Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પંડ્યાની ટીમ પર ફિક્સિંગનો આરોપ, મેચ અધવચ્ચે જ અટકી, રણજી ટ્રોફીમાં મોટો હંગામો

વડોદરાના રિલાયન્સ સ્ટેડિયમમાં રમાઈ રહેલી ગ્રુપ Aની મેચના ત્રીજા દિવસે જમ્મુ-કાશ્મીરના કોચે બરોડા પર આરોપ લગાવ્યો હતો અને અમ્પાયર અને મેચ રેફરીને ફરિયાદ કરી હતી ત્યારે આ વિવાદ સામે આવ્યો હતો. બરોડા માટે આ મેચ કોઈપણ ભોગે જીતવી મહત્વપૂર્ણ છે.

પંડ્યાની ટીમ પર ફિક્સિંગનો આરોપ, મેચ અધવચ્ચે જ અટકી, રણજી ટ્રોફીમાં મોટો હંગામો
Ranji Trophy Pitch TamperingImage Credit source: PTI
Follow Us:
| Updated on: Feb 01, 2025 | 7:02 PM

રણજી ટ્રોફીના ગ્રુપ સ્ટેજના છેલ્લા રાઉન્ડમાં, બધુ ધ્યાન અને ચર્ચા દિલ્હી-રેલ્વે ટક્કર પર હતી. આનું કારણ વિરાટ કોહલી હતો, જે 12 વર્ષ પછી આ ટુર્નામેન્ટમાં વાપસી કરી રહ્યો હતો. પરંતુ હવે બીજી એક મેચે બધાનું ધ્યાન ખેંચ્યું છે અને તેનું કારણ કોઈ સુપરસ્ટાર નહીં, પરંતુ ફિક્સિંગ જેવા ગંભીર આરોપો છે. આ વિવાદ જમ્મુ-કાશ્મીર (JK) અને બરોડા વચ્ચે રમાઈ રહેલી મેચમાં સામે આવ્યો છે, જેમાં જમ્મુ-કાશ્મીર ટીમે યજમાન ટીમ પર પિચ ફિક્સિંગનો આરોપ લગાવ્યો હતો, જેના કારણે ત્રીજા દિવસે રમત લાંબા સમય સુધી રોકી રાખવામાં આવી હતી.

જમ્મુ-કાશ્મીર પર પિચ ટેમ્પરિંગનો આરોપ

વડોદરામાં રમાઈ રહેલી એલિટ ગ્રુપ A મેચના ત્રીજા દિવસે આ વિવાદ પ્રકાશમાં આવ્યો હતો જેણે સૌને ચોંકાવી દીધા હતા. જમ્મુ અને કાશ્મીરને 125 રનથી વધુના સ્કોર સાથે તેની બીજી ઈનિંગ ચાલુ રાખવી પડી હતી, પરંતુ ત્રીજા દિવસની રમત શરૂ થાય તે પહેલા જ હંગામો મચી ગયો હતો. JK ટીમનો આરોપ છે કે યજમાન બરોડાએ રાતોરાત પિચ સાથે ચેડા કર્યા હતા અને તેમની ઈચ્છા મુજબ બનાવી હતી.

બરોડાની ટીમ પર પિચ ફિક્સિંગનો આરોપ

કોચનો આરોપ હતો કે રિલાયન્સ સ્ટેડિયમની પિચ કે જેના પર 30 જાન્યુઆરીએ મેચ શરૂ થઈ હતી, તે ત્રીજા દિવસે સંપૂર્ણપણે બદલાયેલી દેખાતી હતી, તેમનો આરોપ હતો કે બીજા દિવસની રમતના અંતે પિચનો રંગ એવો જ હતો. ત્રીજા દિવસે સંપૂર્ણપણે બદલાયેલો દેખાતો હતો. આવી સ્થિતિમાં, મુલાકાતી ટીમે કપ્તાન કૃણાલ પંડ્યાની બરોડાની ટીમ પર પિચ ફિક્સિંગનો આરોપ લગાવ્યો અને મેદાનમાં ઉતરવાની ના પાડી.

મારો પ્રેમ... આવું કહી ગળે લાગી ગઈ સારા તેંડુલકર, જાણો કોણ છે ?
વિનેશ ફોગાટને મળ્યા સારા સમાચાર, પહેલીવાર મળશે આ ખુશી
શુભમન ગિલ બેટ પર MRFનું સ્ટીકર લગાવી રમવાના કેટલા કરોડ રૂપિયા ચાર્જ કરે છે?
ભારતના 100 રૂપિયા પાકિસ્તાનમાં જઈ કેટલા થઈ જાય ?
પ્રતિબંધ હટાવો… ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલ પહેલા શમીએ કરી મોટી માંગ
PM મોદીથી લઈને ધીરેન્દ્ર શાસ્ત્રી સુધી... કુમાર વિશ્વાસની દીકરીના લગ્નમાં આ મહેમાનો રહ્યા હાજર

દોઢ કલાક બાદ મેચ શરૂ થઈ હતી

જમ્મુ-કાશ્મીરના કોચ અજય શર્માએ આ આરોપની ફરિયાદ મેચના અમ્પાયર અને રેફરી બંનેને કરી હતી. ત્યારબાદ લાંબી ચર્ચા અને સમજૂતી બાદ આખરે દોઢ કલાકના વિલંબ બાદ મેચ ફરી શરૂ થઈ શકી હતી. જ્યાં સુધી પિચના રંગમાં ફેરફારની વાત છે તો તેનું કારણ BCCI દ્વારા પિચ પર હાજર ભેજના કારણે આવું થયું હોવાનું જણાવવામાં આવ્યું હતું.

વિવાદનું મોટું કારણ શું છે?

વાસ્તવમાં, વિવાદનું એક મોટું કારણ એ છે કે આ મેચની અસર ક્વાર્ટર ફાઈનલમાં પહોંચેલી બંને ટીમો પર પડશે. જમ્મુ-કાશ્મીર, જેણે તેની છેલ્લી મેચમાં મુંબઈ જેવી મજબૂત ટીમને હરાવી હતી, તેને ક્વાર્ટર ફાઈનલમાં પહોંચવા માટે આ મેચ માત્ર ડ્રો કરવાની જરૂર છે, જ્યારે બરોડાને જો આગામી રાઉન્ડમાં પહોંચવું હોય તો તેને કોઈપણ ભોગે જીતવું પડશે. પરંતુ આ મેચના પ્રથમ દાવમાં યજમાન ટીમ માત્ર 166 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી અને જમ્મુ અને કાશ્મીરે 80 રનની નોંધપાત્ર લીડ મેળવી હતી.

આ પણ વાંચો: IND vs ENG : પુણે T20માં ભારતની રોમાંચક જીત, ઈંગ્લેન્ડને હરાવી સિરીઝ પર કર્યો કબજો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">