AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KKR vs GT Prediction Playing XI IPL 2022: હાર્દિક પંડ્યા ટીમમાં પરત ફરશે, કોલકાતા સ્ટાર બોલરને કરશે બહાર!

KKR vs GT: ગુજરાત ટાઇટન્સ (GT) નો કેપ્ટન હાર્દિક પંડ્યા ઈજાના કારણે છેલ્લી મેચમાં રમી શક્યો ન હતો પરંતુ તેમ છતાં ગુજરાતે જીત મેળવી હતી.

KKR vs GT Prediction Playing XI IPL 2022: હાર્દિક પંડ્યા ટીમમાં પરત ફરશે, કોલકાતા સ્ટાર બોલરને કરશે બહાર!
હાર્દિક પંડ્યા ટીમમાં પરત ફરતા GT ને રાહત થશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 22, 2022 | 9:22 PM
Share

IPL 2022 માં શનિવાર 23 એપ્રિલના રોજ ડબલ હેડર ડે, જેની શરૂઆત કોલકાતા નાઈટ રાઈડર્સ અને ગુજરાત ટાઇટન્સ (Kolkata Knight Riders vs Gujarat Titans) વચ્ચેની ટક્કરથી થશે. આ મેચ બે એવી ટીમો વચ્ચે છે, જે ફોર્મના બે સંપૂર્ણપણે વિરોધી તબક્કામાંથી પસાર થઈ રહી છે. હાર્દિક પંડ્યા (Hardik Pandya) ની કપ્તાનીમાં ગુજરાત ટાઇટન્સ સતત સફળતા હાંસલ કરી રહી છે, જ્યારે શ્રેયસ અય્યરની ટીમ કોલકાતા છેલ્લા કેટલાક સમયથી જીત માટે તલપાપડ છે. આવી સ્થિતિમાં, જ્યારે બંને ટીમો શનિવારે નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં ઉતરશે, ત્યારે તમામની નજર પ્લેઈંગ ઈલેવન (Playing XI Prediction) ની આગાહી કેવી રહેશે તેના પર હશે.

જો કે ગુજરાત ટાઇટન્સ સતત જીતી રહ્યું છે અને આવી સ્થિતિમાં તેને કોઈ ફેરફારની જરૂર જણાતી નથી. ટીમની બેટિંગ લાઇન અપમાં ઓપનિંગ અને ત્રીજા નંબરની સમસ્યા હજુ પણ યથાવત છે. મેથ્યુ વેડને ઓપનિંગમાં લેવાથી સારું પરિણામ ન આવ્યું અને ત્યારપછી છેલ્લી મેચમાં રિદ્ધિમાન સાહાને તક મળી, જેમાં તે વધારે કરી શક્યો ન હતો, પરંતુ તેમ છતાં તેને બીજી તક મળશે. સૌથી મોટી સમસ્યા ત્રીજા નંબરની છે, જ્યાં વિજય શંકરને ઘણી તક આપવામાં આવી હતી, પરંતુ કોઈ ફાયદો થયો ન હતો. આવી સ્થિતિમાં તેની જગ્યા સુરક્ષિત દેખાતી નથી.

હાર્દિક પંડ્યા પરત ફરશે

આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે ગુજરાત માટે કયા વિકલ્પો છે? જો છેલ્લી મેચની વાત કરીએ તો કેપ્ટન હાર્દિક પંડ્યાની ઈજાના કારણે અલઝારી જોસેફને તક આપવામાં આવી હતી. વેસ્ટ ઈન્ડિઝના પેસરે સારું પ્રદર્શન કર્યું હતું અને આવી સ્થિતિમાં તેને હટાવવો યોગ્ય નથી લાગતું. એટલે કે જો હાર્દિક ફિટ પરત ફરશે તો તે શંકરનું સ્થાન લેશે. પરંતુ તેનાથી ટીમની બેટિંગ ડેપ્થ નબળી પડી જાય છે. પછી બીજો વિકલ્પ અફઘાનિસ્તાનના બેટ્સમેન રહેમાનુલ્લા ગુરબાઝ છે, જે ઓપનર છે, પરંતુ ત્રીજા નંબર પર પણ રમી શકે છે. આવી સ્થિતિમાં અલઝારીને 4 વિદેશી ખેલાડીઓની મર્યાદા હેઠળ બહાર બેસવું પડશે.

