AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આફ્રિકા પ્રવાસ માટે ભારતીય ટીમમાં 4 ખેલાડીઓનું સ્થાન નિશ્ચિત, જાણો કોણ છે આ પ્લેયર્સ

દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ભારતીય ટીમની ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે. આ પ્રવાસમાં કોને મળશે તક? કોણ T20 રમશે, કોણ ODI રમશે અને કોણ ટેસ્ટ રમશે, તે ટીમ સિલેક્શન બાદ જ ખબર પડશે. પરંતુ, એવી અપેક્ષા છે કે રિંકુ, ઋતુરાજ, યશસ્વી અને મુકેશને તક મળી શકે છે.

આફ્રિકા પ્રવાસ માટે ભારતીય ટીમમાં 4 ખેલાડીઓનું સ્થાન નિશ્ચિત, જાણો કોણ છે આ પ્લેયર્સ
Team India
| Updated on: Nov 30, 2023 | 8:45 AM
Share

દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની હજુ સુધી પસંદગી થઈ નથી. પરંતુ આ રિંકુ સિંહ, યશસ્વી જયસ્વાલ, મુકેશ કુમાર અને ઋતુરાજ ગાયકવાડ આ પ્રવાસ પર રમાનારી શ્રેણી માટે ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી શકે છે. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ઘરેલુ T20 શ્રેણીમાં આ ચારેયનું વિસ્ફોટક પ્રદર્શન તેમના દક્ષિણ આફ્રિકા જવાનું કારણ બની શકે છે.

આફ્રિકા પ્રવાસ માટે ટીમની જાહેરાત કરવામાં આવશે

ભારતનો દક્ષિણ આફ્રિકા પ્રવાસ 10 ડિસેમ્બરથી શરૂ થઈ રહ્યો છે. આ પ્રવાસ T20 શ્રેણીથી શરૂ થશે અને ટેસ્ટ શ્રેણી સાથે સમાપ્ત થશે. આ પ્રવાસમાં ભારતીય ટીમે 3 T20I, 3 ODI અને 2 ટેસ્ટ શ્રેણી રમવાની છે. આફ્રિકા પ્રવાસ માટે ભારતીય ટીમની ગુરુવારે જાહેરાત થઈ શકે છે.

ઓસ્ટ્રેલિયા સામે T20 શ્રેણીમાં દબદબો

ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી 5 મેચની T20 શ્રેણીની પ્રથમ 3 મેચ રમાઈ છે, જેમાં ઋતુરાજઅને યશસ્વી ભારતની નવી ઓપનિંગ જોડી તરીકે અને રિંકુ સિંહે પોતાને મેચ ફિનિશર તરીકે સ્થાપિત કર્યા છે. આ સિવાય મુકેશ કુમારે પણ બોલિંગમાં સારું પ્રદર્શન કર્યું છે.  એવામાં આ ખેલાડીઓને સાઉથ આફ્રિકામાં વધુ તક મળશે એ લગભગ નિશ્ચિત છે.

ઋતુરાજનું સ્થાન નિશ્ચિત!

ઋતુરાજ ગાયકવાડ એવો બેટ્સમેન છે જેણે ઓસ્ટ્રેલિયા સામેની T20 શ્રેણીમાં અત્યાર સુધી સૌથી વધુ રન બનાવ્યા છે. તેણે 1 સદી, 1 અડધી સદી અને 181ના સ્ટ્રાઈક રેટ સાથે 181 રન બનાવ્યા છે. આ માત્ર એક T20 શ્રેણીની વાત છે. ક્રિકેટના આ ફોર્મેટમાં, જો તમે આ 26 વર્ષના બેટ્સમેનની T20 કારકિર્દીમાં સ્ટ્રાઈક રેટ જુઓ તો તે પણ 144.47 છે, જેને બિલકુલ ખરાબ માની શકાય નહીં.

યશસ્વીની ખ્યાતિ પણ ફેલાઈ રહી છે!

યશસ્વી જયસ્વાલને દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર જનારી T20 શ્રેણીમાં પણ તક મળે તો નવાઈ નહીં. કારણ કે, ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝની પ્રથમ 3 T20 મેચમાં તેણે 205.12ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે. યશસ્વી જયસ્વાલની T20 કારકિર્દીનો સ્ટ્રાઈક રેટ પણ 170.49 છે, જે તેના વિસ્ફોટક સ્વભાવ અને આક્રમક અભિગમને દર્શાવે છે.

