AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ranji Trophy 2022: ચિરાગ જાનીની બેવડી સદી બાદ જાડેજાના સ્પિનનો જાદુ, સૌરાષ્ટ ટીમનો ઇનિંગ્સથી શાનદાર વિજય

Ranji trophy 2022: સૌરાષ્ટ્ર અંતિમ સિઝનમાં રણજી વિજેતા બન્યું છે. આ સિઝનની પ્રથમ મેચમાં તેને મુંબઈના હાથે પ્રથમ દાવમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

Ranji Trophy 2022: ચિરાગ જાનીની બેવડી સદી બાદ જાડેજાના સ્પિનનો જાદુ, સૌરાષ્ટ ટીમનો ઇનિંગ્સથી શાનદાર વિજય
Ranji trophy 2022 : અંતિમ સિઝનમાં પણ સૌરાષ્ટ્રે જીત મેળવી હતી
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 27, 2022 | 9:10 PM
Share

ડિફેન્ડિંગ ચેમ્પિયન સૌરાષ્ટ્રે (Saurashtra Cricket Team) રણજી ટ્રોફી 2022 (Ranji Trophy 2022) ના બીજા રાઉન્ડમાં એક દાવ અને 131 રનથી જંગી જીત નોંધાવી હતી. તેણે 27 ફેબ્રુઆરીએ અમદાવાદમાં રમાયેલી મેચમાં ઓડિશાને હરાવ્યું અને સાત પોઇન્ટ મેળવ્યા. ચિરાગ જાની (235)ની બેવડી સદીના કારણે સૌરાષ્ટ્રે 501 રન બનાવ્યા હતા. જવાબમાં ઓડિશાની ટીમ 165 અને 205 રન જ બનાવી શકી હતી. સૌરાષ્ટ્રના ડાબા હાથના સ્પિનર ​​ધર્મેન્દ્રસિંહ જાડેજાએ બંને દાવમાં અદભૂત બોલિંગ કરી અને કુલ 11 વિકેટ ઝડપી હતી. ઓડિશાની બીજી ઇનિંગમાં તેના બોલનો જાદુ વધુ ફેલાયો હતો અને તેણે 88 રનમાં સાત વિકેટ ઝડપી હતી. આવી સ્થિતિમાં સૌરાષ્ટ્રે એક દાવથી મેચ જીતી લીધી હતી.

મુંબઈના હાથે સિઝનની પ્રથમ મેચમાં પ્રથમ દાવના આધારે પછડાયા બાદ જયદેવ ઉનડકટની આગેવાની હેઠળની સૌરાષ્ટ્રની ટીમ માટે મોટો વિજય જરૂરી હતો. તેણે ઇનિંગ્સથી જીત મેળવી અને છને બદલે સાત પોઈન્ટ મેળવ્યા. રણજી ટ્રોફીના નિયમો મુજબ જે ટીમ મેચ જીતે છે તેને છ પોઈન્ટ મળે છે. પરંતુ ઇનિંગ્સ અથવા 10 વિકેટથી મેચ જીતવાથી બોનસ પોઇન્ટ મળે છે. આ કારણોસર સૌરાષ્ટ્રને સાત પોઈન્ટ મળ્યા છે.

ધર્મેન્દ્ર સિંહે 16મી વખત 5 વિકેટ લીધી હતી

સૌરાષ્ટ્રના 501 રનના જવાબમાં ઓડિશાની ટીમ પ્રથમ દાવમાં 165 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ કારણે તેને ફોલોઓન રમવું પડ્યું. પરંતુ બીજી ઈનિંગમાં પણ તેની હાલત સારી ન હતી. ઓપનર શાંતનુ મિશ્રા સિવાય કોઈ બેટ્સમેન અડધી સદી પણ ફટકારી શક્યો નહોતો. તેણે સૌરાષ્ટ્રના ડાબા હાથના બોલરો જયદેવ ઉનડકટ, ચેતન સાકરિયા અને ધર્મેન્દ્રસિંહ જાડેજા સામે શરણાગતિ સ્વીકારી લીધી હતી.

જાડેજાએ 16મી વખત એક ઇનિંગમાં પાંચ વિકેટ લીધી અને ઓડિશાની ડ્રોની આશા ખતમ કરી નાખી. તેણે પ્રથમ દાવમાં 48 રન આપીને ચાર વિકેટ લીધી હતી. ધર્મેન્દ્રસિંહ જાડેજાએ હવે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 62 મેચમાં 250 વિકેટ ઝડપી છે.

પુજારાના ચાલ્યો

અગાઉ ચિરાગ જાનીની કારકિર્દીની પ્રથમ બેવડી સદીના કારણે સૌરાષ્ટ્રે મોટો સ્કોર બનાવ્યો હતો. જાનીએ 373 બોલનો સામનો કરીને 33 ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. તેમના સિવાય શેલ્ડન જેક્સન (75) અને અર્પિત વસાવડા (61)એ અડધી સદી ફટકારી હતી. ચેતેશ્વર પૂજારા આ દરમિયાન નિષ્ફળ ગયો અને માત્ર આઠ રન બનાવી શક્યો.

આ પણ વાંચોઃ IND vs SL: ભારતીય ટીમની બસમાંથી કારતુસ મળી આવતા ખળભળાટ, મોહાલી ટેસ્ટ માટે કોહલી સહિતના ખેલાડી ચંદીગઢ પહોંચ્યા છે

આ પણ વાંચોઃ IND vs SL: ભારતીય ટીમની બસમાંથી કારતુસ મળી આવતા ખળભળાટ, મોહાલી ટેસ્ટ માટે કોહલી સહિતના ખેલાડી ચંદીગઢ પહોંચ્યા છે

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">