IND vs NZ: મુંબઇમાં કમોસમી વરસાદ બીજી ટેસ્ટમાં બની શકે છે વિલન, નિર્ણાયક ટેસ્ટની પિચ પર પડી શકે છે અસર

કમોસમી વરસાદની આગાહી મુજબ અનેક સ્થળોએ વરસાદ નોંધાયો છે. બીજી ટેસ્ટ મેચ મુંબઇ (Mumbai Test) માં રમાનારી છે, જ્યાં વરસાદ પિચ પર અસર સર્જી શકે છે.

IND vs NZ: મુંબઇમાં કમોસમી વરસાદ બીજી ટેસ્ટમાં બની શકે છે વિલન, નિર્ણાયક ટેસ્ટની પિચ પર પડી શકે છે અસર
Wankhede Cricket Stadium
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 02, 2021 | 10:08 AM

ભારત અને ન્યુઝીલેન્ડ (India Vs New Zealand) વચ્ચે રમાઇ રહેલી 2 ટેસ્ટ મેચની સિરીઝની અંતિમ મેચ મુંબઇ (Mumbai Test) માં રમાનારી છે. મુંબઇ ટેસ્ટ મેચ દ્વારા સિરીઝનુ પરીણામ સામે આવશે. વાનખેડે સ્ટેડિયમ (Wankhede Cricket Stadium) માં શુક્રવાર થી રમાનારી ટેસ્ટ મેચને લઇને તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. પરંતુ ટેસ્ટ મેચને લઇને હવે એક સંકટ તોળાવા લાગ્યુ છે, એ છે કમોસમી વરસાદ (Unseasonal Rains in Mumbai) નુ. કમોસમી વરસાદની આગાહી અને હાલના વાતાવરણના માહોલને જોતા ચિંતા પ્રસરી છે.

બીજી ટેસ્ટ દરમિયાન આરામ પર રહેલ નિયમીત કેપ્ટન વિરાટ કોહલી (Virat KOhli) પણ ટીમમાં પરત ફરનાર છે. આ સાથે જ ટીમ સિરીઝ પર વિજય મેળવવા માટે તમામ તાકાતનો ઉપયોગ મુંબઇમાં કરી લેશે પરંતુ આ દરમ્યાન વરસાદી માહોલે ચિંતા સર્જી દીધી છે. કમોસમી વરસાદની અસર વાનખેડેની પિચ પર પણ પડી શકે છે. જ્યારે પિચને લઇને માનવામાં આવી રહ્યુ છે કે, બોલરોને મદદગાર સાબિત થઇ શકે છે. આવામાં કમોસમી વરસાદનો માહોલ મજા બગાડી શકે છે.

ગઇ કાલે બુધવારે મુંબઇમાં દિવસ ભર વરસાદી માહોલ રહ્યો હતો. જેને લઇને બંને ટીમોના ટ્રેનિંગ સેશન પણ રદ કરવા પડ્યા હતા. ગુરુવારે પણ વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આવી સ્થિતીમાં સ્વાભાવિક પણે આઉટ ફીલ્ડ પણ ભીનુ હોય. જેને લઇને ભારતીય ટીમ ઇન્ડોર પ્રેકટીશ કરશે. વાનખેડેમાં આ સુવિધાના અભાવને લઇને બાંન્દ્ર કુર્લા જશે.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

પિચ આવી રહી શકે છે

સતત વરસાદી માહોલને લઇને વાનખેડે સ્ટેડિયમની પિચને સતત ઢાંકી રાખવામાં આવી છે. જેને લઇને ઢંકાયેલ સ્થિતીમાં નિચે ભેજનુ પ્રમાણ પણ ખૂબ હશે. વધારે ભેદને લઇને ઝડપી બોલરોને કાનપુર કરતા પણ વધુ મદદ મળી શકે છે. જોકે સાથે જ આવી સ્થિતીમાં સ્પિનરોને પણ ખૂબ મદદ મળી શકે છે. વાનખેડેમાં પિચ પર સહેજ પણ ઘાસની સ્થિતી જોવા મળી રહી નહોતી. આમ ધીમા બોલરોને પણ મદદ મળી શકે છે. સાથે જ પ્રથમ દિવસ બાદ વરસાદની ખલેલ ના સર્જાય એ જ વધુ સારુ રહેશે.

ટીમ સમિકરણમાં થઇ શકે છે ફેરફાર

વિરાટ કોહલી ના ટીમમાં સામેલ થવાને લઇને સ્વાભાવિક રીતે કાનપુર ટેસ્ટમાં રહેલી ભારતીય ટીમની પ્લેયીંગ ઇલેવન બદલાશે. કોહલીના આગમનને પગલે મયંક અગ્રવાલ સ્થાન ખાલી કરશે એમ નિશ્વિત મનાય છે. અજિંક્ય રહાણે મુંબઇ ટેસ્ટમાં બહાર થવાની સંભાવના ઓછી છે. જે હાલમાં ખરાબ ફોર્મથી પસાર થઇ રહ્યો છે. ગળુ જકડાઇ જવાની સમસ્યાને લઇ રિદ્ધિમાન સાહા બહાર થઇ શકે છે, તેના સ્થાને શ્રીકર ભરતને મોકો મળી શકે છે. તે ઓપનિંગની જવાબદારી પણ નિભાવી શકે છે. સાથે જ બોલીંગ વિભાગમાં મોહમ્મદ સિરાજને ઇશાંત શર્માના સ્થાને અથવા તે બંને ઉમેશ યાદવ સાથે મળીને ઝડપી બોલીંગ આક્રમણ સંભાળશે. જો આમ થાય તો અક્ષર પટેલને બહાર થવુ પડી શકે. જોકે પ્લેયીંગ ઇલેવન માથાકૂટ ભરી સ્થિતી બની શકે છે.

આ પણ વાંચોઃ IPL 2022: ધોનીના આ 5 મેચ વિનર ખેલાડીઓને ફરીથી ટીમમાં લેવા માટે કરોડો રુપિયા લગાવી દેશે ચેન્નાઇ સુપર કિંગ્સ!

આ પણ વાંચોઃ IPL 2022: રાશિદ ખાને પૈસા માટે નહી પરંતુ આ કારણ થી સનરાઇઝર્સ હૈદરાબાદથી છુટા પડવાનો કર્યો હતો નિર્ણય!

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">