Krishnappa Gowtham, IPL 2022 Auction: માલા-માલ ધમાલ વચ્ચે આ ખેલાડીને પુરા કરોડ રુપિયા પણ ના મળ્યા, ગત સિઝનમાં 9.25 કરોડ સાથે રેકોર્ડ સર્જ્યો હતો

Krishnappa Gowtham Auction Price: કૃષ્ણપ્પા ગૌતમ (Krishnappa Gowtham) ગત સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો ભાગ હતો, આ ઓલરાઉન્ડરને 9.25 કરોડમાં ખરીદ્યો હતો.

Krishnappa Gowtham, IPL 2022 Auction: માલા-માલ ધમાલ વચ્ચે આ ખેલાડીને પુરા કરોડ રુપિયા પણ ના મળ્યા, ગત સિઝનમાં 9.25 કરોડ સાથે રેકોર્ડ સર્જ્યો હતો
Krishnappa Gowtham ગત સિઝનમાં ચેન્નાઇ સુપર કિંગ્સનો હિસ્સો હતો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 13, 2022 | 3:12 PM

કૃષ્ણપ્પા ગૌતમ (Krishnappa Gowtham), જે ગત IPL સિઝનના સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડી હતો, તેને આઇપીએલ 2022ની હરાજી (IPL 2022 Auction) માં મોટું નુકસાન વેઠવુ પડ્યુ છે. તે સિધો જ 9 માળ થી પહેલા માળે પટકાયા જેવો અનુભવ કરી રહ્યો હશે. ગત સિઝનમાં 9 કરોડ થી વધુ રકમ મેળવી અનકેપ્ડ ખેલાડી તરીકે ચર્ચા જગાવનાર ગૌતમને લખનૌ સુપરજાયન્ટ્સે (Lucknow Super Giants) માત્ર 90 લાખ રૂપિયામાં ખરીદ્યો છે. કૃષ્ણપ્પા ગૌતમની બેઝ પ્રાઇઝ 50 લાખ રૂપિયા હતી. ગત સિઝનમાં ગૌતમને ચેન્નાઈ સુપર કિંગ્સે ખરીદ્યો હતો.

ગૌતમ આઈપીએલ ઈતિહાસનો સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડી હતો. ગૌતમ ને છેલ્લી સિઝનમાં રૂ. 9.25 કરોડમાં ખરીદ્યો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સે આ ઓલરાઉન્ડરને મોટી રકમ ચૂકવીને પોતાનો બનાવ્યો હતો, જોકે આ ખેલાડી છેલ્લી સિઝનમાં એક પણ મેચ રમ્યો નહોતો.

કૃષ્ણપ્પા ગૌતમે IPLમાં 24 મેચ રમી છે, જે દરમિયાન તેના ખાતામાં 13 વિકેટ આવી છે. ગૌતમે 14.30ની એવરેજથી 186 રન બનાવ્યા છે. ગૌતમનો સ્ટ્રાઈક રેટ 170ની નજીક છે. ગૌતમ અત્યાર સુધી IPLની માત્ર ત્રણ સિઝન રમ્યો છે. વર્ષ 2018માં આ ખેલાડીને રાજસ્થાન રોયલ્સે 6.20 કરોડમાં ખરીદ્યો હતો. તે સિઝનમાં ગૌતમે 15 મેચમાં 11 વિકેટ ઝડપી હતી. આ પછી ગૌતમ 2019ની સિઝનમાં 7 મેચમાં માત્ર 1 વિકેટ લઈ શક્યો હતો અને 2020માં તે 2 મેચમાં એક વિકેટ લઈ શક્યો હતો. તેણે 2021ની સિઝનમાં એક પણ મેચ રમી ન હતી. મતલબ, છેલ્લી ત્રણ સિઝનમાં ગૌતમે માત્ર 2 વિકેટ લીધી છે અને તેણે બેટિંગમાં વધુ યોગદાન આપ્યું નથી, કારણ કે તેને આવી તકો મળી નથી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

કૃષ્ણપ્પા ગૌતમનો T20 રેકોર્ડ

કૃષ્ણપ્પા ગૌતમે T20માં 67 મેચ રમી છે જેમાં તેના નામે 48 વિકેટ છે. તેનો ઈકોનોમી રેટ માત્ર 7.39 રન પ્રતિ ઓવર છે. ગૌતમે T20માં 2 અડધી સદી પણ ફટકારી છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2021માં કૃષ્ણપ્પા ગૌતમનું પ્રદર્શન ખાસ રહ્યું ન હતું. તેણે 5 મેચમાં 7 વિકેટ લીધી અને બેટિંગમાં તે 5ની એવરેજથી માત્ર 16 રન બનાવી શક્યો. કદાચ આ જ કારણ છે કે તેને IPL 2022ની હરાજીમાં હારનો સામનો કરવો પડ્યો છે. જોકે, કૃષ્ણપ્પા ગૌતમ માટે સારી વાત એ હશે કે તેને લખનૌ સુપરજાયન્ટમાં મેચ રમવાની તક મળી શકે છે. ચેન્નાઈએ તેને એક પણ મેચ રમાડી ન હતી.

લખનૌ સુપરજાયન્ટ ટીમની વાત કરીએ તો તેમની પાસે દીપક હુડા, કૃણાલ પંડ્યા જેવા ઓલરાઉન્ડર છે, પરંતુ જો જરૂર પડશે તો ગૌતમને પણ તક મળી શકે છે.

આ પણ વાંચોઃ Chetan Sakariya , IPL 2022 Auction: ભાવનગરના ખેલાડીને દિલ્હી કેપિટલ્સે બેઝ પ્રાઇઝ થી 8 ગણા કરતા વધારે રકમ ચુકવી ખરીદ્યો

આ પણ વાંચોઃ IPL 2022 Auction: ગુજરાતની ટીમે ખરીદેલ અભિનવ ની સફર ચંપલની દુકાન થી શરુ થઇને ‘કરોડપતિ’ એ પહોંચી, ઓક્શને પલટી દીધી જીવનની બાજી

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">