AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022 પર જય શાહની મોટી જાહેરાત, BCCI સેક્રેટરીએ બતાવ્યુ ઇન્ડિયન પ્રિમીયર લીગની 15મી સિઝન ક્યારે શરૂ થશે?

શનિવારે 22 જાન્યુઆરીએ BCCI અને લીગની તમામ 10 ફ્રેન્ચાઇઝીના માલિકો વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં લીગની નવી સિઝનની તારીખ અને મેગા ઓક્શન અંગે ચર્ચા કરવામાં આવી હતી.

IPL 2022 પર જય શાહની મોટી જાહેરાત, BCCI સેક્રેટરીએ બતાવ્યુ ઇન્ડિયન પ્રિમીયર લીગની 15મી સિઝન ક્યારે શરૂ થશે?
Jay Shah એ IPL 2022 ની શરુઆત થવાને લઇ કર્યુ નિવેદન
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 22, 2022 | 10:18 PM
Share

IPL 2022 Season Date: ભારતીય પ્રીમિયર લીગ (IPL 2022) ની 15મી સીઝન પર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે. 22 જાન્યુઆરી શનિવારના રોજ બોર્ડ અને IPL ફ્રેન્ચાઇઝીના માલિકો વચ્ચે યોજાયેલી બેઠકમાં ટૂર્નામેન્ટના સંગઠનને લઈને ચર્ચા બાદ ખાસ જાહેરાત કરવામાં આવી હતી, જેમાં ટૂર્નામેન્ટની શરૂઆત સૌથી મહત્વપૂર્ણ છે. બોર્ડના સેક્રેટરી જય શાહે (Jay Shah) જાહેરાત કરી છે કે ટુર્નામેન્ટ માર્ચના અંતમાં શરૂ થશે. આ સાથે શાહે એમ પણ કહ્યું છે કે તમામ ફ્રેન્ચાઇઝી લીગની 15મી સીઝનનું દેશમાં જ આયોજન કરવા માંગે છે અને બોર્ડ તેના માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. BCCI સેક્રેટરીએ મોટી હરાજી પર લેવાયેલા નિર્ણય વિશે પણ જણાવ્યું.

શનિવારે બોર્ડ અને ફ્રેન્ચાઇઝી માલિકો વચ્ચે વર્ચ્યુઅલ મીટિંગ થઈ હતી, જેમાં લાંબી ચર્ચા થઈ હતી. આ બેઠક બાદ બોર્ડ સેક્રેટરી શાહે પત્રકારોને સત્તાવાર પ્રેસનોટ દ્વારા જાહેરાત કરી હતી. ન્યૂઝ એજન્સીએ જય શાહને ટાંકીને કહ્યું, “મને એ વાતની પુષ્ટિ કરતા આનંદ થાય છે કે આઈપીએલની 15મી સીઝન માર્ચના છેલ્લા સપ્તાહમાં શરૂ થશે અને મેના અંત સુધી ચાલશે. મોટા ભાગના ટીમ માલિકોએ ઈચ્છા વ્યક્ત કરી છે કે આ ટુર્નામેન્ટ ભારતમાં જ યોજાય.

BCCI ભારતમાં આયોજન કરવા માટે પ્રતિબદ્ધ

આઇપીએલનું આયોજન સંયુક્ત આરબ અમીરાતમાં સતત બે સીઝન માટે કરવામાં આવ્યું છે. 2020 માં, આખી સિઝન UAEમાં રમાઈ હતી, જ્યારે ટૂર્નામેન્ટ ગયા વર્ષે ભારતમાં શરૂ થઈ હતી, પરંતુ તેને અડધીમાં જ રોકવી પડી હતી. આવી સ્થિતિમાં બોર્ડ પોતે જ દેશમાં સંગઠિત થવાની આશા સેવી રહ્યું છે.

આ અંગે વિસ્તૃત માહિતી આપતા શાહે જણાવ્યું હતું કે, “BCCI 2022ની સિઝન ભારતમાં અમદાવાદ અને લખનૌના રૂપમાં બે નવી ટીમો સાથે આયોજિત કરવા આતુર છે. હું તમને કહી શકું છું કે આઈપીએલ ભારતમાં રમાય તે સુનિશ્ચિત કરવા માટે અમે કોઈ કસર છોડીશું નહીં.”

આ પણ વાંચોઃ Sabarkantha: હિંમતનગરની કામધેનુ યુનિવર્સીટી કચ્છ-ભુજ ખસેડવાની હિલચાલથી સ્થાનિકોમાં રોષ, શરુ થયુ આંદોલન

આ પણ વાંચોઃ IPL 2022: શ્રીસંત ફરીથી ધૂમ મચાવવા તૈયાર, મેગા ઓક્શન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું, આટલી રાખી બેઝ પ્રાઇસ 

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">