Lasith Malinga: શ્રીલંકાના દિગ્ગજ ક્રિકેટર લસિથ મલિંગાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તી જાહેર કરી, વિશ્વકપ ટીમમાં નહોતો કરાયો સામેલ

આ બોલરે પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 546 વિકેટ લીધી હતી. આમાં પણ T20 ક્રિકેટમાં તેનો કોઈ મુકાબલો નહોતો. તેણે આ ફોર્મેટમાં ઘણી ધૂમ મચાવી હતી.

Lasith Malinga: શ્રીલંકાના દિગ્ગજ ક્રિકેટર લસિથ મલિંગાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તી જાહેર કરી, વિશ્વકપ ટીમમાં નહોતો કરાયો સામેલ
Lasith Malinga
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2021 | 6:57 PM

શ્રીલંકાના ઝડપી બોલર લસિથ મલિંગા (Lasith Malinga)એ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. તેણે તાત્કાલિક અસરથી તમામ પ્રકારના ક્રિકેટ છોડવાનો નિર્ણય કર્યો છે. લસિથ મલિંગા ટી 20 વર્લ્ડ કપ (T20 World Cup)માં રમવા માંગતો હતો. પરંતુ જ્યારે તેને શ્રીલંકાની ટીમ (Sri Lanka Cricket Team)માં સ્થાન ન મળ્યું તો તેણે નિવૃત્તીની જાહેરાત કરી. પોતાની 16 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં મલિંગાએ 340 મેચ રમી હતી, જેમાં 30 ટેસ્ટ, 226 વનડે અને 84 ટી 20 મેચનો સમાવેશ થાય છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

આ દરમ્યાન તેણે કુલ 546 વિકેટ લીધી હતી. જો વિકેટને વિવિધ ફોર્મેટ પ્રમાણે જોવામાં આવે તો ટેસ્ટમાં 101 વિકેટ, વનડેમાં 338 અને T20માં 107 વિકેટ સામેલ છે. લસિથ મલિંગા 38 વર્ષનો થઈ ચુક્યો છે અને છેલ્લે માર્ચ 2020માં ક્રિકેટ મેદાન પર ઉતર્યો હતો.

લસિથ મલિંગાએ સૌપ્રથમ પોતાની અનોખી બોલિંગ એક્શનને કારણે દરેકનું ધ્યાન ખેંચ્યું હતું. સ્લિંગ એક્શનને કારણે તેણે ક્રિકેટના મેદાન પર ઘણા આશ્ચર્યજનક રેકોર્ડ બનાવ્યા. જેમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 2 વખત સતત 4 બોલમાં 4 વિકેટ લેવાનો, વન ડે ઈન્ટરનેશનલમાં 3 હેટ્રિક લેવાનો અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 5 હેટ્રિક બનાવવાનો સમાવેશ થાય છે.

મલિંગાને ડેથ ઓવર સ્પેશિયાલિસ્ટ કહેવાતો. તેણે શ્રીલંકાને તેની કેપ્ટનશિપમાં T20 વર્લ્ડ કપ જીતા઼ડી વિશ્વ વિજેતા પણ બનાવ્યુ હતુ. તેણે 2014ના T20 વર્લ્ડ કપને શ્રીલંકા માટે જીતાડ્યો હતો. શ્રીલંકાએ મલિંગાના નેતૃત્વમાં ભારતને હરાવીને પ્રથમ વખત T20 વર્લ્ડ કપ જીત્યો હતો.

મલિંગાનું આંતરરાષ્ટ્રીય કરીયર

લસિથ મલિંગાએ 2004માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. તેણે ટેસ્ટ ક્રિકેટથી શરૂઆત કરી હતી. તેણે જુલાઈ 2004માં ઓસ્ટ્રેલિયા સામે ડેબ્યૂ કર્યું હતું. જો કે આ ફોર્મેટમાં તે લાંબા સમય સુધી ચાલ્યો નહીં. તેની ટેસ્ટ કારકિર્દી 30 ટેસ્ટ બાદ અટકી ગઈ હતી. 2010માં તે છેલ્લે શ્રીલંકા માટે વ્હાઈટ જર્સીમાં રમ્યો હતો.

જોકે તેને વનડે અને T20માં ઘણી સફળતા મળી. જુલાઈ 2004માં UAE સામે ડેબ્યૂ કર્યા બાદ તેણે 226 વનડે રમી અને 338 વિકેટ લીધી. જુલાઈ 2019માં બાંગ્લાદેશ સામે તેની છેલ્લી વનડે જોવા મળી હતી. એ જ રીતે, જૂન 2006માં મલિંગાએ ઈંગ્લેન્ડ સામે T20 ડેબ્યૂ કર્યું હતું. પછી 84 મેચ રમી અને 107 વિકેટ લીધી. આ ફોર્મેટમાં તેની છેલ્લી મેચ માર્ચ 2020માં વેસ્ટ ઈન્ડીઝ સામે હતી.

આ પણ વાંચોઃ IPL 2021: ટૂર્નામેન્ટની બાકી રહેલી મેચોનુ આ રહ્યુ પુરુ શિડ્યુલ, જાણો કઇ ટીમ કોની સાથે ટકરાશે 

આ પણ વાંચોઃ BCCI એ ઇંગ્લેન્ડ સમક્ષ રાખી લાજવાબ ઓફર, માની લેવાશે તો માંચેસ્ટર ટેસ્ટનુ નુકશાન થઇ જશે ભરપાઇ

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">