IPL 2022 માં સોમવારે પંજાબ કિંગ્સ (Punjab Kings) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) વચ્ચે મેચ રમાશે. આ સિઝનની 38મી મેચ છે. બંને ટીમો માટે અત્યાર સુધીની સફર સારી રહી નથી. એક તરફ, પંજાબ આ ટૂર્નામેન્ટમાં સારી શરૂઆત કરીને જીતના પાટા પરથી ઉતરી ગયું છે અને છેલ્લી 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. મયંક અગ્રવાલની આગેવાની હેઠળની પંજાબે 7 માંથી માત્ર 3 મેચ જીતી છે. બીજી તરફ સતત 5 મેચ હાર્યા બાદ ચેન્નાઈની ટીમ ફરી જીતના ટ્રેક પર આવી ગઈ છે. ચેન્નાઈએ છેલ્લી 3 મેચમાંથી 2 મેચમાં જીત મેળવી છે.
આઈપીએલમાં આ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે અત્યાર સુધીમાં કુલ 26 મેચ રમાઈ છે. આમાંથી 15 મેચમાં ચેન્નાઈનો વિજય થયો હતો. જ્યારે પંજાબે 11 મેચમાં જીત મેળવી હતી. આ સિઝનમાં અત્યાર સુધી બંને ટીમોનું પ્રદર્શન ખાસ રહ્યું નથી. તેથી આ મેચ કઈ ટીમ જીતશે તે કહેવું મુશ્કેલ છે. પંજાબ અને ચેન્નાઈમાં ઘણા મજબૂત ખેલાડીઓ છે. જે મેચને પોતાના દમ પર ફેરવી શકે છે. આ મેચમાં કોના બેટ પરથી રનનો વરસાદ થશે અને કોણ બેસ્ટ બોલિંગ કરશે તે જોવું રસપ્રદ રહેશે.
બંને ટીમો વચ્ચેની આ મેચ વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ મેચ સાંજે 7:30 વાગ્યાથી રમાશે અને આ જ કારણ છે કે આ મેદાન પર ઝાકળ એક મોટું પરિબળ બની રહેશે. અહીં ટોસ જીતીને ટીમ પ્રથમ બોલિંગ કરવા માંગે છે અને મેદાનના આંકડા દર્શાવે છે કે જે ટીમોએ પ્રથમ બોલિંગ કરી છે તેમનો અહીં સારો રેકોર્ડ છે. અત્યાર સુધી આઈપીએલની મોટાભાગની મેચોમાં ટોસ જીતનારી ટીમોએ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ વખતે ટોસ બોસની ભૂમિકા ભજવી રહ્યો છે.
આ પણ વાંચો : Khelo India Games: પીએમ નરેન્દ્ર મોદીએ ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા, સફળતા માટે ટીમ ભાવનાનો મંત્ર આપ્યો
આ પણ વાંચો : IPL 2022: લખનૌ સુપર જાયન્ટ્સે મોહસીન ખાનને મુંબઈ સામે ઉતારવાનો ખેલ્યો દાવ, જાણો કોણ છે જે પહેલા ‘પલટન’ નો હતો હિસ્સો