Breaking News : શું આજે 20 જૂને રોહિત શર્માની છેલ્લી વનડે છે ? જાણો વાયરલ દાવાઓ પાછળનું સત્ય
સોશિયલ મીડિયા પર કેટલાક દિવસોથી એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે BCCIએ રોહિત શર્માને સત્તાવાર રીતે જાણ કરી દીધી છે કે તે 2027ના ODI વર્લ્ડ કપમાં ભાગ લેશે નહીં. જાણો શું છે સત્ય.

ભારતીય ક્રિકેટ એસોસિએશનનો હિટમેન ઘણા સમયથી સમાચારમાં છે. ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા તેના મજબૂત પ્રદર્શનને કારણે નહીં પરંતુ તેની નિવૃત્તિને કારણે ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર એવા દાવા થઈ રહ્યા છે કે આજે 20 જૂને ચેપોક ખાતે રમવામાં આવનારી અફઘાનિસ્તાન સામેની મેચ રોહિત શર્માની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ હોઈ શકે છે. વાયરલ પોસ્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય ટીમનું મેનેજમેન્ટ હવે ભવિષ્યને ધ્યાનમાં રાખીને યુવા ખેલાડીઓને તક આપવા માંગે છે.
આ દાવાઓમાં કેટલું સત્ય છે?
રોહિત શર્માએ ટેસ્ટ અને T20 આંતરરાષ્ટ્રીય મેચોમાંથી નિવૃત્તિ લીધી છે. હાલમાં રોહિત શર્મા ફક્ત એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચ અને IPL રમે છે. ધર્મશાલામાં અફઘાનિસ્તાન સામે રમાયેલી પહેલી ODIમાં રોહિતે 16 રન બનાવ્યા હતા. આ પછી, લખનૌમાં રમાયેલી બીજી વનડેમાં તે 39 બોલમાં 48 રન બનાવ્યા હતા. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આજે 20 જૂન, શનિવારના રોજ ચેપોક ખાતે રમાનારી ત્રીજી વનડે તેની કારકિર્દીની છેલ્લી મેચ હોઈ શકે છે. રોહિત શર્માની નિવૃત્તિના સમાચાર સોશિયલ મીડિયા પર ફરી રહ્યા છે. એવું કહેવાય છે કે BCCI એ સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે રોહિત શર્મા 2027ના ODI વર્લ્ડ કપમાં ભાગ લેશે નહીં. પરિણામે, અફઘાનિસ્તાન સામેની ત્રીજી ODI તેની કારકિર્દીની છેલ્લી હોઈ શકે છે.
The end of an era.
Today, Chennai witnesses the final chapter of the greatest pull-shot in cricket history. Rohit Sharma steps out in the ODI blue one last time.
Thank you, Hitman. Cricket won’t be the same without your effortless elegance. #RohitSharma #Hitman… pic.twitter.com/zIdh5758Gm
— (@harrryp33) June 20, 2026
ઇશાન કિશન લઈ શકે છે રોહિતની જગ્યા?
સોશિયલ મીડિયા પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, BCCIના નજીકના સૂત્રો અનુસાર, રોહિત શર્મા ODI વર્લ્ડ કપ માટે સંગઠનની યોજનાઓમાં શામેલ નથી. અફઘાનિસ્તાન સામેની સિરીઝની છેલ્લી મેચ રોહિત શર્માની કારકિર્દીની છેલ્લી મેચ હોવાની શક્યતા છે. બીજી પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, ઇશાન કિશન રોહિત શર્માને જગ્યા લઈ શકે છે. અહેવાલો મુજબ, પસંદગી સમિતિ રોહિતની ફિટનેસ અને ફોર્મ અંગે ચિંતિત છે. ટીમ મેનેજમેન્ટ ટોપ ઓર્ડરમાં ડાબોડી બેટ્સમેન ઇચ્છે છે અને શુભમન ગિલ સાથે ઓપનિંગ કરવા માટે ઇશાન કિશન મજબૂત દાવેદાર માનવામાં આવે છે.
It’s Not True This is Only Rumours To Put Pressure On Him So He Will Announce Retirement
ROHIT SHARMA WILL NOT TAKE RETIREMENT BEFORE 2027 ICC CRICKET WORLD CUP ❤️#RohitSharma#ICCCricketWorldCup2027#Dream #indianCricketTeam pic.twitter.com/PDfeaOmFLE
— CINEMAS_ERA (@NikhilS11387746) June 19, 2026
વાયરલ દાવાઓ પાછળનું સત્ય શું છે?
જોકે, આ તમામ વાયરલ દાવાઓ અને સમાચાર સંપૂર્ણપણે ખોટા હોવાનું સામે આવ્યું છે. શરૂઆતમાં એક રિપોર્ટના આધારે સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ થઈ હતી. પરંતુ એવો કોઈ સત્તાવાર રિપોર્ટ ક્યારેય સામે આવ્યો નથી. BCCI અથવા રોહિત શર્મા તરફથી રોહિતની નિવૃત્તિ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તેથી હાલમાં ચાલી રહેલી તમામ અટકળો અને અહેવાલો માત્ર અફવાઓ છે અને તેની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
