IPL 2021: વિરેન્દ્ર સહેવાગે આ ટીમને ઝાટકતા કહ્યુ, બેબી ના ડાયપર બદલવા કરતા વધારે ઝડપે તો પ્લેયીંગ ઇલેવન બદલાય છે

ભારતના પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગે (Virender Sehwag) ખૂબ જ તીખૂ અને મોટુ નિવેદન આપ્યુ છે. તેમનુ આ નિવેદન પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સની પ્લેયીંગ ઇલેવન (Playing XI) ને લઇને છે.

IPL 2021: વિરેન્દ્ર સહેવાગે આ ટીમને ઝાટકતા કહ્યુ, બેબી ના ડાયપર બદલવા કરતા વધારે ઝડપે તો પ્લેયીંગ ઇલેવન બદલાય છે
Virender Sehwag
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2021 | 9:58 PM

ભારતના પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગે (Virender Sehwag) પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ (Punjab Kings vs Rajasthan Royals), વચ્ચેની મેચ ને લઇને તીખું નિવેદન આપ્યું છે. તેમનું નિવેદન બંને ટીમોની પ્લેઇંગ ઇલેવન (Playing XI) વિશે છે. મીડિયા રિપોર્ટ્સનુસાર સહેવાગે પોતાની ભૂતપૂર્વ ટીમ પંજાબ કિંગ્સ વિશે આકરુ નિવેદન આપ્યું છે, જે ટીમના તે કોચ રહી ચૂક્યા છે. પંજાબ કિંગ્સની પ્લેઇંગ ઇલેવન પર આકરા પ્રહાર કરતા સેહવાગે કહ્યું કે, બાળકોના ડાયપર પણ એટલી ઝડપથી બદલાતા નથી, તેટલી ઝડપથી તેઓ તેમની પ્લેઇંગ ઇલેવન બદલતા રહે છે.

ટીમ ઇન્ડીયાના ભૂતપૂર્વ ઓપનરે કહ્યું કે, પંજાબ કિંગ્સની પ્લેઇંગ ઇલેવનની આગાહી કરવી સૌથી મુશ્કેલ છે. તેણે પ્રથમ 7 મેચમાં ઘણી વખત પોતાની બોલિંગ બદલી છે. તે શું રમશે, કોની સાથે મેદાન પર ઉતરશે તેના વિશે પંજાબ કિંગ્સને આ માટે જજ કરવુ એ મોટો પડકાર છે. પરંતુ હું હજી પણ ઈચ્છું છું કે તે તેની મજબૂત બોલિંગ લાઈન-અપ સાથે મેદાનમાં આવે.

આગળ કહ્યુ, જો તેમની બેટિંગ ચાલી કે જેમાં ગેઈલ, રાહુલ, અગ્રવાલ, પુરન જેવા સ્ટાર્સ હોય, તો તેમની જીત નિશ્ચિત છે. આમ તેમની બેટિંગ મજબૂત છે, બોલિંગ મજબૂત હવે રાખવી જરુરી છે. જો તે વિદેશી ઝડપી બોલર સાથે જવા માંગે છે, તો તે ક્રિસ જોર્ડનને લઇને ઉતરી શકે છે, જે ડેથ ઓવરમાં રન પર લગામ લગાવી શકે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આટલી ઝડપે તો બાળકોના ડાયપર નથી બદલતા

પંજાબના પૂર્વ કોચ સેહવાગે રાજસ્થાન રોયલ્સ વિશે કહ્યું કે, હું માનું છું કે આ ટીમ વધુ સંતુલિત છે. પંજાબ કિંગ્સ તેમની પ્લેઇંગ ઇલેવન ખૂબ બદલતી રહે છે. પરંતુ રાજસ્થાનમાં આવું નથી. જો કે, આ વખતે તેની પાસે ઘણા ટોચના ખેલાડીઓ નથી. તેથી તે ફેરફાર કરતા જોવા મળે. રાજસ્થાનની ટીમ તેના ખેલાડીઓને બદલતા પહેલા, તેમને સાબિત કરવા માટે 2-3 મેચ આપે છે. પરંતુ પંજાબ કિંગ્સ દર 1 કે 2 મેચ બાદ બદલી દે છે. આટલી ઝડપ થી તો બેબીના ડાયપર પણ નથી બદલતા, જેટલી ઝડપ થી પંજાબ કિંગ્સ પોતાની પ્લેયીંગ ઇલેવનમાં પરિવર્તન કરતી રહી છે.

આ પણ વાંચોઃ Cricket: લો બોલો ! ક્રિકેટના મેદાનમાં અચાનક હેલિકોપ્ટરે લેન્ડ કરતા ક્રિકેટ મેચને રોકી દેવી પડી, જુઓ વિડીયો

આ પણ વાંચોઃ Pakistan: પાકિસ્તાન પોલીસનો બિરીયાની ઝાપટવામાં પણ રેકોર્ડ, ન્યુઝીલેન્ડની ટીમની સુરક્ષા દરમ્યાન 27 લાખની બિરીયાની ખાઇ જતાં વિવાદ

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">