IPL 2021: ટૂર્નામેન્ટની ફાઇનલને લઇને ICC ને BCCI સાથે વાંધો, કહ્યુ આ સમસ્યાઓ IPLમાં સર્જાઈ શકે છે

અગાઉ જાણકારી આવી હતી, BCCI દશેરા (Dussehra) ના તહેવારે ફાઇનલ મેચ રમાડવા ઇચ્છે છે. BCCI એ મુજબ તૈયારીઓ પણ કરવાની કવાયતમાં હતુ. પરંતુ ICCસી એ ફાંસ મારી દીધી છે.

IPL 2021: ટૂર્નામેન્ટની ફાઇનલને લઇને ICC ને BCCI સાથે વાંધો, કહ્યુ આ સમસ્યાઓ IPLમાં સર્જાઈ શકે છે
ICC Trophy
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jun 09, 2021 | 11:27 AM

IPL 2021 ની આગળની મેચોના આયોજનને UAEમાં ખસેડવામાં આવ્યુ છે. પરંતુ હવે UAE માં પણ આયોજનની તારીખોને લઇને સંકટ પેદા થયુ છે. અગાઉ જાણકારી આવી હતી, BCCI દશેરા (Dussehra) ના તહેવારે ફાઇનલ મેચ રમાડવા ઇચ્છે છે. BCCI એ મુજબ તૈયારીઓ પણ કરવાની કવાયતમાં હતુ. પરંતુ ICC  એ ફાંસ મારી દીધી છે. ICCએ ફાઇનલ મેચ ને પાંચ દિવસ પહેલા જ સમેટી લેવા માટે કહી રહ્યુ છે.

મીડિયા રિપોર્ટસ મુજબ, પહેલા 15 ઓક્ટોબરે BCCI એ ફાઇનલ મેચ રમાડવા માટે મન બનાવી લીધુ હતુ. તો હવે જાણકારી આવી રહી છે કે, IPL 2021 ની ફાઇનલ મેચ ને 10 ઓક્ટોબર સુધીમાં સમાપ્ત કરી લેવી પડશે. ત્યાર બાદની આગળ કોઇ તારીખ ICC ને ફીટ બેસતી નથી. BCCI એ બાકી રહેલી 31 મેચોને લઇને ગત માસના અંતમાં જ આયોજન UAE ખસેડ્યાની જાહેરાત કરી હતી.

BCCI એ 31 મેચોના આયોજન માટે સપ્ટેમ્બર-ઓક્ટોબર માસ દરમ્યાન IPLની બાકી મેચોને રમાડવાનુ પણ કહ્યુ હતુ. દરમ્યાન ICCને જણાવ્યુ હતુ કે, T20 વિશ્વકપના ભારતમાં આયોજન માટે જૂન માસના અંત સુધીમાં નિર્ણય લેવાનુ કહ્યુ હતુ. BCCI હાલમાં બાકી 31 મેચોને થોડાક વધારે સમય સાથે આયોજીત કરવા ઇચ્છે છે. જેથી ડબલ હેડર મેચ ને ઘટાડી શકાય.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

આ માટે બોર્ડના ઉચ્ચ અધિકારીઓ એ UAEમાં ICC ના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. સાથએ જ પાછળના 10 દિવસ દરમ્યાન વિશ્વના અનેક દેશો સાથે પણ વાતચીત કરી હતી. જોકે ICCના સુત્રો ને આધારે મીડિયા રિપોર્ટ્સ બતાવે છે કે, તે વાતની સંભાવના નથી કે, IPL ના તબક્કા માટેનો સમય 10 ઓક્ટોબર થી વધારે કરી શકાય.

વિદેશી બોર્ડ પરવાનગીની પણ સમસ્યા

રિપોર્ટ મુજબ આગળ કહ્યુ કે, T20 વિશ્વકપની શરુઆત 18 ઓક્ટોબર થી થઇ શકે છે. તેવામાં તે કેવી રીતે સંભવ છે કે, IPL 2021 નુ આયોજન 15 ઓક્ટોબર સુધી કરાય. ICC આ પ્રકારની મંજૂરી ક્યારેય ના આપી શકે.

આ ઉપરાંત ICC T20 વિશ્વકપ 2021 માં હિસ્સો લેનારી ટીમ પોતાના ખેલાડીઓને 15 ઓક્ટોબર સુધી IPLમાં રહેવા માટે કેવી રીતે પરવાનગી આપી શકે. અમને લાગે છે કે, BCCI IPL 2021 ના આયોજનને 10 ઓક્ટોબર થી આગળ નહી લઇ જાય.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">