AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટીમ ઈન્ડિયામાં રોહિત-કોહલીની પસંદગીની પણ ખાતરી નથી? ખુદ ભારતીય કેપ્ટને આવું કેમ કહ્યું?

ભારતીય ટીમની હજુ સુધી એશિયા કપ માટે પસંદગી કરવામાં આવી નથી કારણ કે બેટિંગ ક્રમમાં કેટલીક જગ્યાએ ટીમના ખેલાડીઓનું સ્થાન નિશ્ચિત નથી અને વેસ્ટ ઈન્ડિઝ શ્રેણીમાં કરવામાં આવેલા પ્રયોગોનું કોઈ પરિણામ આવ્યું નથી.

ટીમ ઈન્ડિયામાં રોહિત-કોહલીની પસંદગીની પણ ખાતરી નથી? ખુદ ભારતીય કેપ્ટને આવું કેમ કહ્યું?
Rohit-Virat
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2023 | 9:59 AM
Share

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) તાજેતરમાં વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી ODI શ્રેણીની બે મેચમાં બહાર થઈ ગયો હતો. ત્યારે તેનું કારણ ટીમ થઈ રહેલ પ્રયોગોને જણાવવામાં આવ્યું હતું, જેમાંથી ટીમ ઈન્ડિયા (Team India) પોતાના કેટલાક સવાલોના જવાબ શોધી રહી હતી. આ શ્રેણી પછી, એવું કહેવામાં આવ્યું હતું કે હવે વધુ પ્રયોગો કરવામાં આવશે નહીં અને એશિયા કપમાંથી તે જ પ્લેઇંગ ઇલેવનને મેદાનમાં ઉતારવામાં આવશે, જે વર્લ્ડ કપ (World Cup 2023)માં પણ ટાઇટલ સુધી પહોંચશે.

રોહિત શર્મા-રાહુલ દ્રવિડ પ્રયોગ ચાલુ રાખશે

હવે એવું લાગે છે કે ટીમ ઈન્ડિયાને હજુ પણ તે જવાબો મળ્યા નથી જે તે શોધી રહી હતી કારણ કે કેપ્ટન રોહિત શર્માએ કહ્યું છે કે કોઈપણ ખેલાડીની પસંદગી હજુ પણ સ્વયં સંચાલિત નથી અને તે એશિયા કપમાં દબાણ અને તણાવ ભરી સ્થિતિમાં રમી શકતા કેટલાક ખેલાડીઓના વધુ સારા પ્રદર્શનને જોવા માંગે છે.

ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈ કેપ્ટનનો જવાબ

એશિયા કપ પહેલા આરામ કરી રહેલા કેપ્ટન રોહિત શર્માએ ગુરુવાર, 10 ઓગસ્ટના રોજ એક કાર્યક્રમ દરમિયાન ટીમ ઈન્ડિયાની વર્લ્ડ કપ અને એશિયા કપ માટેની તૈયારીઓ અને સંભાવનાઓ સાથે જોડાયેલા પ્રશ્નોના જવાબ આપ્યા હતા. આ દરમિયાન રોહિતે સ્વીકાર્યું કે કેટલાક ખેલાડીઓની ઈજાના કારણે ટીમને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. એશિયા કપ માટે હજુ ટીમની પસંદગી કરવામાં આવી નથી અને કેટલાક ખેલાડીઓની પસંદગી નિશ્ચિત છે, પરંતુ રોહિતે સ્પષ્ટ કર્યું છે કે કેપ્ટન સહિત કોઈપણની પસંદગી આપોઆપ થશે નહીં.

ટીમમાં સ્થાનની કોઈ ગેરંટી નથી

શ્રેયસ અય્યર અને કેએલ રાહુલની ઈજાના કારણે ટીમ ઈન્ડિયા મિડલ ઓર્ડરમાં બેટ્સમેનોની પસંદગી માટે સંઘર્ષ કરી રહી છે. જો બંને ફિટ થઈ જાય તો તેમની પસંદગી લગભગ નિશ્ચિત છે. નહીં તો સૂર્યકુમાર યાદવ અને સંજુ સેમસન વચ્ચે પસંદગીને લઈ સ્પર્ધા થશે. જોકે, રોહિતે સ્પષ્ટ કર્યું કે કોઈની જગ્યા કન્ફર્મ નથી. ભારતીય કેપ્ટને તો ત્યાં સુધી કહ્યું કે તેની પસંદગી પણ ઓટોમેટિક નથી. તેણે સ્પષ્ટ કર્યું કે ટીમ ઈન્ડિયામાં કોઈના સ્થાનની ખાતરી નથી અને કોઈને એમ ન કહી શકાય કે તમે રમશો. રોહિતે એમ પણ કહ્યું કે પસંદગીની બેઠક દરમિયાન આ અંગે ચર્ચા કરવામાં આવશે પરંતુ દરેકને પોતાની જગ્યા માટે લડવું પડશે, પછી તે ટોપ ઓર્ડર હોય કે લોઅર ઓર્ડર.

આ પણ વાંચોઃ સૂર્યકુમાર યાદવને ODIમાં કેમ મળી રહી છે તક? કેપ્ટન રોહિત શર્માનો જવાબ સાંભળીને ચોંકી જશો

શું એશિયા કપમાં પણ પ્રયોગ ચાલુ રહેશે?

એટલું જ નહીં, રોહિતે પણ પ્રયોગો ચાલુ રાખવાનો સંકેત આપ્યો છે. રોહિતે કહ્યું કે ટીમ જીતવા માંગે છે પરંતુ તેમ છતાં અમને ઘણા સવાલોના જવાબની જરૂર છે. ભારતીય કેપ્ટને ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોને સીધો સંદેશ આપ્યો કે તે એશિયા કપમાં સારી ટીમો સામે દબાણમાં બેટ્સમેનોને બેટિંગ કરતા જોવા માંગશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">