IPL 2021: વેક્સિનના બે ડોઝ ધરાવતો વિરાટ કોહલીની ટીમ RCBનો આ ખેલાડી કોરોના પોઝિટિવ જણાયો

આ ખેલાડી ધ હંડ્રેડ (The Hundred) ટૂર્નામેન્ટમાં ભાગ લીધા બાદ તે લંડન થી ઢાકા પહોંચ્યો હતો. જ્યાં તે પોઝિટિવ હોવાની જાણકારી મળી હતી.

IPL 2021: વેક્સિનના બે ડોઝ ધરાવતો વિરાટ કોહલીની ટીમ RCBનો આ ખેલાડી કોરોના પોઝિટિવ જણાયો
Finn Allen
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 24, 2021 | 7:40 PM

IPL 2021: ન્યૂઝીલેન્ડ (New Zealand) ના બેટ્સમેન ફિન એલન (Finn Allen) કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. તે પાંચ મેચની T20 શ્રેણી રમવા બાંગ્લાદેશ ગયો હતો. અહીં તપાસ દરમિયાન ફિન એલન નો કોરોના ટેસ્ટ પોઝિટિવ (Corona positive) આવ્યો હતો. રસપ્રદ વાત એ છે કે તેને વેક્સિનના બંને ડોઝ આપવામાં આવ્યા હતા અને ઇંગ્લેન્ડમાં તેના તમામ પરીક્ષણો બાંગ્લાદેશ જતા પહેલા યોગ્ય આવ્યા હતા. પરંતુ બાંગ્લાદેશમાં 48 કલાક બાદ તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

ફિન એલન ઇંગ્લેન્ડમાં ધ હંડ્રેડ ટુર્નામેન્ટમાં બર્મિંગહામ ફોનિક્સ તરફથી રમી રહ્યો હતો. તે IPL નો પણ ભાગ રહ્યો છે. IPL 2021 ના ​​પહેલા ભાગમાં, તે વિરાટ કોહલી (Virat Kohli) ની આગેવાનીવાળી રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) ટીમનો ભાગ હતો. જો કે, તે હવે બીજા હાફમાં ટીમ સાથે રહેશે નહીં કારણ કે તે ન્યૂઝીલેન્ડ સાથે બાંગ્લાદેશ અને પાકિસ્તાનનો પ્રવાસ કરશે.

ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ વતી ફિન એલેનના સ્વાસ્થ્ય વિશે કહેવામાં આવ્યું હતું. કે, તે ટીમની હોટલમાં ક્વોરેન્ટાઇન છે. તેઓ હળવા લક્ષણો અનુભવી રહ્યા છે. એલેનની સારવાર બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના મુખ્ય મેડીકલ અધિકારી દ્વારા કરવામાં આવી રહી છે. તે ન્યૂઝીલેન્ડ ક્રિકેટના મુખ્ય મેડિકલ અધિકારીના સંપર્કમાં પણ છે. ટીમના તબીબ ડો પેટ મેકહ્યુ પણ ફિન એલનની તપાસ કરતા રહેશે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચ T20 મેચની શ્રેણી 1 સપ્ટેમ્બરથી રમાવાની છે. ફિન એલનને સારવાર પૂર્ણ થયા બાદ અને આઇસોલેશનમાં રહ્યા પછી સતત બે કોરોના નેગેટિવ ટેસ્ટ આવવા જરુરી છે. ત્યારબાદ જ સાથી ખેલાડીઓની સાથે તેને મળવાની મંજૂરી આપવામાં આવશે.

બાકીના ખેલાડીઓ ત્રણ દિવસ માટે રહેશે આઇસોલેશનમાં

ન્યુઝીલેન્ડ ટીમના મેનેજર માઇક સેન્ડલે કહ્યું કે તે સતત એલન સાથે સંપર્કમાં છે. તેમણે કહ્યું, તે તેનું દુર્ભાગ્ય છે. તે હવે ઠીક છે અને આશા છે કે, તે જલ્દીથી ઠીક થઈ જશે. તે નેગેટિવ આવતા જ તેને રજા આપવામાં આવશે. ફિન એલન અમિરાત ની ફ્લાઇટથી લંડન એરપોર્ટ થી આવ્યો હતો. એલન પોઝિટિવ આવ્યા બાદ ન્યુઝીલેન્ડ બોર્ડે એરલાઇનને પણ આ અંગે જાણ કરી છે. આ સાથે તે એલનનાં પરિવાર સાથે પણ સંપર્કમાં છે. દરમ્યાન ન્યૂઝીલેન્ડના બાકીના ખેલાડીઓ પણ ઢાકા પહોંચી ગયા છે. તેઓ હવે ત્રણ દિવસ માટે આઇસોલેશનમાં રહેશે.

આ પણ વાંચોઃ IND vs ENG: ટીમ ઇન્ડીયા ત્રીજી ટેસ્ટ પહેલા ટીમમાં 2 પરિવર્તન કરીને ચાલી શકે છે આ દાવ!

આ પણ વાંચોઃ Afghanistan: અફઘાનિસ્તાનના ક્રિકેટર સાથે આ સુંદર ભારતીય એક્ટ્રેસના સંબંધો પડ્યા મુશ્કેલીમાં, ઓક્ટોબરમાં થનાર હતી સગાઇ

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">