AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asia Cup : ટીમ ઈન્ડિયાની વધી મુશ્કેલી, શ્રેયસ અય્યર એશિયા કપમાંથી થઈ શકે છે બહાર

એશિયા કપ 2023 પહેલા ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. શ્રેયસ અય્યરની ટીમ ઈન્ડિયામાં વાપસી અંગે હજી પણ શંકા સેવાઇ રહી છે, કારણ કે તે હજી સુધી ફિટ થઈ શક્યો નથી.

Asia Cup : ટીમ ઈન્ડિયાની વધી મુશ્કેલી, શ્રેયસ અય્યર એશિયા કપમાંથી થઈ શકે છે બહાર
Shreyas Iyer
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 25, 2023 | 10:01 PM
Share

એશિયા કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ફટકો લાગી શકે છે. ભારતીય ટીમનો બેટ્સમેન શ્રેયસ અય્યર ઈજામાંથી હજી સાજો થઈ શક્યો નથી અને હવે તેના એશિયા કપમાં રમવા અંગે સસ્પેન્સ વધી ગયું છે, જેના કારણે હવે ટીમ ઈન્ડિયાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.

ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર

શ્રેયસ અય્યરની વાપસી પર મુસીબતોના વાદળો ઘેરાઈ રહ્યા છે. અય્યર ઈજાના કારણે ટીમ ઈન્ડિયાની બહાર ચાલી રહ્યો છે. એક રિપોર્ટ અનુસાર, તે હજી સુધી સંપૂર્ણ રીતે ફિટ થઈ શક્યો નથી. એશિયા કપ 2023નું શેડ્યૂલ જાહેર થઈ ચૂક્યું છે અને હવે ટીમ ઈન્ડિયાએ તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે એવામાં હવે શ્રેયસ અય્યરના સિલેક્શનને લઈ મુંઝવણ ઊભી થઈ છે.

અય્યર NCAમાં કરી રહ્યો છે તૈયારી

શ્રેયસ અય્યરે આ વર્ષે લંડનમાં સર્જરી કરાવી હતી અને એપ્રિલમાં સર્જરી બાદ તે પુનરાગમનની તૈયારીમાં વ્યસ્ત છે. અય્યર હાલ નેશનલ ક્રિકેટ એકેડમીમાં તેની ઈજામાંથી સાજા થવાનો પ્રયત્ન કરી રહ્યો છે. તે સતત ફીઝીઓથેરાપી સેશન લઈ રહ્યો છે અને જલ્દી ફિટ થઈ ટીમમાં પરત ફરવા મહેનત કરી રહ્યો છે. પરંતુ તે હજી સંપૂર્ણ રીતે ફિટ થઈ શક્યો નથી. અય્યરને પીઠના દુખાવાની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે અને તેને મટાડવા ઇન્જેકશન પણ લઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ ODI World Cup Qualifiers : આયર્લેન્ડ વર્લ્ડ કપની રેસમાંથી થયું બહાર, શ્રીલંકા ક્વોલિફાયરના સુપર સિક્સ સ્ટેજમાં પ્રવેશ્યું

ઈજાના કારણે મોટી ટુર્નામેન્ટો ગુમાવી

શ્રેયસ અય્યર ઈજાના કારણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં રમી શક્યો ન હતો. આ કારણથી તેને વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ અને વનડે શ્રેણી માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. ભારતે હાલમાં જ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ટીમની જાહેરાત કરી છે. જેમાં પણ શ્રેયસને સ્થાન નથી મળ્યું અને હવે ટૂંક સમયમાં એશિયા કપ અંગે ટીમની જાહેરાત કરવામાં આવી શકે છે.

31 ઓગસ્ટથી એશિયા કપ

એશિયા કપ 2023 31 ઓગસ્ટથી યોજાવાનો છે. એશિયા કપનું આયોજન આ વખતે શ્રીલંકા અને પાકિસ્તાનમાં કરવામાં આવશે. ટૂર્નામેન્ટની 9 મેચ શ્રીલંકામાં અને 4 મેચ પાકિસ્તાનમાં રમાશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
g clip-path="url(#clip0_868_265)">