PCBએ એશિયા કપ માટે જય શાહને મોકલ્યું આમંત્રણ, BCCI સેક્રેટરી બદલશે પ્લાન?

BCCIના સચિવ જય શાહ એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ પણ છે અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તેમને એશિયા કપની પ્રથમ મેચ માટે આમંત્રણ મોકલ્યું છે, જય શાહે અગાઉ કહ્યું હતું કે તે પાકિસ્તાન નહીં જાય તે પછી આ બન્યું છે.

PCBએ એશિયા કપ માટે જય શાહને મોકલ્યું આમંત્રણ, BCCI સેક્રેટરી બદલશે પ્લાન?
Jay Shah
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2023 | 8:57 AM

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (PCB) 30 ઓગસ્ટથી શરૂ થઈ રહેલા એશિયા કપની શરૂઆતની મેચ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહ (Jay Shah)ને આમંત્રણ મોકલ્યું છે. એશિયા કપ (Asia Cup 2023)ની પ્રથમ મેચ પાકિસ્તાન અને નેપાળ વચ્ચે મુલતાનમાં રમાશે. શાહ એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ પણ છે.

જય શાહે કરી સ્પષ્ટતા

PCBએ કહ્યું છે કે શાહ સિવાય તેણે અન્ય બોર્ડ સભ્યોને પણ કોલ મોકલ્યા છે જેઓ ACCનો ભાગ છે. આ બધું ત્યારે થયું છે, જ્યારે શાહે સ્પષ્ટ કહ્યું હતું કે તે એશિયા કપની પ્રથમ મેચ માટે પાકિસ્તાન નહીં જાય. હવે જોવાનું એ રહેશે કે શું જય શાહ પાકિસ્તાનના આ ઔપચારિક આમંત્રણ બાદ પોતાની યોજનામાં ફેરફાર કરશે અને તેની પ્રથમ મેચમાં હાજરી આપશે કે કેમ.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

એશિયા કપની યજમાનીને લઈ વિવાદ

એશિયા કપની યજમાનીને લઈને અગાઉ પણ ઘણો વિવાદ થયો હતો. BCCIએ સ્પષ્ટ કહ્યું હતું કે તે આ ટૂર્નામેન્ટ માટે પોતાની ટીમ પાકિસ્તાન નહીં મોકલે. તેણે એશિયા કપને પાકિસ્તાનમાંથી બહાર કરાવવાની માંગ કરી હતી. આ કારણોસર એશિયા કપની માત્ર ચાર મેચો પાકિસ્તાનમાં અને બાકીની મેચો શ્રીલંકામાં યોજાશે.

શાહને આમંત્રણ મોકલવામાં પાછળનું કારણ

સમાચાર એજન્સી PTIએ તેના અહેવાલમાં સૂત્રોને જણાવ્યું છે કે શાહને આ આમંત્રણ અપેક્ષા મુજબ મોકલવામાં આવ્યું છે. સૂત્રએ કહ્યું છે કે PCBએ શાહને આમંત્રણ મોકલ્યું છે પરંતુ તેમના પાકિસ્તાન આવવાની શક્યતા ઘણી ઓછી છે. સૂત્રએ જણાવ્યું કે જય શાહ અને PCBના અધ્યક્ષ ઝકા અશરફ ડરબનમાં યોજાયેલી ICCની બેઠકમાં મળ્યા હતા અને ત્યારબાદ અશરફે શાહને મૌખિક રીતે બોલાવ્યા હતા પરંતુ હવે PCBએ ઔપચારિક રીતે આમંત્રણ મોકલ્યું છે.

આ પણ વાંચો : 15 Years Of King Kohli: વિરાટ કોહલીએ 5475 દિવસમાં 15 અદ્ભુત સિદ્ધિઓ હાંસલ કરી, જુઓ Photos

શાહે આમંત્રણ નહીં સ્વીકાર્યું

પાકિસ્તાની મીડિયાએ કહ્યું હતું કે શાહે PCBનું આમંત્રણ સ્વીકાર્યું હતું પરંતુ BCCI સેક્રેટરીએ આ વાતને નકારી કાઢી હતી. સૂત્રએ કહ્યું કે PCBને આ કારણે ઘણી શરમનો સામનો કરવો પડ્યો હતો.

PCB સંદેશ આપવા માંગે છે

PCBના સૂત્રએ કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો સારા નથી અને PCB સંદેશ આપવા માંગે છે કે રમત અને રાજકારણને મિશ્રિત ન કરવું જોઈએ. સૂત્રએ કહ્યું કે તેની પાછળનો વિચાર ભારત સાથે ક્રિકેટ સંબંધો પર પાકિસ્તાનનું વલણ સાફ કરવાનો હતો.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">