IPL 2022 : સુકાની બનતા જ ધોનીએ રવિન્દ્ર જાડેજા પર આપ્યું મહત્વનું નિવેદન, કહી આ ખાસ વાત

IPL 2022 : કેપ્ટન બનતાની સાથે જ ધોની (MS Dhoni) એ ચેન્નઈ ટીમને જીતના ટ્રેક પર લાવી દીધી. ચેન્નઈએ 13 રને સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમને માત આપી અને સિઝનની ત્રીજી જીત મેળવી.

IPL 2022 : સુકાની બનતા જ ધોનીએ રવિન્દ્ર જાડેજા પર આપ્યું મહત્વનું નિવેદન, કહી આ ખાસ વાત
MS Dhoni and Ravindra Jadeja (PC: Twitter)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 02, 2022 | 9:26 AM

ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) ની કેપ્ટનશીપ ફરીથી મેળવ્યા બાદ જીત સાથે શરૂઆત કરનાર મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) એ કહ્યું કે તેણે કંઈ અલગ રીતે કર્યું નથી કારણ કે કેપ્ટન બદલવાથી બદલાવની જરૂર નથી. ધોનીએ કહ્યું, “અમારો સ્કોર સારો હતો અને બોલરોએ પણ સારું પ્રદર્શન કર્યું હતું. ખાસ કરીને સાતમી અને 14મી ઓવરની વચ્ચે સ્પિનરોનું પ્રદર્શન ઘણું સારું રહ્યું. જે જીતની ચાવી સાબિત થયું. તમને જણાવી દઇએ કે ચેન્નઈ ટીમે 13 રને સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવીને સિઝનની ત્રીજી જીત મેળવી હતી.

રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ના કેપ્ટનશિપ છોડવાના સવાલ પર તેણે કહ્યું, “રવિન્દ્ર જાડેજાને છેલ્લી સિઝનમાં જ ખબર હતી કે તે આ સિઝનમાં કેપ્ટન રહેશે. પ્રથમ 2 મેચમાં મેં તેનું કામ કર્યું. પરંતુ બાદમાં તેને કેપ્ટન તરીકે નિર્ણયો લેવા કહ્યું. મેં તેને કહ્યું કે હવે તે કેપ્ટન છે અને તેણે નિર્ણય લેવાનો છે અને તેની જવાબદારી પણ. તેની સાથે આવું જ થયું. તેની તૈયારી પર અસર પડી હતી અને તે પહેલાની જેમ બેટ અને બોલથી રમી શક્યો ન હતો.”

અમારે મુશ્કેલ પરિસ્થિતિઓમાં સારૂ રમતા શીખવું પડશેઃ કેન

તો બીજી તરફ સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) ના કેપ્ટન કેન વિલિયમસન (Kane Williamson) એ કહ્યું કે, “તેની ટીમે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં સારું પ્રદર્શન કરવાની હિંમત શીખવી પડશે. ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમે 2 વિકેટે 202 રન બનાવ્યા હતા. જેના જવાબમાં સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમ 13 રનથી પાછળ રહી ગઈ હતી. સુકાની કેન વિલિયમસને કહ્યું, “200 રનનો લક્ષ્યાંક હાંસલ કરવો હંમેશા પડકારજનક હોય છે. રુતુરાજ ગાયકવાડ અને ડેવિડ કોન્વેએ ઘણી સારી બેટિંગ કરી. અમારે મુશ્કેલ પરિસ્થિતિઓમાં સારું રમતા શીખવું પડશે.”

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

ચેન્નઇની જીતનો હિરો બન્યો રુતુરાજ

ચેન્નઈની જીતમાં રુતુરાજ ગાયકવાડ (Ruturaj Gaikwad) નો સિંહ ફાળો રહ્યો હતો. ટીમના ઓપનર રુતુરાજ ગાયકવાડે ફરી એકવાર ફોર્મમાં પરત ફર્યો હતો. તેણે આ મેચમાં 99 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે સચિન તેંડુલકર (Sachin Tendulkar) ના એક મોટા રેકોર્ડની બરાબરી કરી લીધી છે.

રુતુરાજે સચિનના રેકોર્ડની બરોબરી કરી

રુતુરાજ ગાયકવાડે IPL ની કારકિર્દીમાં 1000 રન પૂરા કર્યા છે. તેણે 31 મી ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. આ સાથે તે સચિન તેંડુલકર સાથે સૌથી ઝડપી 1000 રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. ગાયકવાડે ભૂતપૂર્વ ચેન્નઈ સુપર કિંગ્સ ટીમના બેટ્સમેન સુરેશ રૈના (34 ઇનિંગ્સ), દેવદત્ત પડિકલ (35 ઇનિંગ), ઋષભ પંત (35 ઇનિંગ), ગૌતમ ગંભીર (36 ઇનિંગ), રોહિત શર્મા, એમએસ ધોની અને અજિંક્ય રહાણે (37 ઇનિંગ) ને પાછળ છોડી દીધા છે.

આ પણ વાંચો : IPL 2022: રવિન્દ્ર જાડેજાએ જેને 1 મેચ રમાડી બહાર રાખ્યો તેને ધોનીએ ઈલેવનમાં સમાવ્યો, ચેન્નાઈની જીતમાં એણે જ જમાવી દીધો રંગ

આ પણ વાંચો : IPL 2022 : 99 રનની ઇનિંગ રમનાર ગાયકવાડે ધોની-રોહિતને પાછળ છોડી દીધા, સચિનના રેકોર્ડની બરાબરી કરી

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">