સતત ટ્રોલ થઈ રહ્યો હતો ત્યારે હાર્દિક પંડ્યાએ લીધો હતો આ નિર્ણય, ઈશાન કિશને કર્યો મોટો ખુલાસો

|

Jul 08, 2024 | 6:43 PM

T20 વર્લ્ડ કપ 2024માં હાર્દિક પંડ્યાએ શાનદાર ઓલરાઉન્ડ રમત બતાવી અને ટીમ ઈન્ડિયાને જીત અપાવી. આ ખેલાડીએ ફાઇનલમાં 3 વિકેટ લઈને ટીમ ઈન્ડિયાને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું હતું. આ દરમિયાન ઈશાન કિશને હાર્દિક પંડ્યાને લઈને મોટો ખુલાસો કર્યો છે.

સતત ટ્રોલ થઈ રહ્યો હતો ત્યારે હાર્દિક પંડ્યાએ લીધો હતો આ નિર્ણય, ઈશાન કિશને કર્યો મોટો ખુલાસો
Hardik Pandya & Ishan Kishan

Follow us on

આજે આખી દુનિયા હાર્દિક પંડ્યાનું નામ આદરથી લઈ રહી છે, આ ખેલાડીએ T20 વર્લ્ડ કપ 2024માં શાનદાર પ્રદર્શન કરીને ટીમ ઈન્ડિયાને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું છે. આજે હાર્દિક પંડ્યાનું દરેક જગ્યાએ જોરદાર સ્વાગત થઈ રહ્યું છે પરંતુ T20 વર્લ્ડ કપ પહેલા વાતાવરણ અલગ હતું.

IPL દરમિયાન સતત ટ્રોલ થયો હાર્દિક

લાખો ભારતીય ચાહકો હાર્દિક પંડ્યાને ટ્રોલ કરી રહ્યા હતા કારણ કે તે રોહિત શર્માની જગ્યાએ મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બન્યો હતો. લાઈવ મેચોમાં હાર્દિક પંડ્યા સામે ‘બૂ-બૂ’ની બૂમો પડી રહી હતી અને તે હંમેશા હસતો રહેતો હતો. પરંતુ હાર્દિક પંડ્યા દર્શકોના વર્તનથી ખૂબ ગુસ્સે થયો હતો અને ઈશાન કિશને તેના દિલમાં શું ચાલી રહ્યું હતું તેનો ખુલાસો કર્યો હતો.

પંડ્યાએ શું નિર્ણય લીધો હતો?

ઈશાન કિશને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, હાર્દિક પંડ્યા T20 વર્લ્ડ કપમાં સારૂ પ્રદર્શન કરવા માંગતો હતો. હાર્દિકે કહ્યું હતું કે એકવાર પરફોર્મન્સ સારું આવશે, તે પછી જે લોકો આજે અપશબ્દો બોલે છે તે જ તાળીઓ પાડશે. હાર્દિકે વર્લ્ડ કપમાં કમાલ પ્રદર્શન કરી આ વાતને સાચી સાબિત કરી હતી.

51 વર્ષ બાદ અમિતાભ-જયાના લગ્નનું કાર્ડ થયું વાયરલ, આમિર ખાને ફેન્સને ચોંકાવ્યા
જાયફળનું સેવન કરવાથી થાય છે જબરદસ્ત ફાયદા
ગુજરાતી સિંગર જયકર ભોજક ગરબાનો બાદશાહ છે
ભાગવતમાં જણાવ્યું છે, બાળક ગર્ભમાં હોય ત્યારે માતાએ આ 5 કામ અવશ્ય કરવા
શરીરમાં લોહીના ટકા ઓછા હોય તો શું કરવું? ડૉક્ટર પાસેથી જાણો
Green Methi Leaves : શિયાળાની સિઝનમાં લીલી મેથીની લઈ લો મજા! વિટામીનથી ભરપૂર

ઈશાન ટીમ ઈન્ડિયાની બહાર

ઈશાન કિશન ગયા વર્ષથી ટીમ ઈન્ડિયાની બહાર છે. માનસિક થાકને કારણે કિશને અચાનક દક્ષિણ આફ્રિકાથી પરત ફરવાનું નક્કી કર્યું હતું. જ્યારે ઈશાન મુશ્કેલીમાં હતો ત્યારે તે હાર્દિક પંડ્યા પાસે ગયો હતો. તેણે પંડ્યા સાથે ટ્રેનિંગ કરી અને જ્યારે હાર્દિક વર્લ્ડ ચેમ્પિયન બની પાછો ભારત ફર્યો ત્યારે ઈશાન તેને મળ્યો હતો.

શું હાર્દિક ઈશાનને ટીમમાં સ્થાન આપશે?

રસપ્રદ વાત એ છે કે ઈશાન કિશન હાલમાં ટીમ ઈન્ડિયામાંથી બહાર છે, પરંતુ જ્યારે હાર્દિક પંડ્યા T20 કેપ્ટન બનશે, જે નિશ્ચિત છે કે તે બનશે, તો શક્ય છે કે આ વિકેટકીપર વાપસી કરી શકે. રોહિત શર્માએ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લઈ લીધી છે અને હવે ટીમની કમાન હાર્દિક પંડ્યાના હાથમાં આવી શકે છે, આવી સ્થિતિમાં ઈશાન કિશન ટીમમાં પ્રવેશ કરી શકે છે. પણ સવાલ એ છે કે ક્યારે?

આ પણ વાંચો: VIDEO: MS ધોનીના માતા-પિતાએ રાંચીમાં કેક અને મીઠાઈ વહેંચી, ચાહકોએ કહ્યું – ‘ભગવાન’નો પ્રસાદ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article