IPL 2022: પેટ કમિન્સના તોફાનને જોઈ વિરેન્દ્ર સેહવાગે ‘ભૂલ બદલ માફી’ કહી મુંબઈ ઈન્ડિયન્સની અલગ અંદાજમાં લઈ લીધી ફીરકી!

|

Apr 07, 2022 | 9:53 AM

પેટ કમિન્સ (Pat Cummins) કેસમાં એક વાત એ હતી કે સેહવાગે જે કરેક્શન કર્યું હતું તે માત્ર ટ્વીટમાં જ રાખવામાં આવ્યું ન હતું, પરંતુ તેણે કરેલી ભૂલને પણ ડિલીટ કરી નહોતી.

IPL 2022: પેટ કમિન્સના તોફાનને જોઈ વિરેન્દ્ર સેહવાગે ભૂલ બદલ માફી કહી મુંબઈ ઈન્ડિયન્સની અલગ અંદાજમાં લઈ લીધી ફીરકી!
Pat Cummins એ 6 છગ્ગાવાળી ઈનીંગ રમીને તોફાન મચાવ્યુ હતુ

Follow us on

ભારતના ભૂતપૂર્વ વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સેહવાગ (Virender Sehwag) તેના હાજર જવાબી અને નિવેદનબાજી માટે જાણીતો છે. સોશિયલ મીડિયા પર તેના વિચારો પણ લોકોનું ધ્યાન ખેંચે છે. પરંતુ, કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) ના ખેલાડી પેટ કમિન્સ (Pat Cummins) માટે આવું કંઈક કહેતી વખતે તેણે પોતાની એક ભૂલ ગણાવી લીધી અને તેને સુધારી લેતો હોય એ અંદાજમાં મુંબઈની ટીમની ફીરકી લીધી. સેહવાગ સોશિયલ મીડિયા પર જે કહે છે અથવા લખે છે તે તેના ચાહકોની નજરમાંથી છટકી શકતો નથી. પેટ કમિન્સ ના મામલામાં એક વાત એવી બની હતી કે સેહવાગે જેનુ કરેક્શન કર્યું હતું. તે કરેક્શન પહેલા અને બાદની એમ બંને ટ્વીટ વડે ચાહકો સમક્ષ મજા લીધી છે અને તેનો આ અંદાજ પણ IPL ફેન્સને ખૂબ પસંદ પડ્યો છે.

કોલકાતા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચ બાદ સેહવાગે પેટ કમિન્સ વિશે ટ્વીટ કર્યું હતું. તમને આ ટ્વિટ વિશે જણાવતા પહેલા જાણી લો કે સેહવાગે આ ટ્વિટ કરવાની જરૂર કેમ પડી? તો સેહવાગનું આ ટ્વીટ કરવાનું કારણ મેચમાં પેટ કમિન્સનું પ્રદર્શન હતું, જેના કારણે મુંબઈ ઈન્ડિયન્સને IPL 2022 માં સતત ત્રીજી હાર મળી હતી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

મુંબઈ ઈન્ડિયન્સ સામે પેટ કમિન્સનુ તોફાન

પેટ કમિન્સે મુંબઈ ઈન્ડિયન્સ સામે 15 બોલમાં 56 રનની અણનમ અને વિસ્ફોટક ઈનિંગ રમી હતી. 373 થી વધુના સ્ટ્રાઈક રેટથી રમાયેલી આ ઈનિંગમાં માત્ર 4 ચોગ્ગા સામેલ હતા પરંતુ 6 છગ્ગા સામેલ હતા. કમિન્સે 19 મિનિટમાં એવી ધૂમ મચાવી દીધી કે આખું દ્રશ્ય ક્યારે મુંબઈ ઈન્ડિયન્સની હાર અને કોલકાતા નાઈટ રાઈડર્સની જીતમાં ફેરવાઈ ગયું, ખબર જ ન પડી.

સેહવાગનું ટ્વિટ અને કરેક્શન!

પેટ કમિન્સની આક્રમકતા જોયા પછી, વીરેન્દ્ર સેહવાગે એક ટ્વિટ કર્યું, જેમાં તેની એક ભૂલ થઈ ગઈ છે એમ ગણાવીને માફી માગ્યા બાદ તેણે પોતાની ભૂલ સુધારી હોવાનુ કહ્યુ. તેણે તેના ટ્વીટમાં અગાઉ લખ્યું હતું – મોંમાંથી કોળીયો છીનવી લીધો. પછી તેને મુંબઈની ટીમનો અંગેનો વિચાર કરીને ટ્વીટમાં સોરી કહીને કોળીયાને બદલે ‘વડા પાવ’ કહ્યું.

સેહવાગે પોતાના ટ્વીટના અંતમાં રોહિતના ચાહકો માટે એક સંદેશ પણ છોડ્યો અને તે હતો – “ઠંડા રહો, તમે રોહિત શર્માની બેટિંગના જેટલા મોટા ચાહક છો, તેનાથી વધારે હું છું.”

 

આ પણ વાંચો : IPL 2022: મુંબઈ સામે Pat Cummins એ બેટ વડે મચાવી દીધી ધમાલ, 14 બોલમાં અડધી સદી ફટકારી નોંધાવી દીધા વિક્રમ

આ પણ વાંચો : Sabarkantha: હિંમતનગરમાં કોંગ્રેસ, પાટીદાર અને રાજપૂત અગ્રણીઓ ભાજપમાં જોડાયા, સીઆર પાટીલે કરાવ્યા કેસરીયા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

 

 

Published On - 8:17 am, Thu, 7 April 22

Next Article