Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL ના કારણે ન્યુઝીલેન્ડ આ દેશ સામે નહીં રમે ક્રિકેટ, જાણો સમગ્ર માહિતી

ન્યુઝીલેન્ડના કોચ ગૈરી સ્ટીડે સોમવારે એક પ્રેસ કોન્ફ્રન્સમાં કહ્યું હતું કે કીવી ખેલાડીઓ 25 માર્ચથી શરૂ થઇ રહેલ નેધરલેન્ડ સીરિઝ માટે ઉપલબ્ધ નહીં રહે.

IPL ના કારણે ન્યુઝીલેન્ડ આ દેશ સામે નહીં રમે ક્રિકેટ, જાણો સમગ્ર માહિતી
New Zealand Cricket (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 08, 2022 | 12:14 AM

IPLમાં (IPL 2022) ભાગ લઈ રહેલ ન્યુઝીલેન્ડ ટીમના (New Zealand Cricket) ખેલાડીઓ નેધરલેન્ડ સામે 25 માર્ચથી શરૂ થનારી T20 અને ODI શ્રેણીમાં નહીં રમે. ટીમના મુખ્ય કોચ ગેરી સ્ટેડે સોમવારે આ જાણકારી આપી. ગેરીએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ટીમના તમામ ખેલાડીઓ IPL 2022 માં ભાગ લેવા માટે નેધરલેન્ડ સિરીઝ માટે ઉપલબ્ધ રહેશે નહીં. નેધરલેન્ડની ટીમ માર્ચના અંતમાં ન્યુઝીલેન્ડના પ્રવાસે જશે. બંને ટીમો વચ્ચે 25 માર્ચથી 4 એપ્રિલ સુધી એક T20 અને ત્રણ ODI મેચ રમાશે. હવે આમાં માત્ર ન્યૂઝીલેન્ડના તે જ ખેલાડીઓ ભાગ લેશે જેમને IPLની કોઈપણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી.

મહત્વનું છે કે ન્યુઝીલેન્ડના ઘણા મુખ્ય ખેલાડીઓ IPLની અલગ-અલગ ટીમોનો ભાગ છે. IPL માં જોડાયેલા ખેલાડીઓની વાત કરીએ તો સ્ટાર ખેલાડી કેન વિલિયમસન, ટ્રેન્ટ બોલ્ટ, લોકી ફર્ગ્યુસન અને જીમી નિશામ જેવા ઘણા મોટા નામ છે. રાજસ્થાન રોયલ્સે ટ્રેન્ટ બોલ્ટ, જેમ્સ નીશમ અને ડેરેલ મિશેલ સહિત સૌથી વધુ ત્રણ કિવી ખેલાડીઓને ખરીદ્યા છે. તો બીજી તરફ કેન વિલિયમસન આ સિઝનમાં હૈદરાબાદની કેપ્ટનશીપ કરશે.

નોકઆઉટ સ્ટેજમાં ન્યુઝીલેન્ડના ખેલાડીઓનું રમવું હજુ નક્કી નથી

ન્યૂઝીલેન્ડના કોચે આઈપીએલની શરૂઆતમાં કિવી ખેલાડીઓની ઉપલબ્ધતાની પુષ્ટિ કરી હતી, પરંતુ આ ખેલાડીઓ નોકઆઉટ તબક્કામાં ઉપલબ્ધ થશે કે નહીં તે અંગે સસ્પેન્સ યથાવત છે. ખરેખર, IPLમાં લીગ મેચો 22 મેના રોજ સમાપ્ત થશે. આ પછી, નોક આઉટ તબક્કાની મેચ એટલે કે પ્લે-ઓફ મેચો રમાશે. ફાઇનલ મેચ 29 મેના રોજ યોજાશે.

Video : 'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા પર થયો પૈસાનો વરસાદ
IPL 2025 દરમિયાન જસપ્રીત બુમરાહે 'ટ્રિપલ સેન્ચુરી' ફટકારી
Pahalgam Attack : ભારતમાં સૌથી વધુ શું ભણવા આવે છે પાકિસ્તાની વિદ્યાર્થીઓ, જાણો
AC Electricity Bill : દરરોજ 10 કલાક 1.5 ટનનું AC ચલાવો, તો વીજળીનું બિલ કેટલું આવશે?
Pahalgam Attack : પહલગામ આતંકી હુમલા બાદ સેનાના જવાનનો જૂનો વીડિયો વાયરલ, જુઓ
Cobra Vs King Cobra: કોબ્રા અને કિંગ કોબ્રા વચ્ચે 5 મોટા તફાવત, જાણો

આ સમયે જ ન્યુઝીલેન્ડને ઈંગ્લેન્ડનો પ્રવાસ પણ કરવો પડશે. ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ 2 જૂને રમાશે. આવી સ્થિતિમાં ન્યૂઝીલેન્ડના ખેલાડીઓ ટેસ્ટની તૈયારી માટે IPLના નોકઆઉટ સ્ટેજની મેચોમાંથી બહાર થઈ શકે છે.

આ પણ વાંચો : રવિચંદ્રન અશ્વિને રેકોર્ડ તોડ્યા બાદ કપિલ દેવે આપ્યું મોટુ નિવેદન

આ પણ વાંચો : PAK vs AUS: સ્ટીવ સ્મિથે રાવલપિંડીની પિચ પર પ્રતિક્રિયા આપતા તેને ડેડ ગણાવી હતી

રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">