AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs WI: રોહિત શર્મા શુભમન ગિલ વિશે ખુલ્લેઆમ જુઠ્ઠું બોલ્યો! ઓપનિંગમાંથી ખસી જવાની વાસ્તવિકતા શું છે?

શુભમન ગિલના ટેસ્ટમાં ત્રીજા ક્રમે બેટિંગને લઈ હવે નવો વિવાદ ઊભો થયો છે. કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલ બંનેના આ અંગે અલગ-અલગ નિવેદનો બાદ ટીમમાં મતભેદ હોવાની ચર્ચાઓ શરૂ થઈ છે.

IND vs WI: રોહિત શર્મા શુભમન ગિલ વિશે ખુલ્લેઆમ જુઠ્ઠું બોલ્યો! ઓપનિંગમાંથી ખસી જવાની વાસ્તવિકતા શું છે?
Rohit Sharma and Shubman Gill
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 13, 2023 | 8:30 PM
Share

શુભમન ગિલ (Shubman Gill) ટેસ્ટ ક્રિકેટમાં ઓપનિંગ કેમ છોડી? તેના દરેક ચાહક આ સવાલનો જવાબ જાણવા માંગે છે. જો કે, કેપ્ટન રોહિત શર્માએ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ શરૂ થવાના એક દિવસ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે ગિલે ટીમ મેનેજમેન્ટ સાથે વાત કરી છે અને હવે તે ઓપનિંગને બદલે 3 નંબર પર બેટિંગ કરશે.

પરંતુ નવાઈની વાત એ છે કે શુભમન ગિલ કંઈક બીજું જ કહી રહ્યો છે. શુભમન ગિલે જણાવ્યું કે ટીમ મેનેજમેન્ટે તેને પૂછ્યું કે તે ક્યાં બેટિંગ કરવા માંગે છે અને તે પછી તેણે નંબર 3 પોઝિશન વિશે વાત કરી.

રોહિત શુભમનના અલગ-અલગ નિવેદન

ગિલના નિવેદનથી સ્પષ્ટ છે કે તેણે કોઈને પણ ઓપનિંગમાંથી હટાવવા માટે કહ્યું નથી. જો ટીમ મેનેજમેન્ટે તેને પૂછ્યું ન હોત તો શુભમન ગિલ ઓપનિંગમાં જ ઉતર્યો હોત. મતલબ રોહિતનું નિવેદન કે ગિલે ટીમ મેનેજમેન્ટ સાથે ઓપનિંગ અને નંબર 3 પર રમવાથી દૂર રહેવાની વાત કરી હતી તે સ્પષ્ટ રીતે ખોટું છે. હવે સવાલ એ છે કે સાચું કોણ બોલે છે? રોહિત શર્મા કે શુભમન ગિલ.

ઓપનિંગમાં ગિલનું સામાન્ય પ્રદર્શન

શુભમન ગિલ ODI અને T20 ક્રિકેટમાં પોતાની ઓપનિંગ માટે પ્રખ્યાત છે. આ ખેલાડી સફેદ બોલના આ ફોર્મેટમાં તેની ઝડપી બેટિંગ માટે જાણીતો છે. પરંતુ ટેસ્ટ ક્રિકેટની વાત કરવામાં આવે તો ગિલનું બેટ ઓપનિંગમાં કામ કરતું નથી. ગિલે અત્યાર સુધી 30 ટેસ્ટ ઇનિંગ્સમાં 32.89ની એવરેજથી 921 રન બનાવ્યા છે. ટેસ્ટ ઓપનર માટે આ આંકડો સામાન્ય છે. જો કે, ગિલે ઓપનર તરીકે 2 ટેસ્ટ સદી પણ ફટકારી છે.

ગિલને નંબર 3 પર રમવાનો ફાયદો થશે

શુભમન ગિલને 3 નંબર પર રમવાથી ચોક્કસ ફાયદો થશે. સૌથી પહેલા તો આ ખેલાડીએ ઘરેલું ક્રિકેટમાં નંબર 3 અને નંબર 4 પર ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમી છે. આ સિવાય નંબર 3 શુભમન ગિલની ટેકનિક અને રમતની શૈલી માટે યોગ્ય છે. ગિલ એક આક્રમક બેટ્સમેન છે અને તે ઘણીવાર શોટ રમવાનો પ્રયાસ કરે છે. આવી સ્થિતિમાં તેના નવા બોલ સાથે આઉટ થવાની શક્યતાઓ વધુ છે. પરંતુ જ્યારે આ ખેલાડી ત્રીજા નંબર પર ઉતરશે ત્યારે બોલ થોડો જૂનો થઈ ગયો હશે અને તેમાં ઓછી એક્શન હશે. ગિલને આનો ફાયદો મળી શકે છે.

આ પણ વાંચો : IND vs WI: ટીમ ઈન્ડિયામાં પણ ‘બેઝબોલ’ની ‘એન્ટ્રી’, ભારતીય ટીમ પર 6500 કિલોમીટર દૂર રમતા ઈંગ્લેન્ડનું ભૂત સવાર થયું!

ઓપનિંગમાં રોહિતને ફાયદો!

ગિલના ઓપનિંગમાંથી બહાર જવાથી રોહિત શર્માને પણ ફાયદો થશે. રોહિત હવે યશસ્વી જયસ્વાલ સાથે ઓપનિંગ કરી રહ્યો છે, જે ડાબોડી બેટ્સમેન છે. ઓપનિંગમાં જમણા અને ડાબા હાથના બેટ્સમેનોનું કોમ્બિનેશન હંમેશા બોલરો માટે સમસ્યા બની જાય છે. વેસ્ટ ઈન્ડિઝ સામે ડોમિનિકા ટેસ્ટના પહેલા દિવસે પણ આ જોવા મળ્યું હતું. યશસ્વી અને રોહિતે મળીને ટીમ ઈન્ડિયાને 80 રન સુધી પહોંચાડી હતી. રમત સમાપ્ત થતાં જ જયસ્વાલ 40 અને રોહિત શર્મા 30 રન બનાવીને અણનમ રહ્યા હતા.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">