બેટિંગમાં મુશ્કેલી, હજુ કોઈ ફેરફાર નથી

કોલકાતામાં સ્થિતિ વધુ મુશ્કેલ છે. બેટિંગથી લઈને બોલિંગ સુધી ટીમની હાલત ખરાબ છે. ઓપનિંગ બેટિંગમાં સારું નથી કરી રહી, જેના કારણે છેલ્લી મેચમાં વેંકટેશ ઐયરની જગ્યાએ સુનીલ નરેનને મોકલવામાં આવ્યો હતો. જોકે તે દાવ પણ ચાલ્યો નહોતો. જોકે, એરોન ફિન્ચે અડધી સદી ફટકારીને થોડી રાહત આપી હતી. આવી સ્થિતિમાં વેંકટેશ ફરી પાછા આવી શકે છે. સુકાની શ્રેયસ અય્યર સિવાય મિડલ ઓર્ડરમાં કોઈ ખાસ યોગદાન મળ્યું નથી. શ્રેયસ પણ ઉતાર-ચઢાવમાંથી પસાર થયો છે. તેમ છતાં, મર્યાદિત વિકલ્પોને કારણે અહીં ફેરફારની અપેક્ષા નથી.

કમિન્સના સ્થાને સાઉદીને તક!

સૌથી મોટો ફેરફાર બોલિંગમાં જોવા મળી શકે છે. અહીં ઓસ્ટ્રેલિયાના સુપરસ્ટાર ફાસ્ટ બોલર પેટ કમિન્સને પડતો મુકવામાં આવી શકે છે, જેની બોલિંગ ઘણી એવરેજ સાબિત થઈ છે અને રન પણ ગુમાવ્યા છે. તેના સ્થાને ટિમ સાઉથી લેવામાં આવી શકે છે, જેણે સિઝનની શરૂઆતમાં સારી બોલિંગ કરી હતી અને પાવરપ્લેમાં વિકેટો લીધી હતી. વરુણ ચક્રવર્તીનું ફોર્મ પણ ચિંતાનું કારણ છે, પરંતુ અહીં પણ વધારે વિકલ્પો નથી.

KKR vs GT સંભવિત પ્લેઇંગ XI

KKR: શ્રેયસ અય્યર (કેપ્ટન), એરોન ફિન્ચ, વેંકટેશ ઐયર, નીતિશ રાણા, આન્દ્રે રસેલ, શેલ્ડન જેક્સન (WK), સુનીલ નરેન, ટિમ સાઉથી, ઉમેશ યાદવ, શિવમ માવી અને વરુણ ચક્રવર્તી.

GT: હાર્દિક પંડ્યા (કેપ્ટન), શુભમન ગિલ, રિદ્ધિમાન સાહા (WK), ડેવિડ મિલર, અભિનવ મનોહર, રાહુલ તેવટિયા, અલઝારી જોસેફ/રહેમાનુલ્લા ગુરબાઝ, રાશિદ ખાન, મોહમ્મદ શમી, લોકી ફર્ગ્યુસન અને યશ દયાલ.

આ પણ વાંચો : IPL 2022: ચેન્નાઈ એ MS Dhoni ના દમ પર આઇપીએલમાં બનાવ્યો જબરદસ્ત રેકોર્ડ, મેચને અંતિમ બોલે જીતી લેવામાં માહિર

આ પણ વાંચો : MS Dhoni એ જયદેવ ઉનડકટની ઓવરમાં મચાવેલી ધમાલ બાદ થવા લાગી નિવૃત્તીથી પરત ફરવાની માંગ!

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">