IPL 2021: કલકત્તા સામે પરાજય બાદ કેએલ રાહુલ દુખી થઇ ગયો, કહ્યુ સમજાતુ નથી શુ બોલવુ
આઇપીએલ 2021 માં સોમવારે પંજાબ કિંગ્સ અને કલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે મેચ રમાઇ હતી. બંને વચ્ચે ની મેચ કલકત્તાના પક્ષે એક તરફી બની ગઇ હતી. કલકત્તાએ પાંચ વિકેટે પંજાબ કિંગ્સને હાર આપી હતી.
આઇપીએલ 2021 માં સોમવારે પંજાબ કિંગ્સ અને કલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે મેચ રમાઇ હતી. બંને વચ્ચેની મેચ કલકત્તાના પક્ષે એક તરફી બની ગઇ હતી. કલકત્તાએ પાંચ વિકેટે પંજાબ કિંગ્સને હાર આપી હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં હાર બાદ, પંજાબ ના કેપ્ટન કેએલ રાહુલના દર્દ છલકાયુ હતુ. તેણે કહ્યુ હતુ કે, તેને સમજ નથી આવી રહ્યુ કે હાર બાદ શુ બોલુ. પંજાબ કિંગ્સની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 123 રન જ બનાવી શકી હતી. જવાબમાં કલકત્તાએ 16.4 ઓવરમાં જ પાંચ વિકેટે જીતનુ લક્ષ્ય હાંસલ કરી લીધુ હતુ.
મેચ બાદ રાહુલ એ કહ્યુ હતુ કે, હાર ક્યારેય આસાન નથી હોતી. સમજ નથી આવી રહ્યુ કે શુ બોલુ. અમારે નવી પિચને વધારે સારી રીતે અપડેટ કરવાની જરુર હતી. અમે બેટ સાથે સારુ પ્રદર્શન કરી શકતા હતા. આશા કરુ છુ કે, ખેલાડીઓ આનાથી વધારે સારુ પ્રદર્શન કરશે. કેટલાક સોફ્ટ ડિસમિસલ એ અમારી મુશ્કેલીઓ વધારી દીધી છે. અમારે આ હારને ભુલાવીને પોતાનુ માથુ ઉંચુ રાખવુ પડશે અને આગળ પ્રયાસ કરતા રહેવુ પડશે.
રાહુલ એ આગળ વાત કરતા કહ્યુ હતુ કે, રવિ બિશ્નોઇ શાનદાર રહ્યો હતો. જ્યારે તમારી પાસે જોન્ટી રહોડ્સ જેવા કોચ હોય તો ખેલાડીઓની ફિલ્ડીંગ પણ સારી હોય છે. તે અમારો મુશ્કેલ ટેસ્ટ લેતા હોય છે. જોઇએ યુવાનો આગળ કેવુ રિએક્ટ કરે છે. આશા કરુ છુ કે, અમે સાથે મળીને આગળ વધીશુ અને સારુ કરતા જઇશુ.