બહાર થવાનું જોખમ

T20 વર્લ્ડ કપ 2022માં રોહિત શર્મા કદાચ તે પ્રકારના ફોર્મમાં જોવા ન મળ્યો હોય જેના માટે તે બેટથી જાણીતો છે. પરંતુ, તેની કેપ્ટનશિપ ભારતીય ટીમ માટે અજાયબી કરતી જોવા મળી છે. હવે આવી સ્થિતિમાં ટૂર્નામેન્ટના નોકઆઉટ સ્ટેજમાં આવવાથી, આ ઈજા ટીમ માટે એક સમસ્યા બની જાય તેવુ ભારતીય ટીમ મેનેજમેન્ટ જરા પણ ઈચ્છશે નહીં.

સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
g clip-path="url(#clip0_868_265)">