AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022 Mega Auction: હરાજીમાં ભાગ લેવા માટે BCCI એ કોવિડના નવા નિયમો બનાવ્યા, જાણો

IPL 2022 ની મેગા ઓક્શન માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. બીસીસીઆઈએ કોવિડના સમયગાળા દરમિયાન યોજાનારી આ હરાજી અંગે કેટલાક નિયમો બનાવ્યા છે.

IPL 2022 Mega Auction: હરાજીમાં ભાગ લેવા માટે BCCI એ કોવિડના નવા નિયમો બનાવ્યા, જાણો
IPL Auction ને લઇ કોવિડ ગાઇડ લાઇન બીસીસીઆઇ એ જારી કર્યા છે.
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 11, 2022 | 9:26 AM
Share

IPL 2022 મેગા ઓક્શનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. BCCI એ હરાજી (IPL 2022 Mega Auction) માટે 590 ખેલાડીઓની અંતિમ યાદી બહાર પાડી છે અને બેંગલુરુમાં આ બે દિવસીય હરાજીમાં કુલ 590 ખેલાડીઓ ભાગ લેશે. આ હરાજી 12 અને 13 ફેબ્રુઆરીએ યોજાશે. આ બે દિવસીય હરાજીમાં, 10 ફ્રેન્ચાઇઝીના સભ્યો પોતાના માટે ટીમ પસંદ કરશે. હરાજીમાં ફ્રેન્ચાઇઝી વતી ટીમના માલિકો અને કોચિંગ સ્ટાફના સભ્યો હાજર રહે તેવી શક્યતા છે. બીસીસીઆઈએ આ હરાજી અંગે કોવિડ (IPL New Covid Rule) સંબંધિત નિયમો પણ બનાવ્યા છે.

હરાજી માટે 1,214 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું પરંતુ BCCI એ શોર્ટલીસ્ટ કરી અન્ય ખેલાડીઓને કાપી નાખ્યા છે. શોર્ટલિસ્ટ કરાયેલા ખેલાડીઓમાંથી કુલ 370 ભારતીય ખેલાડીઓ છે જ્યારે 220 વિદેશી ખેલાડીઓ છે.

બીસીસીઆઈ માટે કોવિડના સમયમાં લીગનું આયોજન કરવું એક પડકારજનક છે, લીગ જ નહીં, આ મહામારીને કારણે લોકોને એક જગ્યાએ એકઠા કરવા પણ એક પડકાર છે જેનો બીસીસીઆઈને હરાજી દરમિયાન સામનો કરવો પડશે. તેથી બોર્ડે IPL 2022 હરાજી માટે નવા કોવિડ નિયમો જાહેર કર્યા છે. આ નિયમો શું છે અમે તમને જણાવી રહ્યા છીએ.

આઇપીએલ 2022 હરાજી માટે નવા કોવિડ નિયમો

  1. તમામ ફ્રેન્ચાઈઝીઓએ 4 ફેબ્રુઆરી સુધીમાં હરાજીમાં ભાગ લેનારા લોકોના નામ મોકલવાના હતા.
  2. તમામ 10 ફ્રેન્ચાઈઝીના મળીને 80 થી વધુ લોકો હરાજીમાં ભાગ લઈ શકશે નહીં.
  3. કુલ સંખ્યા 80 થાય ત્યાં સુધી મહત્તમ માત્ર 10 ખેલાડીઓ જ ફ્રેન્ચાઈઝીથી ભાગ લઈ શકે છે.
  4. હરાજીમાં ભાગ લેનારાઓએ 11 ફેબ્રુઆરીએ બપોરે 12 વાગ્યા સુધીમાં બેંગલુરુ પહોંચવાનું રહેશે.
  5. ફ્રેન્ચાઇઝીમાં વિદેશી લોકોએ હરાજીમાં ભાગ લેતા પહેલા સાત દિવસનો ક્વોરેન્ટાઇન સમયગાળો પસાર કરવો જરૂરી છે.
  6. હરાજીમાં ભાગ લેનારાઓએ હરાજીના 72 કલાકની અંદર બે કોવિડ આરટી-પીસીઆર પરીક્ષણોમાંથી પસાર થવું પડશે.
  7. 12 અને 13 ફેબ્રુઆરીએ હરાજીમાં ભાગ લેનારાઓ માટે બે કોવિડ ટેસ્ટ કરવામાં આવશે. એક ટેસ્ટ રાત્રે 12 વાગ્યે અને બીજો સવારે 7 વાગ્યે લેવામાં આવશે.
  8. હરાજીમાં ભાગ લેનારા તમામ લોકોએ તેમનુ રસીકરણ/બૂસ્ટર વિગતો BCCI મેડિકલ ટીમ સાથે શેર કરવાની રહેશે.
  9. હરાજીમાં ભાગ લેનાર દરેક વ્યક્તિએ અંદર હંમેશા માસ્ક પહેરવું ફરજિયાત છે.

આ પણ વાંચોઃ IPL 2022: રોહિત શર્માની આઇપીએ સેલરીમાં બંપર જમ્પ, જાણો પ્રથમ સેલરી કેટલા રુપિયા મેળવતો હતો

આ પણ વાંચોઃ અમદાવાદ સિરીયલ બ્લાસ્ટ અગાઉ આ વ્યક્તિને ઘટનાના બે મહિના પહેલા હતો ‘અંદેશો’, 14 વર્ષ આરોપીઓને સજા માટે રાહ જોઇ

Follow Us
અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી
અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી
જૂનાગઢમાં 12 ઈંચ તો વઘઇમાં 9 ઈંચ; માત્ર 6 કલાકમાં વરસ્યો આટલો વરસાદ
જૂનાગઢમાં 12 ઈંચ તો વઘઇમાં 9 ઈંચ; માત્ર 6 કલાકમાં વરસ્યો આટલો વરસાદ
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
જામજોધપુરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા 2 બાળક, જુઓ દિલધડક રેસ્ક્યૂ
જામજોધપુરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા 2 બાળક, જુઓ દિલધડક રેસ્ક્યૂ
ઉપલેટામાં ભુવા પડ્તા વાહન ચાલકો અને સ્થાનિકો પરેશાન
ઉપલેટામાં ભુવા પડ્તા વાહન ચાલકો અને સ્થાનિકો પરેશાન
સૂત્રાપાડામાં 12 ઈંચ વરસાદથી તબાહી જ તબાહી, ખેતરો બેટમાં ફેરવાયા
સૂત્રાપાડામાં 12 ઈંચ વરસાદથી તબાહી જ તબાહી, ખેતરો બેટમાં ફેરવાયા
માંગલિક પ્રસંગનું આયોજન થઈ શકે છે, ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે
માંગલિક પ્રસંગનું આયોજન થઈ શકે છે, ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે
અમદાવાદમાં લાંબી રાહ બાદ વરસાદનું આગમન
અમદાવાદમાં લાંબી રાહ બાદ વરસાદનું આગમન
g clip-path="url(#clip0_868_265)">