IPL 2022 : એબી ડી વિલિયર્સે ધોનીના કેપ્ટન પદ છોડવાના નિર્ણય પર આપી મોટી પ્રતિક્રિયા

મહેન્દ્ર સિંહ ધોની કેપ્ટનશિપ પદ પરથી હટી ગયા બાદ અનેક દિગ્ગજોઅ પોતાના મંતવ્ય આપ્યા હતા. ત્યારે સાઉથ આફ્રિકાના દિગ્ગજ ક્રિકેટર એબી ડી વિલિયર્સે પણ પોતાનો મત જણાવ્યો હતો.

IPL 2022 : એબી ડી વિલિયર્સે ધોનીના કેપ્ટન પદ છોડવાના નિર્ણય પર આપી મોટી પ્રતિક્રિયા
Dhoni and Ab de Villers
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 26, 2022 | 6:07 PM

IPL (IPL 2022) ની 15મી સિઝનની શરૂઆત થાય તે પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) ના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) એ કેપ્ટનશીપ છોડી તે ચર્ચા તમામ જગ્યાએ થઇ રહી છે. ધોનીએ આ IPL સિઝનમાંથી અચાનક કેપ્ટનશિપ પદ પરથી હટી ગયા બાદ ચેન્નાઈ સુપર કિંગ્સના મેનેજમેન્ટે તાત્કાલિક અસરથી રવિન્દ્ર જાડેજાને કેપ્ટનશિપની જવાબદારી સોંપી દીધી હતી. ઘણા દિગ્ગજ ખેલાડીઓ આ નિર્ણય પર સવાલ ઉઠાવી રહ્યા છે. પરંતુ દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન એબી ડી વિલિયર્સે (AB de Villiers) એમએસ ધોનીના કેપ્ટનશીપ છોડવાના નિર્ણયનું સમર્થન કર્યું છે.

આઈપીએલમાંથી મહેન્દ્ર સિંહ ધોની કેપ્ટનશિપ પદ પરથી હટી ગયા બાદ અનેક દિગ્ગજોઅ પોતાના મંતવ્ય આપ્યા હતા. ત્યારે સાઉથ આફ્રિકાના દિગ્ગજ ક્રિકેટર એબી ડી વિલિયર્સે પણ પોતાનો મત જણાવ્યો હતો. ધોનીની કેપ્ટનશિપ પદ છોડવાને લઇને એબી ડી વિલિયર્સે કહ્યું કે, “મહેન્દ્ર સિંહ ધોનીએ સુકાની પદ છોડવાનો નિર્ણય યોગ્ય સમયે લેવામાં આવ્યો છે. તે પછી, તે હવે તેની બેટિંગ પર વધુને વધુ ધ્યાન આપી શકે છે.”

VUSport Scouts પર ડી વિલિયર્સે ધોનીના નિર્ણય વિશે કહ્યું, મને એમએસના નિર્ણયથી આશ્ચર્ય થયું નથી. હું તેના માટે ખરેખર ખુશ છું. આટલા લાંબા સમય સુધી તે બોજ વહન કર્યા પછી, લોકો એવું વિચારી શકે છે કે કેપ્ટન બનવું સરળ છે, પરંતુ તમે ખરેખર થાકી જાઓ છો. પરંતુ મને લાગે છે કે છેલ્લી IPL જીત્યા બાદ તેણે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લીધો હતો. છેલ્લી સિઝન પહેલાની સિઝનમાં તેમને ઘણું નુકસાન થયું હતું. ટ્રોફી જીતીને પાછા આવવું અને પછી કહેવું કે ‘હું હજુ પણ રમીશ પણ અન્ય કોઈ કેપ્ટન હશે અને હું સપોર્ટ કરવા માટે ત્યાં હાજર રહીશ’ એ તેના માટે પરફેક્ટ છે.”

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

ડી વિલિયર્સે વધુમાં કહ્યું કે, હું એમએસ (ધોની) ને ફરીથી મોટા છગ્ગા મારતા જોવાનો આનંદ લેવા માટે ઉત્સાહિત છું. હવે વ્યૂહરચના વિશે વધુ વિચારવાનો નથી અને તે ફક્ત ત્યાં જઈને સિક્સર ફટકારી શકે છે અને તે જે શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યો છે તેનાથી સમગ્ર વિશ્વનું મનોરંજન કરી શકે છે અને તે છે ક્રિકેટ રમવું અને મેચ જીતવી.

રવિન્દ્ર જાડેજા પાસે કેપ્ટન તરીકે જરૂરી અનુભવ છે : એબી ડી વિલિયર્સ

એબી ડી વિલિયર્સે પણ રવીન્દ્ર જાડેજાને ચેન્નાઈ સુપર કિંગ્સની જવાબદારી આપવા અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો અને કહ્યું કે, તે એક ક્લાસ પ્લેયર છે. એક કેપ્ટન તરીકે જરૂરી તમામ અનુભવ તેની પાસે છે. તમારી પાસે બ્રાવો, ધોની અને રોબિન ઉથપ્પા જેવા અનુભવી ખેલાડીઓ છે જે નિર્ણયોમાં મદદરૂપ થશે. વધુમાં, તે ટીમ માટે યોગ્ય નિર્ણયો લેવા માટે જરૂરી કરતાં વધુ મેચ રમ્યો છે.

આ પણ વાંચો : PBKS vs RCB IPL 2022 Match Prediction: શું નવા કેપ્ટન પંજાબ અને બેંગ્લોરની કિસ્મત બદલશે, પ્રથમ ટક્કરમાં તેની ઝલક જોવા મળશે

આ પણ વાંચો : IPL 2022 MI vs DC Live Streaming: જાણો તમે ક્યારે, ક્યાં અને કેવી રીતે મુંબઈ ઈન્ડિયન્સ-દિલ્હી કેપિટલ્સ મેચ જોઈ શકો છો

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">