AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2021: વિરેન્દ્ર સહેવાગે આ ટીમને ઝાટકતા કહ્યુ, બેબી ના ડાયપર બદલવા કરતા વધારે ઝડપે તો પ્લેયીંગ ઇલેવન બદલાય છે

ભારતના પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગે (Virender Sehwag) ખૂબ જ તીખૂ અને મોટુ નિવેદન આપ્યુ છે. તેમનુ આ નિવેદન પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સની પ્લેયીંગ ઇલેવન (Playing XI) ને લઇને છે.

IPL 2021: વિરેન્દ્ર સહેવાગે આ ટીમને ઝાટકતા કહ્યુ, બેબી ના ડાયપર બદલવા કરતા વધારે ઝડપે તો પ્લેયીંગ ઇલેવન બદલાય છે
Virender Sehwag
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2021 | 9:58 PM
Share

ભારતના પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગે (Virender Sehwag) પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ (Punjab Kings vs Rajasthan Royals), વચ્ચેની મેચ ને લઇને તીખું નિવેદન આપ્યું છે. તેમનું નિવેદન બંને ટીમોની પ્લેઇંગ ઇલેવન (Playing XI) વિશે છે. મીડિયા રિપોર્ટ્સનુસાર સહેવાગે પોતાની ભૂતપૂર્વ ટીમ પંજાબ કિંગ્સ વિશે આકરુ નિવેદન આપ્યું છે, જે ટીમના તે કોચ રહી ચૂક્યા છે. પંજાબ કિંગ્સની પ્લેઇંગ ઇલેવન પર આકરા પ્રહાર કરતા સેહવાગે કહ્યું કે, બાળકોના ડાયપર પણ એટલી ઝડપથી બદલાતા નથી, તેટલી ઝડપથી તેઓ તેમની પ્લેઇંગ ઇલેવન બદલતા રહે છે.

ટીમ ઇન્ડીયાના ભૂતપૂર્વ ઓપનરે કહ્યું કે, પંજાબ કિંગ્સની પ્લેઇંગ ઇલેવનની આગાહી કરવી સૌથી મુશ્કેલ છે. તેણે પ્રથમ 7 મેચમાં ઘણી વખત પોતાની બોલિંગ બદલી છે. તે શું રમશે, કોની સાથે મેદાન પર ઉતરશે તેના વિશે પંજાબ કિંગ્સને આ માટે જજ કરવુ એ મોટો પડકાર છે. પરંતુ હું હજી પણ ઈચ્છું છું કે તે તેની મજબૂત બોલિંગ લાઈન-અપ સાથે મેદાનમાં આવે.

આગળ કહ્યુ, જો તેમની બેટિંગ ચાલી કે જેમાં ગેઈલ, રાહુલ, અગ્રવાલ, પુરન જેવા સ્ટાર્સ હોય, તો તેમની જીત નિશ્ચિત છે. આમ તેમની બેટિંગ મજબૂત છે, બોલિંગ મજબૂત હવે રાખવી જરુરી છે. જો તે વિદેશી ઝડપી બોલર સાથે જવા માંગે છે, તો તે ક્રિસ જોર્ડનને લઇને ઉતરી શકે છે, જે ડેથ ઓવરમાં રન પર લગામ લગાવી શકે છે.

આટલી ઝડપે તો બાળકોના ડાયપર નથી બદલતા

પંજાબના પૂર્વ કોચ સેહવાગે રાજસ્થાન રોયલ્સ વિશે કહ્યું કે, હું માનું છું કે આ ટીમ વધુ સંતુલિત છે. પંજાબ કિંગ્સ તેમની પ્લેઇંગ ઇલેવન ખૂબ બદલતી રહે છે. પરંતુ રાજસ્થાનમાં આવું નથી. જો કે, આ વખતે તેની પાસે ઘણા ટોચના ખેલાડીઓ નથી. તેથી તે ફેરફાર કરતા જોવા મળે. રાજસ્થાનની ટીમ તેના ખેલાડીઓને બદલતા પહેલા, તેમને સાબિત કરવા માટે 2-3 મેચ આપે છે. પરંતુ પંજાબ કિંગ્સ દર 1 કે 2 મેચ બાદ બદલી દે છે. આટલી ઝડપ થી તો બેબીના ડાયપર પણ નથી બદલતા, જેટલી ઝડપ થી પંજાબ કિંગ્સ પોતાની પ્લેયીંગ ઇલેવનમાં પરિવર્તન કરતી રહી છે.

આ પણ વાંચોઃ Cricket: લો બોલો ! ક્રિકેટના મેદાનમાં અચાનક હેલિકોપ્ટરે લેન્ડ કરતા ક્રિકેટ મેચને રોકી દેવી પડી, જુઓ વિડીયો

આ પણ વાંચોઃ Pakistan: પાકિસ્તાન પોલીસનો બિરીયાની ઝાપટવામાં પણ રેકોર્ડ, ન્યુઝીલેન્ડની ટીમની સુરક્ષા દરમ્યાન 27 લાખની બિરીયાની ખાઇ જતાં વિવાદ

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">