AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Khelo India Games: પીએમ નરેન્દ્ર મોદીએ ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા, સફળતા માટે ટીમ ભાવનાનો મંત્ર આપ્યો

Khelo India Games : બીજી ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ (Khelo India University Games 2022) રવિવારથી બેંગલુરુમાં શરૂ થઈ, જેનું ઉદ્ઘાટન ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ કર્યું.

Khelo India Games: પીએમ નરેન્દ્ર મોદીએ ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા, સફળતા માટે ટીમ ભાવનાનો મંત્ર આપ્યો
Khelo India Games (PC: TV9)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 24, 2022 | 10:02 PM
Share

ભારતમાં રમતગમતને પ્રોત્સાહન આપવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) ની સરકારે છેલ્લા કેટલાક વર્ષોથી ખેલો ઇન્ડિયા ગેમ્સ (Khelo India Games) શરૂ કરી છે અને દર વર્ષે તેનું આયોજન કરવામાં આવે છે. આ પગલું આગળ વધારતા, ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2021 (Khelo India University Games 2021) રવિવાર 24 એપ્રિલથી બેંગલુરુમાં શરૂ થઈ. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ કાંતિરવા સ્ટેડિયમમાં ગેમ્સનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર ન હતા. પરંતુ તેમણે એક ખાસ વિડિયો સંદેશ દ્વારા યુવા ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા અને સારા પ્રદર્શનની શુભેચ્છા પાઠવી હતી. આ સાથે પીએમએ ખેલાડીઓને ટીમ સ્પિરિટનો મંત્ર પણ આપ્યો.

વડાપ્રધાનનો આ વીડિયો સંદેશ રવિવારે ઉદ્ઘાટન સમારોહ દરમિયાન પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેમાં પીએમ મોદીએ કહ્યું હતું કે મહામારી દરમિયાન આ ગેમ્સનું આયોજન ભારતીય યુવાનોની ભાવના દર્શાવે છે. પીએમ મોદીએ કહ્યું કે, વૈશ્વિક મહામારીના તમામ પડકારો વચ્ચે આ રમત ભારતના યુવાનોના સંકલ્પ અને જુસ્સાનું ઉદાહરણ છે.

ખેલાડીઓ માટે PM મોદીનો વીડિયો સંદેશો

ટીમ સ્પિરિટ સફળતાનો મંત્ર

વડાપ્રધાન મોદીએ યુવા ખેલાડીઓને જીવનમાં સફળતા માટે ટીમ ભાવનાનું ધ્યાન રાખવાની પણ શીખ આપી હતી. પીએમ મોદીએ કહ્યું કે આ ગેમ્સમાં તમામ ખેલાડીઓને સારો અનુભવ મળશે. મોદીએ કહ્યું, સફળ થવાનો પહેલો મંત્ર ટીમ ભાવના છે. અમને રમતગમતમાંથી આ ટીમ ભાવના શીખવા મળે છે. તમે ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સમાં પણ તેનો અનુભવ કરશો. આ ટીમ સ્પિરિટ તમને જીવનને જોવાની નવી રીત પણ આપે છે.

દુતી-નટરાજ જેવા ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે

ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સની શરૂઆત સૌપ્રથમ 2020 માં થઈ હતી. પરંતુ ત્યારબાદ કોરોના વાયરસની મહામારીએ આખી દુનિયાને રોકી દીધી અને આવી સ્થિતિમાં આ ગેમ્સનું આયોજન પણ થઈ શક્યું નહીં. હવે 2022 માં બીજી વખત યુનિવર્સિટી ગેમ્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જો કે, તે ફક્ત 2021 વર્ષના નામે રમાઈ રહી છે.

આ વખતે આ ગેમ્સમાં 3000 થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. 20 વિવિધ રમતોમાં 189 યુનિવર્સિટીઓના આ ખેલાડીઓ આગામી કેટલાક દિવસો સુધી ભાગ લેશે. ખાસ વાત એ છે કે આ વખતે દુતી ચંદ, શ્રીહરિ નટરાજ, દિવ્યાંશ પંવાર અને ઐશ્વર્યા પ્રતાપ સિંહ તોમર જેવા ખેલાડીઓ પણ તેમાં ભાગ લઈ રહ્યા છે.

આ પણ વાંચો : Mumbai Indians 1083 દિવસ પછી વાનખેડેમાં રમવા ઉતરી, સચિન તેંડુલકરના જન્મદિવસે વિજય સાથે ઉજવણી કરવાનો ઇરાદો

આ પણ વાંચો : Khelo India University Games: ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ કર્યું ખેલો ઈન્ડિયાનું ઉદ્ઘાટન, 10 દિવસમાં 3000 ખેલાડીઓ બતાવશે તેમની તાકાત

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">