IPL 2021: રાજસ્થાન રોયલ્સ ખેલાડીઓની અછતથી પરેશાન, ખેલાડીઓ ઉધાર લેવા તરસવા લાગ્યુ

ખેલાડીઓની ઇજાઓ અને બાયોબબલ (Biobubble) માં થાકને લઇને IPL થી ખેલાડીઓ દુર થવાની સૌથી મોટી સમસ્યા રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ભોગવી રહ્યુ છે. ખેલાડીઓની કમી થી ખૂબ પ્રભાવિત થયેલ રાજસ્થાનની ટીમે હવે અન્ય ટીમો પાસે લોન પર ખેલાડીઓ આપવા માટે આગ્રહ કર્યો છે.

IPL 2021: રાજસ્થાન રોયલ્સ ખેલાડીઓની અછતથી પરેશાન, ખેલાડીઓ ઉધાર લેવા તરસવા લાગ્યુ
Rajasthan Royals
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 27, 2021 | 12:48 PM

ખેલાડીઓની ઇજાઓ અને બાયોબબલ (Biobubble) માં થાકને લઇને IPL થી ખેલાડીઓ દુર થવાની સૌથી મોટી સમસ્યા રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ભોગવી રહ્યુ છે. ખેલાડીઓની કમી થી ખૂબ પ્રભાવિત થયેલ રાજસ્થાનની ટીમે હવે અન્ય ટીમો પાસે લોન પર ખેલાડીઓ આપવા માટે આગ્રહ કર્યો છે. હાલ સુધીમાં રાજસ્થાન રોયલ્સ પાસે હવે માત્ર ચાર જ વિદેશી ખેલાડીઓ રહ્યા છે. જેમાં જોસ બટલર, ક્રિસ મોરિસ, ડેવિડ મિલર અને મુસ્તફિઝુર રહેમાનનો સમાવેશ થાય છે. જ્યારે અત્યાર સુધીમાં ટુર્નામેન્ટની અડધા થી વધારે મેચ રમવાની બાકી છે. રાજસ્થાન રોયલ્સ એ બેન સ્ટોકસ અને જોફ્રા આર્ચરને ઇજાને લઇને પહેલા જ ગુમાવ્યા છે. જ્યારે લિયામ લિવિંગસ્ટોન અને એન્ડ્રુય ટાય બાયોબબલના થાકને લઇને આઇપીએલ થી દુર થઇ ગયો છે. સંજૂ સેમસન ની કેપ્ટન શીપ ધરાવતી રાજસ્થાન રોયલ્સની ટીમ અત્યાર સુધીમાં 14 મેચ માં રમાયેલ પાંચ મેચમાં બે જીત અને ત્રણ હાર સાથે છઠ્ઠા સ્થાન પર છે.

આઇપીએલ રમવાની શરતો અનુસાર લોન વિંડો સિઝનની નિર્ધારીત 20 મી મેચ બાદ શરુ થઇ છે. એટલે કે સોમવારે સવારે 9 કલાક થી લોન વિડો શરુ થઇ ગઇ છે. એક ફેન્ચાઇઝીના સીઇઓ એ પુષ્ટી કરતા કહ્યુ હતુ કે, અમારે બે દિવસ પહેલા એક વિનંતી મળી હતી, જેની પર અમે હજુ નિર્ણય નથી કર્યો. ટીમ મેનેજમેન્ટ આની પર કોઇ નિર્ણય કરશે.

એક અન્ય સીઇઓ એ કહ્યુ હતુ કે, અમે એ વાત પર વિચાર કરી રહ્યા છીએ કે, શુ અમે અમારા વધારે સંખ્યાબળ ના ખેલાડીમાંથી એક અથવા બે ખેલાડીને તેમને લોન પર આપી શકીએ છીએ. આઇપીએલ ના નિયમોનુસાર એક ખેલાડી જે લોન સમયની શરુઆત ના સમયે ઓછામાં ઓછી બે મેચ માં પ્લેયીંગ ઇલેવનમાં રમી ચુક્યો હોય અથવા, કન્કશન રિપ્લેશમેન્ટના રુપમાં રમ્યો હોય તો તેને લોન પર આપી શકાય છે. તેને એક સિઝનમાં માત્ર એક જ વખત લોન પર આપી શકાય છે. જે લીગની બાકી રહેલી પૂરી સિઝન માટે હોવુ જોઇએ.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

એ સાથે જ તે પોતાની ઘરેલુ ફેન્ચાઇઝીની સામે નથી રમી શકતો. એક ફેન્ચાઇઝી પોતાના ટીમ થી વધારેમાં વધારે ત્રણ ખેલાડીઓને સિઝન દરમ્યાન એક જ ફેન્ચાઇઝીને આપી શકે છે. જોકે આ સાથે જ ખેલાડીઓની મંજૂરીની પણ જરુરી છે. ઉપરોક્ત સિવાય પણ લોન પર ખેલાડી લેવાને લઇને કેટલાક અન્ય કડક નિયમો પણ લદાયેલા છે. જોકે હાલમાં કોરોનાની વર્તમાન સ્થિતીને લઇને ખેલાડીઓના આઇપીએલ છોડવાને લઇને બીસીસીઆઇ કેટલાક નિયમોમાં રાહત આપી શકે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">