Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: અમદાવાદની ફ્રેન્ચાઇઝીને લઇને વિવાદનુ કોકડું ઉકેલાયુ, BCCI એ દર્શાવી લીલી ઝંડી-રિપોર્ટસ

અમદાવાદની ફ્રેન્ચાઈઝી (Ahmedbad Franchise) CVC કેપિટલ્સની માલિકીની છે અને આ કંપનીને લઈને વિવાદ થયો હતો જેના કારણે BCCI તપાસમાં સામેલ થયું હતું.

IPL 2022: અમદાવાદની ફ્રેન્ચાઇઝીને લઇને વિવાદનુ કોકડું ઉકેલાયુ, BCCI એ દર્શાવી લીલી ઝંડી-રિપોર્ટસ
IPL 2022: આગામી સિઝનમાં 10 ટીમો હિસ્સો લેનાર છે.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 10, 2022 | 7:25 PM

IPL-2022 (IPL-2022)માં આઠને બદલે 10 ટીમો ભાગ લેશે. આ બે નવી ટીમો લખનૌ અને અમદાવાદ (Ahmedbad Franchise) ની હશે. BCCI એ આની જાહેરાત ઘણા સમય પહેલા કરી દીધી હતી, પરંતુ ત્યારથી અમદાવાદની ફ્રેન્ચાઈઝીને લઈને સતત વિવાદ ચાલી રહ્યો છે. CVC કેપિટલ્સ એ યુએસ સ્થિત કંપની છે અને વિદેશમાં ઘણી સટ્ટાબાજીની કંપનીઓ ધરાવે છે.

આ અંગે વિવાદ થયો હતો. આ કારણોસર, BCCI અમદાવાદને લગતી તપાસમાં સામેલ થયું હતું અને તેને ઇરાદા પત્ર આપ્યો ન હતો. હવે જો કે મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, BCCIએ અમદાવાદ ફ્રેન્ચાઈઝીને ક્લિયરન્સ આપી દીધું છે અને બોર્ડ તરફથી letter of intentપણ મળ્યો છે.

જો કે બીસીસીઆઈ દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ આશા છે કે બોર્ડ ટૂંક સમયમાં આ અંગે જાહેરાત કરી શકે છે. બીસીસીઆઈએ સીવીસીનો મામલો ભારતના સોલિસિટર જનરલ તુષાર મહેતાને મોકલ્યો હતો. અગાઉ એવા સમાચાર આવ્યા હતા કે મહેતાએ CVC કંપનીના મામલે BCCIને સકારાત્મક માહિતી આપી છે.

વિનોદ કાંબલીને હવે દર મહિને આટલા પૈસા મળશે
AC Tips : અચાનક ઓછું થઈ ગયું છે AC નું કૂલિંગ? હોઈ શકે છે આ 5 મોટા કારણ
શું મૃત્યુનો સમય અને સ્થળ અગાઉથી નક્કી હોય છે? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
IPL 2025 ના 'સુપરમેન', તેમનાથી બચવું મુશ્કેલ છે !
મનપસંદ જીવનસાથીને કેવી રીતે મેળવવો ? પ્રેમાનંદ મહારાજે આપ્યો જવાબ
સાસુ અને વહુ વચ્ચે ઝગડો શા માટે થાય છે? બાબા બાગેશ્વરે જણાવ્યું કારણ

આ પછી હવે સમાચાર આવ્યા છે કે ફ્રેન્ચાઈઝીને બોર્ડ તરફથી લેન્ટ ઓફ ઈન્ટેન્ટ મળી ગયો છે. આ માટે બોર્ડે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ કેએસ રાધાકૃષ્ણનની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની સમિતિની પણ રચના કરી હતી. આ સમિતિએ ફ્રેન્ચાઈઝીને ક્લીનચીટ પણ આપી દીધી છે.