રિંકુની આ આદત બનશે ભારતની તાકાત!

રિંકુ સિંહ, અત્યારે આ નામ ભારતની દરેક જીભ પર છે અને, આનું કારણ મેચ ફિનિશર તરીકે તેની ક્ષમતા છે. રિંકુને મેચની છેલ્લી ક્ષણોમાં છગ્ગા અને ચોગ્ગા મારવાની આદત છે અને આ આદતથી તે ભારત માટે મોટી તાકાત બની રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. 5-6 નંબર પર રમનાર રિંકુ સિંહે ઓસ્ટ્રેલિયા સામે અત્યાર સુધી રમાયેલી 2 ઈનિંગ્સમાં 230.43ના સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા છે. તેની બેટિંગ સ્ટ્રાઈક રેટ આ સિરીઝમાં રમી રહેલા તમામ ખેલાડીઓ કરતા સારી છે, પછી ભલે તે ભારત હોય કે ઓસ્ટ્રેલિયા.

રિંકુએ વર્તમાન સિરીઝમાં પોતાની ક્ષમતા બતાવી

ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ભારતની કેપ્ટનશીપ કરી રહેલા સૂર્યકુમાર યાદવે રિંકુ સિંહની મેચ ફિનિશ કરવાની ક્ષમતા જોઈને ત્યાં સુધી કહ્યું કે તે તેને કોઈની યાદ અપાવે છે. અહીં સૂર્યકુમારનો ઇરાદો એમએસ ધોની તરફ હતો. એવું નથી કે રિંકુએ માત્ર વર્તમાન સિરીઝમાં જ પોતાની ક્ષમતા બતાવી છે. જ્યારે પણ તેને તક મળે છે ત્યારે તે સતત આવું કરતો રહ્યો છે. આવી સ્થિતિમાં, પસંદગીકારો T20 વર્લ્ડ કપ 2024 પહેલા દક્ષિણ આફ્રિકામાં તેને અજમાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી શકે છે.

મુકેશ કુમાર આફ્રિકામાં વનડે અને ટેસ્ટ રમશે?

ફાસ્ટ બોલર મુકેશ કુમાર માટે ઓસ્ટ્રેલિયા સામેની T20 સિરીઝ કંઈ ખાસ રહી નથી. પ્રથમ 2 મેચ રમ્યા પછી, તે માત્ર 1 વિકેટ લઈ શક્યો છે. પરંતુ, T20 સિરીઝ કરતા વધુ તેને દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર ODI અથવા ટેસ્ટ શ્રેણીની ટીમમાં પસંદ કરવામાં આવે તેવી શક્યતા વધુ છે. ક્રિકેટના બંને લાંબા ફોર્મેટમાં તેનું ડેબ્યૂ આ વર્ષે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર થયું હતું, જ્યાં તેણે સારી બોલિંગ કરી હતી. મુકેશ કુમારે અત્યાર સુધી રમાયેલી 3 વનડેમાં 17.25ની એવરેજ અને 4.60ની ઈકોનોમી સાથે 4 વિકેટ લીધી છે. તેણે ભારત માટે અત્યાર સુધી રમાયેલી એક ટેસ્ટમાં 2 વિકેટ લીધી છે.

સિનિયર બોલરોને આરામ, યુવાઓને મળશે તક

વિકેટ લેવાની ક્ષમતા ઉપરાંત મુકેશ કુમારની તાકાત ડેથ ઓવરોમાં સખત બોલિંગ છે અને આ વાત ભારતીય પસંદગીકારોથી પણ છુપી નથી. મુકેશ કુમારને દક્ષિણ આફ્રિકા પ્રવાસમાં તક આપવાનું એક કારણ સિનિયર બોલરોને આરામ આપવાનું પણ હોઈ શકે છે.

આ પણ વાંચો: પાકિસ્તાન ટીમ ઓસ્ટ્રેલિયા ક્રિકેટ રમવા જઈ રહી છે કે જંગ લડવા? સપોર્ટ સ્ટાફમાં 17 લોકો, કર્નલ પણ સામેલ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">