AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL ના કારણે ન્યુઝીલેન્ડ આ દેશ સામે નહીં રમે ક્રિકેટ, જાણો સમગ્ર માહિતી

ન્યુઝીલેન્ડના કોચ ગૈરી સ્ટીડે સોમવારે એક પ્રેસ કોન્ફ્રન્સમાં કહ્યું હતું કે કીવી ખેલાડીઓ 25 માર્ચથી શરૂ થઇ રહેલ નેધરલેન્ડ સીરિઝ માટે ઉપલબ્ધ નહીં રહે.

IPL ના કારણે ન્યુઝીલેન્ડ આ દેશ સામે નહીં રમે ક્રિકેટ, જાણો સમગ્ર માહિતી
New Zealand Cricket (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 08, 2022 | 12:14 AM
Share

IPLમાં (IPL 2022) ભાગ લઈ રહેલ ન્યુઝીલેન્ડ ટીમના (New Zealand Cricket) ખેલાડીઓ નેધરલેન્ડ સામે 25 માર્ચથી શરૂ થનારી T20 અને ODI શ્રેણીમાં નહીં રમે. ટીમના મુખ્ય કોચ ગેરી સ્ટેડે સોમવારે આ જાણકારી આપી. ગેરીએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ટીમના તમામ ખેલાડીઓ IPL 2022 માં ભાગ લેવા માટે નેધરલેન્ડ સિરીઝ માટે ઉપલબ્ધ રહેશે નહીં. નેધરલેન્ડની ટીમ માર્ચના અંતમાં ન્યુઝીલેન્ડના પ્રવાસે જશે. બંને ટીમો વચ્ચે 25 માર્ચથી 4 એપ્રિલ સુધી એક T20 અને ત્રણ ODI મેચ રમાશે. હવે આમાં માત્ર ન્યૂઝીલેન્ડના તે જ ખેલાડીઓ ભાગ લેશે જેમને IPLની કોઈપણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી.

મહત્વનું છે કે ન્યુઝીલેન્ડના ઘણા મુખ્ય ખેલાડીઓ IPLની અલગ-અલગ ટીમોનો ભાગ છે. IPL માં જોડાયેલા ખેલાડીઓની વાત કરીએ તો સ્ટાર ખેલાડી કેન વિલિયમસન, ટ્રેન્ટ બોલ્ટ, લોકી ફર્ગ્યુસન અને જીમી નિશામ જેવા ઘણા મોટા નામ છે. રાજસ્થાન રોયલ્સે ટ્રેન્ટ બોલ્ટ, જેમ્સ નીશમ અને ડેરેલ મિશેલ સહિત સૌથી વધુ ત્રણ કિવી ખેલાડીઓને ખરીદ્યા છે. તો બીજી તરફ કેન વિલિયમસન આ સિઝનમાં હૈદરાબાદની કેપ્ટનશીપ કરશે.

નોકઆઉટ સ્ટેજમાં ન્યુઝીલેન્ડના ખેલાડીઓનું રમવું હજુ નક્કી નથી

ન્યૂઝીલેન્ડના કોચે આઈપીએલની શરૂઆતમાં કિવી ખેલાડીઓની ઉપલબ્ધતાની પુષ્ટિ કરી હતી, પરંતુ આ ખેલાડીઓ નોકઆઉટ તબક્કામાં ઉપલબ્ધ થશે કે નહીં તે અંગે સસ્પેન્સ યથાવત છે. ખરેખર, IPLમાં લીગ મેચો 22 મેના રોજ સમાપ્ત થશે. આ પછી, નોક આઉટ તબક્કાની મેચ એટલે કે પ્લે-ઓફ મેચો રમાશે. ફાઇનલ મેચ 29 મેના રોજ યોજાશે.

આ સમયે જ ન્યુઝીલેન્ડને ઈંગ્લેન્ડનો પ્રવાસ પણ કરવો પડશે. ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ 2 જૂને રમાશે. આવી સ્થિતિમાં ન્યૂઝીલેન્ડના ખેલાડીઓ ટેસ્ટની તૈયારી માટે IPLના નોકઆઉટ સ્ટેજની મેચોમાંથી બહાર થઈ શકે છે.

આ પણ વાંચો : રવિચંદ્રન અશ્વિને રેકોર્ડ તોડ્યા બાદ કપિલ દેવે આપ્યું મોટુ નિવેદન

આ પણ વાંચો : PAK vs AUS: સ્ટીવ સ્મિથે રાવલપિંડીની પિચ પર પ્રતિક્રિયા આપતા તેને ડેડ ગણાવી હતી

Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">