ટૂંક સમયમાં કરાશે એલાન

આ પછી, હવે ફ્રેન્ચાઇઝી તેના ત્રણ ખેલાડીઓની જાહેરાત કરી શકે છે. બીસીસીઆઈએ બંને નવી ફ્રેન્ચાઈઝીઓને ત્રણ-ત્રણ ખેલાડીઓને જાળવી રાખવાનો વિકલ્પ આપ્યો છે અને તે પછી તમામ ટીમો મેગા ઓક્શનમાં ખેલાડીઓ પર બોલી લગાવીને પોતાની ટીમ બનાવશે. અમદાવાદ માટે લેટર ઓફ ઇન્ટેંન્ટ મેળવવાનો મુદ્દો મહત્વનો હતો જે હવે તેને મળ્યો છે અને હવે તે તેના ખેલાડીની પસંદગીના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

અહેવાલ છે કે ફ્રેન્ચાઇઝીની નજર ભારતના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને શ્રેયસ અય્યર પર છે. આ સાથે ટીમ અફઘાનિસ્તાનના લેગ સ્પિનર ​​રાશિદ ખાનને પણ પોતાની સાથે ઉમેરવાનો પ્રયાસ કરી રહી છે. આ તમામને આ વર્ષે તેમની ફ્રેન્ચાઈઝીઓએ જાળવી રાખ્યા નથી.

આશિષ નેહરા બનશે કોચ

એવા પણ અહેવાલ છે કે ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર આશિષ નેહરા અમદાવાદમાં મુખ્ય કોચ તરીકે જોડાઈ શકે છે. જોકે અત્યાર સુધી નેહરાએ મુખ્ય કોચ તરીકે કામ કર્યું નથી. તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાં બોલિંગ કોચ હતો. પરંતુ અમદાવાદ તેમને મુખ્ય કોચની જવાબદારી પણ સોંપી શકે છે. તેમના સિવાય ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ બેટ્સમેન વિક્રમ સોલંકીને ક્રિકેટ ડિરેક્ટર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.

આ પણ વાંચોઃ IPL 2022: હાર્દિક પંડ્યા બનશે અમદાવાદનો કેપ્ટન, રાશિદ ખાન પણ ટીમ સાથે જોડાશે – રિપોર્ટસ

આ પણ વાંચોઃ IND vs SA: દક્ષિણ આફ્રિકાનો આ દિગ્ગજ જસપ્રિત બુમરાહની બોલીંગનો ‘આશિક’ છે , ખોલ્યા જસ્સીની સફળતાના રાઝ!

વરસાદી ઝાપટાને કારણે રહેવાસીઓમાં હાશકારો
વરસાદી ઝાપટાને કારણે રહેવાસીઓમાં હાશકારો
ગોધરામાં ટાયરના ભંગારના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ, જુઓ વીડિયો
ગોધરામાં ટાયરના ભંગારના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ, જુઓ વીડિયો
સંગઠનમાં દેશવ્યાપી આમૂલ ફેરફારની કોંગ્રેસે ગુજરાતથી કરી શરૂઆત
સંગઠનમાં દેશવ્યાપી આમૂલ ફેરફારની કોંગ્રેસે ગુજરાતથી કરી શરૂઆત
ભેજાબાજોએ RUDAના નકશા બારોબાર ઉમેર્યા 24 ગામ, જાણો સંપૂર્ણ ઘટના
ભેજાબાજોએ RUDAના નકશા બારોબાર ઉમેર્યા 24 ગામ, જાણો સંપૂર્ણ ઘટના
અકસ્માતમાં મદદ કરવા આવેલા લોકો પર ટ્રક પલટી, CCTV આવ્યા સામે
અકસ્માતમાં મદદ કરવા આવેલા લોકો પર ટ્રક પલટી, CCTV આવ્યા સામે
સિયાપુરામાં બે જૂથ વચ્ચે અથડામણ, ટોળાએ બેથી વધુ બાઈકને સળગાવ્યા
સિયાપુરામાં બે જૂથ વચ્ચે અથડામણ, ટોળાએ બેથી વધુ બાઈકને સળગાવ્યા
આ રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
Junagadh : પોલીસે MD ડ્રગ્સના મુદ્દામાલ સાથે એક આરોપીની કરી ધરપકડ
Junagadh : પોલીસે MD ડ્રગ્સના મુદ્દામાલ સાથે એક આરોપીની કરી ધરપકડ
ગુજરાતમાં હીટવેવ ફરી મચાવશે હાહાકાર ! જાણો તમારા જિલ્લાઓનું હવામાન
ગુજરાતમાં હીટવેવ ફરી મચાવશે હાહાકાર ! જાણો તમારા જિલ્લાઓનું હવામાન
અંકલેશ્વરના પાનોલીની કેમિકલ કંપનીમાં લાગેલી આગ અન્ય કંપનીમાં પણ ફેલાઈ
અંકલેશ્વરના પાનોલીની કેમિકલ કંપનીમાં લાગેલી આગ અન્ય કંપનીમાં પણ ફેલાઈ
g clip-path="url(#clip0_868_265)">