AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : ધોની સાથે CSKની ટિમ IPLની પ્રેક્ટિસ માટે સુરત આવશે, પણ સુરતીઓને સ્ટેડિયમમાં NO ENTRY

ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમ આગામી 2 માર્ચથી સુરત આવશે, ક્રમશઃ તમામ પ્લેયરો 2 માર્ચથી સુરત પહોંચવાની શરૂઆત થઇ જશે, અને 4 દિવસ કવોરન્ટાઇન રહ્યા બાદ 7 માર્ચથી પ્રેકટીસ શરૂ કરશે. જોકે સુરતીઓ આ મેચ નિહાળી નહીં શકે કારણ કે તેમને સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં નહીં આવે. 

Surat : ધોની સાથે CSKની ટિમ IPLની પ્રેક્ટિસ માટે સુરત આવશે, પણ સુરતીઓને સ્ટેડિયમમાં NO ENTRY
CSK team to come to Surat with Dhoni for IPL practice, but NO ENTRY
| Updated on: Feb 25, 2022 | 12:17 PM
Share

આગામી માર્ચ મહિનાનાં અંતમાં શરૂ થવા જઇ રહેલી આઇપીએલ(IPL) માટે વિવિધ ટીમો દ્વારા પ્રેકીટસ સેશન શરૂ કરવામાં આવશે . જેમાં સૌ પ્રથમ વખત ચેન્નાઇ સુપર કિંગ્સની(CSK) ટીમ દ્વારા પ્રેકટીસ માટે સુરતનાં લાલભાઇ ક્રિકેટ સ્ટેડીયમ ઉપર પસંદગી ઉતારી છે . આગામી 2 માર્ચ બાદ સુરતના (Surat )લાલભાઈ સ્ટેડિયમ પર 25 પ્લેયરો, 15 નેટ બોલર, સહિત કુલ 86 વ્યકિતનો કાફલો સુરતના મહેમાન બનશે. અને લગભગ 21 માર્ચ સુધી રોજ લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમ ઉપર બાયો બબલનાં નિયમો પાળવાની સાથે પ્રેકટીસ કરશે.

સુરતની પીચ લાલ માટીમાંથી બનતી હોવાથી ચેન્નાઇની ટીમે સુરતમાં પ્રેકટીસ કરવાનું પસંદ કર્યું છે. સુરત ડિસ્ટ્રિક્ટક્રિકેટ એસોસિએશનના હેમંત કોન્ટ્રાક્ટરે માહિતી આપતા જણાવ્યું હતુ કે ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમ આગામી 2 માર્ચથી સુરત આવશે, ક્રમશઃ તમામ પ્લેયરો 2 માર્ચથી સુરત પહોંચવાની શરૂઆત થઇ જશે, અને 4 દિવસ કવોરન્ટાઇન રહ્યા બાદ 7 માર્ચથી પ્રેકટીસ શરૂ કરશે. જોકે સુરતીઓ આ મેચ નિહાળી નહીં શકે કારણ કે તેમને સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં નહીં આવે.

આ અંગે ક્રિકેટ સેક્રેટરી નિમેષ દેસાઇએ જણાવ્યું હતુ કે સુરતની પીચ લાલ માટીમાંથી તૈયાર કરવામાં આવે છે અને અમદાવાદ મોટેરા અને મુંબઇના ક્રિકેટ મેદાનમાં પણ લાલ માટીની પીચ જ હોય છે . જેથી ચેન્નાઇ સુપર કિંગ્સની મેનેજમેન્ટ ટીમ અને એક્સપર્ટ દ્વારા સુરતની પીચ અને વ્યવસ્થાની ચકાસણી થોડા સમય પહેલા કરવામાં આવી હતી . જે તમામ વ્યવસ્થા જોયા બાદ આખરે ચેન્નાઇ સુપર કિંગ્સના મેનેજમેન્ટ દ્વારા પ્રેકટીસ સેશન સુરતમાં રાખવાનું નક્કી કર્યું છે.

ટીમનાં મહેન્દ્રસિંહ ધોની, રવિન્દ્ર જાડેજા, ઋતુરાજ ગાયકવાડ સહિતનાં 25 જેટલા પ્લેયરો, 15 નેટ બોલર , બેટીંગ અને બોલીગં કોચ, ફિઝીયોની ટીમ સહિત કુલ 86 વ્યકિતનો સ્ટાફ ડુમસરોડની એક ખાનગી હોટલમાં રોકાણ કરશે, અને બાયોબબલમાં જ રહેવા તેમજ પ્રેકટીસ કરશે. ચેન્નાઇની ટીમ દ્વારા પ્લેયરોની અવર – જવર માટે ખાસ વાહન વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. તેમજ પ્રેકટીસ દરમિયાન ગ્રાઉન્ડ ઉપર પણ કોઇપણ પ્રકારનો લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમનો સ્ટાફ પણ જઇ શકશે નહીં. દરમિયાન ખેલાડીઓ દ્વારા પ્રેક્ટિસ મેચનું પણ આયોજન કરવામાં આવશે.

તેમજ પ્લેયર ઇજાગસ્ત થાય તો તેમના માટે મહાવીર અને સનસાઇન હોસ્પિટલમાં પણ ખાસ બાયોબબલ ઉભા કરીને સારવાર માટે ખસેડવામાં આવે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. સુરતમાં 7 માર્ચથી 22 માર્ચ સુધી ચેન્નાઇ સુપર કિંગ્સ લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે પ્રેક્ટિસ કરશે. ત્યાર બાદ તેઓ મેચના શિડ્યુલ પ્રમાણે આઇપીએલની મેચ રમવા ટીમ રવાના થશે.

આ પણ વાંચો :

Surat : ઉદ્ઘાટન પહેલા જ પુણા ગામનું લેક ગાર્ડન બન્યું અસામાજિક તત્વોનો અડ્ડો, સ્થાનિકોમાં આક્રોશ

Surat : ઉધના રેલવે સ્ટેશનનું કાયાકલ્પ કરી દેવાયું, રેલ રાજ્ય મંત્રી ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપશે

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">