IPL 2022 Auction: 10 ખેલાડીઓને 10 કરોડથી વધુ રૂપિયા મળ્યા, બીજા દિવસની હરાજી પહેલા કઈ ટીમે કેટલા રૂપિયા ખર્ચ્યા? જાણો અહીં

IPL 2022 Auction ના પ્રથમ દિવસ શનિવારે લખનૌ સુપરજાયન્ટ્સ, દિલ્હી કેપિટલ્સે અદ્ભુત ખરીદી કરી હતી, મુંબઈ ઈન્ડિયન્સે માત્ર 4 ખેલાડીઓ ખરીદ્યા, આજે બીજા દિવસે પણ ખેલાડીઓને ખરીદવા ટક્કર જામશે

IPL 2022 Auction: 10 ખેલાડીઓને 10 કરોડથી વધુ રૂપિયા મળ્યા, બીજા દિવસની હરાજી પહેલા કઈ ટીમે કેટલા રૂપિયા ખર્ચ્યા? જાણો અહીં
IPL 2022 Auction આજે રવિવારે હરાજીનો બીજો દિવસ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 13, 2022 | 10:36 AM

આઇપીએલ 2022 ઓક્શન (IPL 2022 Auction) ના પહેલા દિવસે ઈતિહાસ રચાયો હતો. બેંગ્લોરમાં યોજાયેલી હરાજીમાં 10 ખેલાડીઓને 10 કરોડથી વધુની રકમ મળી, જે આઇપીએલ (IPL 2022) ના ઈતિહાસમાં પ્રથમ વખત છે. અંતિમ IPL ઓક્શનની વાત કરીએ તો વર્ષ 2018માં માત્ર 4 ખેલાડીઓ એવા હતા જેમને 10 કરોડથી વધુની સેલરી મળી હતી. પરંતુ આ વખતે ખેલાડીઓ ખાસ કરીને ભારતીય ખેલાડીઓ (Indian Cricket Players) પર પૈસાનો વરસાદ થયો હતો. માત્ર કેપ્ડ ખેલાડીઓ જ નહીં પરંતુ અનકેપ્ડ ભારતીય ખેલાડીઓની પણ ખૂબ માંગ હતી. ઈશાન કિશનને સૌથી વધુ 15.25 કરોડ અને શ્રેયસ અય્યરને 12.25 કરોડ મળ્યા છે. દીપક ચહરને ચેન્નાઈ સુપર કિંગ્સે 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ સાથે જ ફાસ્ટ બોલર અવેશ ખાન IPL ઈતિહાસનો સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડી બની ગયો છે. તેને લખનૌ સુપરજાયન્ટે 10 કરોડમાં ખરીદ્યો હતો.

IPL 2022 પ્લેયર્સ ઓક્શનના પહેલા દિવસે લખનૌ, દિલ્હી કેપિટલ્સે ઘણી ખરીદી કરી હતી. હૈદરાબાદ, પંજાબ અને રાજસ્થાન પણ પાછળ રહ્યા ન હતા, જોકે મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સે ઘણા ખેલાડીઓ ખરીદ્યા ન હતા. IPL 2022 હરાજીના પ્રથમ દિવસ પછી, દિલ્હી કેપિટલ્સ દ્વારા 13 ખેલાડીઓ ઉમેરવામાં આવ્યા છે. તે જ સમયે, મુંબઈ અને કેકેઆરની ટીમમાં સૌથી ઓછા ખેલાડીઓ છે. મુંબઈની ટીમમાં કુલ 8 અને KKRની ટીમમાં માત્ર 9 ખેલાડીઓ છે.

આજે રવિવારે ઓક્શન ના બીજા દિવસ પહેલા અને શનિવારે પ્રથમ દિવસ પછી કઈ ટીમ પાસે કેટલા પૈસા બચ્યા અને કેટલા ખેલાડીઓ ખરીદ્યા, જાણો આગળ.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

પર્સની સ્થિતી

પંજાબ કિંગ્સનુ પર્સઃ IPL 2022ની હરાજીમાં સૌથી વધુ પૈસા મેળવનાર પંજાબ કિંગ્સના પર્સમાં હવે માત્ર 28.65 કરોડ રૂપિયા બચ્યા છે. પહેલા દિવસે તેણે 43.35 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા.

મુંબઈ ઈન્ડિયન્સ પર્સઃ IPL 2022 ઓક્શનના પહેલા દિવસે મુંબઈ ઈન્ડિયન્સે માત્ર 4 ખેલાડીઓ ખરીદ્યા હતા અને હવે તેના પર્સમાં માત્ર 27.85 કરોડ રૂપિયા બચ્યા છે. મુંબઈએ 4 ખેલાડીઓ માટે 20.15 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા.

પંજાબ કિંગ્સ પર્સઃ IPL 2022ની હરાજીમાં સૌથી વધુ પૈસા મેળવનાર પંજાબ કિંગ્સના પર્સમાં હવે માત્ર 28.65 કરોડ રૂપિયા બચ્યા છે. પહેલા દિવસે તેણે 43.35 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા.

મુંબઈ ઈન્ડિયન્સ પર્સઃ IPL 2022 ઓક્શનના પહેલા દિવસે મુંબઈ ઈન્ડિયન્સે માત્ર 4 ખેલાડીઓ ખરીદ્યા હતા અને હવે તેના પર્સમાં માત્ર 27.85 કરોડ રૂપિયા બચ્યા છે. મુંબઈએ 4 ખેલાડીઓ માટે 20.15 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા.

ગુજરાત ટાઇટન્સ પર્સઃ ગુજરાત ટાઇટન્સ પાસે 18.85 કરોડ રૂપિયા બાકી છે. ટીમે 33.15 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.

દિલ્હી કેપિટલ્સ પર્સઃ દિલ્હી કેપિટલ્સના પર્સમાં બીજા દિવસે 16.5 કરોડ રૂપિયા બાકી છે. પહેલા દિવસે તેણે 31 કરોડ રૂપિયા ખર્ચ્યા.

કેકેઆરનું પર્સઃ કોલકાતા નાઈટ રાઈડર્સના પર્સમાં માત્ર 12.65 કરોડ રૂપિયા બચ્યા છે. ટીમે પહેલા દિવસે 35.35 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.

રાજસ્થાન રોયલ્સ પર્સઃ રાજસ્થાન પાસે હવે માત્ર 12.15 કરોડ રૂપિયા બચ્યા છે. પહેલા દિવસે તેણે 49.85 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા.

આરસીબી પર્સઃ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પાસે માત્ર 9.25 કરોડ રૂપિયા બચ્યા છે. ટીમે 47.25 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.

લખનૌ સુપરજાયન્ટ્સ પર્સઃ લખનૌમાં માત્ર 6.9 કરોડ રૂપિયા બચ્યા છે. ટીમે પહેલા દિવસે 52.1 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.

આ પણ વાંચોઃ IPL 2022 Auction Highest Paid Players: ભારતીય યુવા ખેલાડીઓ વેચાયા સૌથી મોંઘા, અહીં જુઓ IPL 2022 ના ઊંચા ભાવવાળા 10 ખેલાડીઓ

આ પણ વાંચોઃ IPL 2022 Auction: પ્રથમ દિવસની હરાજી બાદ ટીમોની કેવી છે સ્થિતી, જાણો કઇ ટીમમાં કયા ખેલાડીનો સમાવેશ કરવામાં આવ્યો હતો

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">