IPL 2025 : આખરે IPL પર પ્રતિબંધ મુકાયો! ચાહકો હવે લાઈવ મેચ જોઈ શકશે નહીં, જાણો કેમ લેવામાં આવ્યો આટલો મોટો નિર્ણય
એક્શનનું રિએક્શન તો આવવાનું જ હોય છે. મીડિયા રિપોર્ટ મુજબ એક મોટો નિર્ણયની અસર હવે જોવા મળવાની છે. જે નિર્ણય 24 એપ્રિલના રોજ લેવામાં આવ્યો હતો અને 3 મેના રોજ તેનું રિએક્શન પણ સામે આવ્યું છે.

આઈપીએલમાં પ્રતિંબંધ મુકવામાં આવ્યો છે. આ સમાચાર વાંચી ભારતીય ક્રિકેટ ચાહકોએ નિરાશ થવાની કે દુખી થવાની જરુર નથી. મીડિયા રિપોર્ટ મુજબ આઈપીએલ મેચનું લાઈવ પ્રસારણ સરહદ પાર બંધ કરવામાં આવ્યું છે. પાડોશી દેશના લોકો હવે આઈપીએલની મજા માણી શકશે નહી. અમારા કહેવાનો મતલબ એ છે કે, તેના માટે પાકિસ્તાનમાં આઈપીએલ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ આને લઈ આશંકા ત્યારથી કરવામાં આવતી હતી. જ્યારે ભારતમાં પાકિસ્તાન સુપર લીગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. સીધા શબ્દોમાં કહીએ તો પાકિસ્તાન દ્વારા આઈપીએલને પર પ્રતિબંધ એ PSL અંગે ભારતની કાર્યવાહીનું પરિણામ છે, બીજું કંઈ નહીં.
પહેલગામ હુમલા પછી, સ્પોર્ટ્સનું પ્રસારણ મુશ્કેલીમાં મુકાયું છે!
ભારત-પાકિસ્તાનના સંબંધો તો પહેલાથી જ ખરાબ હતા. 22 એપ્રિલના રોજ પહેલાગમમાં થયેલા આતંકી હુમલાએ આગમાં ઘી ઉમેરવાનું કામ કર્યું છએ.આ ઘટના બાદ ભારતમાં પાકિસ્તાની ખેલાડીઓના સોશિયલ મીડિયા અકાઉન્ટ બંધ કરવાથી લઈ PSLના પ્રસારણ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઈન્ડિયન બ્રોડકાસ્ટર્સ ફૈનકોડ, સોની સ્પોર્ટ્સ નેટવર્કે PSLના પ્રસારણ રોકી દીધું છે. બાબાર આઝમ જેવા સ્ટાર ખેલાડીનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ બંધ કરવામાં આવ્યું છે.
ભારતે PSL બંધ કર્યું,
ભારત દ્વારા લેવામાં આવેલા એક્શનનું રિએક્શન હવે પાકિસ્તાની તરફથી પણ જોવા મળ્યું છે. જેના હેઠળ તેમણે આઈપીએલ પર પ્રતિબંધ મુક્યો છે. પાકિસ્તાનમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે,આઈપીએલના આધિકારિક પાર્ટનર ટૈમમૈડે 3 મેના રોજ આઈપીએલના પ્રસારણ રોકવાની જાહેરાત કરી હતી. ટૈપમૈડની આ જાહેરાત બાદ સ્પષ્ટ થઈ ગયું કે, પાકિસ્તાની ચાહકો હવે આઈપીએલની મેચનું લાઈવ એક્શન જોઈ શકશે નહી.
ભારતમાં PSLના આધિકારિક પાર્ટનર ફૈનકોડે પહેલગામના હુમલાના 2 દિવસ બાદ એટલે કે, 24 એપ્રિલના મેચનું પ્રસારણ રોકી દીધું હતુ. પાકિસ્તાને તેના એક અઠવાડિયા બાદ આ પગલું ભર્યું છે.તેના IPL પર પ્રતિબંધ મુકાયાના સમાચાર છે. જોકે, આ પ્રતિબંધ ક્યારે સમાપ્ત થશે તે હજુ સ્પષ્ટ નથી.