AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PAK vs AUS: ઓેસ્ટ્રેલિયાના ઝડપી બોલરે પ્રવાસ પહેલા પાકિસ્તાનને આપ્યો ‘હાઇવોલ્ટ’ ઝટકો, કહ્યુ ખેલાડીઓ હટી જાય તો નવાઇ નહી

ઓસ્ટ્રેલિયાનો પાકિસ્તાન (Pakistan) નો પ્રવાસ માર્ચમાં યોજાનાર છે. આ પ્રવાસ પોતાનામાં ઐતિહાસિક બનવા જઈ રહ્યો છે કારણ કે 1998 પછી પહેલીવાર ઓસ્ટ્રેલિયન ટીમ પાકિસ્તાનની ધરતી પર પગ મૂકશે.

PAK vs AUS: ઓેસ્ટ્રેલિયાના ઝડપી બોલરે પ્રવાસ પહેલા પાકિસ્તાનને આપ્યો 'હાઇવોલ્ટ' ઝટકો, કહ્યુ ખેલાડીઓ હટી જાય તો નવાઇ નહી
Josh Hazlewood એ આ સનસની ભર્યુ નિવેદન આપ્યુ છે
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 02, 2022 | 12:25 PM
Share

પાકિસ્તાન ઓસ્ટ્રેલિયાની (Australia vs Pakistan) યજમાની કરવા આતુર છે. તેની ઉતાવળનું કારણ છે. આખરે 24 વર્ષ પછી ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ (Australian Cricket Team) પાકિસ્તાનમાં રમશે. પરંતુ, કાંગારૂ ટીમના આ ઐતિહાસિક પાકિસ્તાન પ્રવાસ પહેલા ઓસ્ટ્રેલિયન ટીમના બોલરનું નિવેદન ચર્ચામાં આવ્યું છે. પાકિસ્તાન પ્રવાસ અંગે આકરા નિવેદન આપતાં તેણે કહ્યું છે કે જો ખેલાડીઓ સુરક્ષા કારણોસર આ પ્રવાસમાંથી ખસી જાય તો તેમને આશ્ચર્ય થશે નહીં. આ સનસનીખેજ નિવેદન ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર જોશ હેઝલવુડે (Josh Hazlewood) આપ્યું છે.

ઓસ્ટ્રેલિયાનો પાકિસ્તાનનો પ્રવાસ માર્ચમાં યોજાનાર છે. આ પ્રવાસ પોતાનામાં ઐતિહાસિક છે કારણ કે 1998 પછી પહેલીવાર ઓસ્ટ્રેલિયન ટીમ પાકિસ્તાનની ધરતી પર પગ મૂકશે. આ પ્રવાસ 3 ટેસ્ટ, 3 ODI અને 1 T20 માટે હશે. ટેસ્ટ શ્રેણી 3 માર્ચથી 25 માર્ચ સુધી પાકિસ્તાનના 3 શહેરો કરાંચી, રાવલપિંડી અને લાહોરમાં રમાશે. વ્હાઇટ બોલ સિરીઝ લાહોરમાં 29 માર્ચથી 5 એપ્રિલ સુધી રમાશે.

ખેલાડીઓ પાકિસ્તાન પ્રવાસમાંથી ખસી જાય તો નવાઈ નહીં: હેઝલવુડ

ઓસ્ટ્રેલિયન મીડિયા અહેવાલ મુજબ જોશ હેઝલવુડે વાતચીતમાં જણાવ્યું હતું કે, “ક્રિકેટ ઓસ્ટ્રેલિયા પાકિસ્તાન પ્રવાસને લઈને ખેલાડીઓનો આત્મવિશ્વાસ જાળવી રાખવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ જો હજુ પણ કેટલાક ખેલાડીઓ પ્રવાસ કરવાનો ઇનકાર કરશે તો મને તેનાથી આશ્ચર્ય થશે નહીં. આ વાત પણ સાચી છે કારણ કે ખેલાડીઓના પણ પરિવાર હોય છે.

હેઝલવુડ હવે તેની ઈજાથી સ્વસ્થ થયો

જોશ હેઝલવુડ ઈજાના કારણે એશિઝ શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો. ઈજાના કારણે તે આ શ્રેણીની 4 મેચમાં રમી શક્યો ન હતો, જેનો તેને અફસોસ છે. જો કે હવે તે આ ઈજામાંથી સાજો થઈ ગયો છે. તેણે એશિઝ શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાની 4-0 થી જીત પર ખુશી વ્યક્ત કરી હતી. પરંતુ, તે જ સમયે, ઈજાના કારણે, તે જ્યારે તે શ્રેણીમાંથી બહાર હતો ત્યારે તે થોડો નિરાશ પણ હતો.

આ પણ વાંચોઃ IND vs WI: અમદાવાદ પહોંચી વેસ્ટ ઇન્ડિઝની ક્રિકેટ ટીમ, પોલાર્ડ સહિતના કેરિબયન ખેલાડીઓ 3 દિવસ ક્વોરન્ટાઇન રહેશે

આ પણ વાંચોઃ IPL 2022: હાર્દિક પંડ્યાએ કહ્યુ, ધોની, કોહલી અને રોહિત શર્મા જેવી કેપ્ટનશીપ કરીશ, સૌને દંગ રાખી દઇશ

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">