AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: 5 ટીમો વચ્ચે બે ગ્રુપ બનાવવામાં આવ્યા, દરેક ટીમ 14 લીગ મેચ રમશે, જાણો સમગ્ર માહિતી

આઈપીએલ 2022 માં કુલ 10 ટીમોને બે ગ્રુપમાં વહેચી નાખવામાં આવી છે. 10 ટીમો વચ્ચે કુલ 74 મેચ રમાશે. જેમાં 10 ટીમો 14 લીગ મેચ રમશે.

IPL 2022: 5 ટીમો વચ્ચે બે ગ્રુપ બનાવવામાં આવ્યા, દરેક ટીમ 14 લીગ મેચ રમશે, જાણો સમગ્ર માહિતી
Rohit Sharma and MS Dhoni (PC: IPL)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 25, 2022 | 4:42 PM
Share
ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ શુક્રવારે જાહેરાત કરી છે કે આઈપીએલ 2022 (IPL 2022) માં હવે 10 ટીમો રમશે અને આ 10 ટીમો વચ્ચે કુલ 74 મેચ રમાશે. જેમાં 10 ટીમો 14 લીગ મેચ રમશે. જેમાં દરેક ટીમ પાંચ ટીમો સામે બે મેચ રમશે અને ચાર ટીમો સામે 1-1 મેચ રમશે. આઈપીએલ 2022 માં કુલ 10 ટીમોને બે ગ્રુપમાં વહેચી નાખવામાં આવી છે. મુંબઈ ઈન્ડિયન્સ, કોલકાતા નાઇટ રાઇડર્સ, રાજસ્થાન રોયલ્સસ, દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સને ગ્રુપ A માં રાખવામાં આવ્યા છે. જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સને ગ્રુપ B માં રાખવામાં આવ્યા છે.

આ પહેલા 8 ટીમોને ટુર્નામેન્ટમાં ગ્રુપ વગર ડબલ રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમાડવામાં આવતી હતી. જેમાં દરેક ટીમ અન્ય ટીમો સામે 2-2 મેચ રમી હતી. પણ આ સિઝનમાં 2 નવી ટીમોનો સમાવેશ થવાના કારણે આ બદલાવ થયો છે.  બંને ગ્રુપને સીડિંગ સિસ્ટમના આધાર પર બનાવવામાં આવ્યા છે. જેમાં ટીમોને એ આધાર પર રાખવામાં આવી છે કે તે કેટલીવાર ચેમ્પિયન બની છે અને કેટલીવાર ફાઇનલ રમી છે.

ઉદાહરણ તરીકે કોલકાતા નાઇટ રાઇડર્સ પોતાના ગ્રુપમાં મુંબઈ, રાજસ્થાન, દિલ્હી અને લખનૌ સામે 2-2 મેચ રમશે. તો બીજા ગ્રુપમાં સમાન પંક્તિવાળી ટીમ હૈદરાબાદ સામે 2 મેચ રમશે. તો ચેન્નઈ, બેંગ્લોર, પંજાબ અને ગુજરાત સામે 1-1 મેચ રમશે.

આ સિઝનમાં કુલ 70 લીગ મેચ રમાડવામાં આવશે. જેમાં 55 મેચ મુંભઈમાં અને 15 મેચ પુણેમાં રમાશે. આઈપીએલ 2022 ની 20 મેચ વાનખેડે સ્ટેડિયમમાં, 15 મેચ બ્રેબોર્ન સ્ટેડિયમ, 20 મેચ ડી.વાઈ. પાટિલ સ્ટેડિયમ અને 15 મેચ મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિશેનના સ્ટેડિયમમાં રમાશે. દરેક ટીમ વાનખેડે સ્ટેડિયમ અને ડી.વાઈ. પાટિલ સ્ટેડિયમમાં 4-4 મેચ, તો 3-3 મેચ બ્રેબોર્ન સ્ટેડિયમ અને પુણે મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સ્ટેડિયમમાં રમાશે.

Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">