IPL ના કારણે ન્યુઝીલેન્ડ આ દેશ સામે નહીં રમે ક્રિકેટ, જાણો સમગ્ર માહિતી

ન્યુઝીલેન્ડના કોચ ગૈરી સ્ટીડે સોમવારે એક પ્રેસ કોન્ફ્રન્સમાં કહ્યું હતું કે કીવી ખેલાડીઓ 25 માર્ચથી શરૂ થઇ રહેલ નેધરલેન્ડ સીરિઝ માટે ઉપલબ્ધ નહીં રહે.

IPL ના કારણે ન્યુઝીલેન્ડ આ દેશ સામે નહીં રમે ક્રિકેટ, જાણો સમગ્ર માહિતી
New Zealand Cricket (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 08, 2022 | 12:14 AM

IPLમાં (IPL 2022) ભાગ લઈ રહેલ ન્યુઝીલેન્ડ ટીમના (New Zealand Cricket) ખેલાડીઓ નેધરલેન્ડ સામે 25 માર્ચથી શરૂ થનારી T20 અને ODI શ્રેણીમાં નહીં રમે. ટીમના મુખ્ય કોચ ગેરી સ્ટેડે સોમવારે આ જાણકારી આપી. ગેરીએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ટીમના તમામ ખેલાડીઓ IPL 2022 માં ભાગ લેવા માટે નેધરલેન્ડ સિરીઝ માટે ઉપલબ્ધ રહેશે નહીં. નેધરલેન્ડની ટીમ માર્ચના અંતમાં ન્યુઝીલેન્ડના પ્રવાસે જશે. બંને ટીમો વચ્ચે 25 માર્ચથી 4 એપ્રિલ સુધી એક T20 અને ત્રણ ODI મેચ રમાશે. હવે આમાં માત્ર ન્યૂઝીલેન્ડના તે જ ખેલાડીઓ ભાગ લેશે જેમને IPLની કોઈપણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી.

મહત્વનું છે કે ન્યુઝીલેન્ડના ઘણા મુખ્ય ખેલાડીઓ IPLની અલગ-અલગ ટીમોનો ભાગ છે. IPL માં જોડાયેલા ખેલાડીઓની વાત કરીએ તો સ્ટાર ખેલાડી કેન વિલિયમસન, ટ્રેન્ટ બોલ્ટ, લોકી ફર્ગ્યુસન અને જીમી નિશામ જેવા ઘણા મોટા નામ છે. રાજસ્થાન રોયલ્સે ટ્રેન્ટ બોલ્ટ, જેમ્સ નીશમ અને ડેરેલ મિશેલ સહિત સૌથી વધુ ત્રણ કિવી ખેલાડીઓને ખરીદ્યા છે. તો બીજી તરફ કેન વિલિયમસન આ સિઝનમાં હૈદરાબાદની કેપ્ટનશીપ કરશે.

નોકઆઉટ સ્ટેજમાં ન્યુઝીલેન્ડના ખેલાડીઓનું રમવું હજુ નક્કી નથી

ન્યૂઝીલેન્ડના કોચે આઈપીએલની શરૂઆતમાં કિવી ખેલાડીઓની ઉપલબ્ધતાની પુષ્ટિ કરી હતી, પરંતુ આ ખેલાડીઓ નોકઆઉટ તબક્કામાં ઉપલબ્ધ થશે કે નહીં તે અંગે સસ્પેન્સ યથાવત છે. ખરેખર, IPLમાં લીગ મેચો 22 મેના રોજ સમાપ્ત થશે. આ પછી, નોક આઉટ તબક્કાની મેચ એટલે કે પ્લે-ઓફ મેચો રમાશે. ફાઇનલ મેચ 29 મેના રોજ યોજાશે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આ સમયે જ ન્યુઝીલેન્ડને ઈંગ્લેન્ડનો પ્રવાસ પણ કરવો પડશે. ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ 2 જૂને રમાશે. આવી સ્થિતિમાં ન્યૂઝીલેન્ડના ખેલાડીઓ ટેસ્ટની તૈયારી માટે IPLના નોકઆઉટ સ્ટેજની મેચોમાંથી બહાર થઈ શકે છે.

આ પણ વાંચો : રવિચંદ્રન અશ્વિને રેકોર્ડ તોડ્યા બાદ કપિલ દેવે આપ્યું મોટુ નિવેદન

આ પણ વાંચો : PAK vs AUS: સ્ટીવ સ્મિથે રાવલપિંડીની પિચ પર પ્રતિક્રિયા આપતા તેને ડેડ ગણાવી હતી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">