T20 World Cup 2021: રવિન્દ્ર જાડેજાએ 3 મીટર ની દોટ મુકી ડાઇવ લગાવી ઝડપેલા કેચને નોટ આઉટ આપવા પર ગૌતમ ગંભીર ગુસ્સે ભરાયો, કહ્યુ નિયમ બદલો

Ravindra Jadeja Video: એ એવો કેચ કે જેણે બધાને આશ્વર્યમાં મુકી દીધા. જોનાાર સૌ કોઇ દંગ રહી ગયા હતા. ફિલ્ડ અમ્પાયરે તેને માન્યો. ત્રીજા અમ્પાયરે તેને નકારી દીધો.

T20 World Cup 2021: રવિન્દ્ર જાડેજાએ 3 મીટર ની દોટ મુકી ડાઇવ લગાવી ઝડપેલા કેચને નોટ આઉટ આપવા પર ગૌતમ ગંભીર ગુસ્સે ભરાયો, કહ્યુ નિયમ બદલો
Ravindra Jadeja-Gautam Gambhir
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 04, 2021 | 10:51 AM

T20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup 2021) માં બુધવારે સાંજે ભારત અને અફઘાનિસ્તાન (India vs Afghanistan) વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતે અફઘાનિસ્તાનને 66 રને હરાવ્યું અને ટૂર્નામેન્ટમાં પોતાની જીતનું ખાતું ખોલ્યું. આ જીત બાદ સેમિફાઇનલમાં પહોંચવાની આશા અકબંધ છે. ભારતની આ જીતમાં ઘણી બાબતો સકારાત્મક જોવા મળી હતી. પરંતુ, આ બધાની વચ્ચે ટીમ ઈન્ડિયા (Team India) ના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) એ પકડેલા કેચને અવગણી શકાય તેમ નથી.

એવો કેચ જેણે બધાને ચોંકાવી દીધા. બધાને નવાઈ લાગી. ફિલ્ડ અમ્પાયરે તેનો સ્વીકાર કર્યો. જ્યારે થર્ડ અમ્પાયરે તેને નકારી કાઢ્યો હતો. ત્યારે પૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીર (Gautam Gambhir) તેના પર એટલો ગુસ્સે થયો કે તેણે ICC પાસે નિયમો બદલવાની માંગ પણ કરી.

કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા

ગૌતમ ગંભીરે શું કહ્યું તે જણાવતા પહેલા જરા જાડેજાનો કેચ જોઈ લો. જાડેજાએ આ કેચ પકડવા માટે 37 મીટરનું અંતર માપ્યું હતું. એટલે કે આટલુ દોડ્યા બાદ આ કેચ પકડવામાં તે સફળ રહ્યો હતો. મેદાન પર ઊભેલા અમ્પાયરોએ પણ આ કેચ સ્વીકારી લીધો હતો. પરંતુ જ્યારે મામલો થર્ડ અમ્પાયર સુધી પહોંચ્યો તો ચિત્ર પલટાઇ ગયો. જે નિર્ણય સોફ્ટ સિગ્નલમાં આઉટ હતો તે હવે નોટઆઉટ આપવામાં આવ્યો હતો.

37 મીટર દોડ, ડાઇવ અને નકારી દીધો કેચ

જાડેજાએ અફઘાનિસ્તાનની ઇનિંગ્સની 19મી ઓવરના બીજા બોલ પર આ કેચ ઝડપી લીધો હતો. શામી આ ઓવર ફેંકી રહ્યો હતો. અને આ કેચ કરીમ જન્નતનો હતો. જાડેજાએ આ કેચ પકડવા માટે માત્ર લાંબી દોડ જ ના કરી, પરંતુ તેના પર ડાઈવ પણ લગાવી. તેને પોતાના કેચ પર પૂરો વિશ્વાસ હતો. એટલા માટે જ્યારે થર્ડ અમ્પાયરે આ કેચ ન સ્વીકાર્યો અને તેને નોટઆઉટ આપ્યો ત્યારે જાડેજા અને વિરાટ કોહલી પણ થોડા ચોંકેલા જોવા મળ્યા.

Ravindra Jadeja caught an impossible catch in the match against Afghanistan by running, Gautam Gambhir said the ICC should change the rules, T20 World Cup 2021

Ravindra Jadeja

ICC નિયમોમાં કરે ફેરફાર – ગંભીર

જાડેજાનો આ કેચ નોટઆઉટ આપવાના થર્ડ અમ્પાયરના નિર્ણયથી પૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીર પણ નારાજ દેખાયા હતા. મેચ બાદ એક સ્પોર્ટ્સ શોમાં તે આના પર ભડકતો જોવા મળ્યો હતો.

ગંભીરે કહ્યું, પ્રથમ નજરે તે કેચ આઉટ છે. પરંતુ જો તમે આવા કોઈપણ કેચને નજીકથી જોશો, તો એવું જણાશે કે બોલ જમીનને સ્પર્શી રહ્યો છે. પરંતુ, મારા મતે, તે એક કેચ આઉટ હતો. આવા કેચમાં ફિલ્ડરને શંકાનો લાભ મળવો જોઈએ. ICCએ આનાથી સંબંધિત નિયમોની તપાસ કરવી જોઈએ અને તેમાં ફેરફાર કરવા જોઈએ.

આ પણ વાંચોઃ Syed Mushtaq Ali Trophy: હાર્દિક પંડ્યા વિકલ્પ તરીકે સૌરાષ્ટ્રના ચિરાગ જાની સહિત વિજય શંકર અને વેંકટેશ ઐય્યર ટીમ ઇન્ડિયાની પસંદગી માટે નજરમાં રહેશે

આ પણ વાંચોઃ T20 World Cup: રોહિત શર્માએ કર્યો ખુલાસો, પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ સામેની બંને મેચ કેમ હારી ગયા

Latest News Updates

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
g clip-path="url(#clip0_868_265)">