AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ind vs SA: ગુવાહાટીમાં ભરચક રહેશે સ્ટેડિયમ, મેચ પહેલા ગજબનો ઉત્સાહ છવાયો

ભારત અને દક્ષિણ આફ્રિકા (India Vs South Africa) વચ્ચે બીજી T20 મેચ રવિવારે ગુવાહાટી (Guwahati) માં રમાશે. સ્ટેડિયમ હાઉસફુલ રહેવાની આશા છે

Ind vs SA: ગુવાહાટીમાં ભરચક રહેશે સ્ટેડિયમ, મેચ પહેલા ગજબનો ઉત્સાહ છવાયો
Barsapara Cricket Stadium, Guwahatiની તમામ ટિકિટ વેચાઈ ગઈ
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 02, 2022 | 11:20 AM
Share

ભારત અને દક્ષિણ આફ્રિકા (India Vs South Africa) વચ્ચે બીજી T20 મેચ રવિવારે ગુવાહાટીમાં રમાશે. શ્રેણીમાં 1-0 થી આગળ ચાલી રહેલી ભારતીય ટીમ (Indian Cricket Team) ની નજર ગુવાહાટીમાં વિજય મેળવી શ્રેણી જીતવા પર છે. આ મેચને લઈને સમગ્ર ગુવાહાટી (Guwahati) માં ગજબ ઉત્સાહ છવાઈ ગયેલો છે. ચાહકો એકદમ અધીરા દેખાઈ રહ્યા છે. લાંબી રાહ જોયા બાદ ગુવાહાટીમાં યોજાનારી આ મેચ માટે ચાહકો એટલા ઉત્સાહિત છે કે તમામ ટિકિટો વેચાઈ ગઈ છે. એટલે કે આખું સ્ટેડિયમ ફુલ થઈ જશે. એક પણ બેઠક ખાલી નહીં રહે. આમ ભરચક સ્ટેડિયમ મેચ દરમિયાન ગૂંજતુ જોવા મળશે.

આસામ ક્રિકેટ એસોસિએશન (એસીએ)ના સચિવ દેવજીત સાઈકિયાએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે ટિકિટોના પારદર્શક વેચાણને કારણે ક્રિકેટ ચાહકોમાં પણ ઉત્સાહ વધ્યો છે. તેમણે કહ્યું કે તે સ્ટેડિયમ ભરાઈ જવાની પણ અપેક્ષા રાખે છે.

સામાન્ય લોકો માટે લગભગ 21 હજાર ટિકિટ

સાઈકિયાએ જણાવ્યું કે સ્ટેડિયમમાં લગભગ 38 હજાર સીટો છે, જેમાંથી 21 હજાર 200 ટિકિટ સામાન્ય લોકો માટે હતી. આ ટિકિટો બે તબક્કામાં ઓનલાઈન વેચાઈ હતી. ટિકિટોનું ઓનલાઈન વેચાણ શરૂ થતાંની સાથે જ તે ટૂંક સમયમાં વેચાઈ ગઈ. તેમણે કહ્યું કે કાઉન્ટર પર 12 હજાર ટિકિટ વેચાઈ હતી અને આ ટિકિટો જિલ્લા એસોસિએશન દ્વારા વેચવામાં આવી હતી.

માંડ 100 ટિકિટ પાછી આવી

આસામ ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરીએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે જિલ્લા એસોસિએશનોને મોકલવામાં આવેલી 40 થી 50 ટકા ટિકિટો વેચાયા વિના પરત કરવામાં આવતી હતી, પરંતુ આ વખતે માંડ જ 100 ટિકિટો પરત આવી છે. તેમણે કહ્યું કે બાકીની ટિકિટો રાજ્ય સંઘોને મોકલવામાં આવે છે, જે મહેમાનોને પાસ તરીકે આપવામાં આવે છે.

મેચ માટે આતુર ચાહકો

વાસ્તવમાં આ સ્ટેડિયમમાં 39 હજાર 500 દર્શકોની ક્ષમતા છે, પરંતુ 1500 સીટ પરથી મેદાન દેખાતું નથી. જાન્યુઆરી 2020માં છેલ્લી મેચ વરસાદને કારણે થઈ શકી ન હતી. આવી સ્થિતિમાં ચાહકો આ મેચ માટે ઉત્સુક છે. મેચનો રોમાંચ ગુવાહાટીમાં ગુંજી રહ્યો છે. ગુવાહાટીમાં, બધાની નજર મોહમ્મદ સિરાજ પર રહેશે, જેને ઈજાગ્રસ્ત જસપ્રિત બુમરાહની જગ્યાએ સમાન શ્રેણી માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">