AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS: શુભમન ગિલ અને સૂર્યકુમાર યાદવ કોણ બનશે રોહિત શર્માની પસંદગી? નાગપુર ટેસ્ટ પહેલા કેપ્ટને આપ્યો આમ જવાબ

આવતીકાલ ગુરુવારથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરીઝની શરુઆત થનારી છે. હાલમા સૂર્યકુમાર અને શુભમન ગિલ બંને શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. બંને અંતિમ ઈલેવન માટે દાવેદાર માનવામાં આવી રહ્યા છે.

IND vs AUS: શુભમન ગિલ અને સૂર્યકુમાર યાદવ કોણ બનશે રોહિત શર્માની પસંદગી? નાગપુર ટેસ્ટ પહેલા કેપ્ટને આપ્યો આમ જવાબ
Rohit Sharma drops hints
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 08, 2023 | 7:01 PM
Share

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 ટેસ્ટ મેચોની બોર્ડર ગાવાસ્કર ટ્રોફીની શરુઆત ગુરુવાર સવારથી થઈ રહી છે. સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચ નાગપુરમાં રમાનારી છે. સિરીઝ પર દુનિયાભરની નજર મંડરાઈ છે, બંને મજબૂત ટીમો એક બીજાની સામે છે, તો આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલની ટીમ સિરીઝના પરિણામ સાથે નક્કી થશે. ટીમ ઈન્ડિયા મજબૂત અંતિમ ઈલેવનને મેદાને ઉતારીને સિરીઝની શરુઆત જબરદસ્ત કરવા ઈચ્છશે. મજબૂત ટીમમાં સામેલ થવા માટે સૂર્યકુમાર યાદવ અને શુભમન ગિલ બંને દાવેદાર માનવામાં આવી રહ્યા છે.

ભારતીય ટીમના સુકાની રોહિત શર્માએ નાગપુર ટેસ્ટના એક દીવસ પહેલા જ પ્લેઈંગ ઈલેવન કેવી હોઈ શકે છે, એ બાબતે સસ્પેન્શ જાળવી રાખ્યુ છે. સુકાની રોહિત શર્માએ ઈલેવનને લઈ કહ્યુ હતુ કે, બધુ જ ટોસ સમયે જાણમાં આવશે.

પિચને આધારે પ્લેઈંગ ઈલેવન નક્કી કરાશે

શુભમન ગિલ અને સૂર્યકુમાર યાદવ બંને હાલમાં શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. બંને કાંગારુ ટીમના બોલિંગ આક્રમણનો મજબૂતાઈથી સામનો કરીને હરીફ ટીમની રણનિતી બગાડી શકે છે. બંને બેટરો ટીમમાં સામેલ થવા માટે પ્રબળ દાવેદાર માનાવામાં આવી રહ્યા છે. જોકે આ દરમિયાન બુધવારે ભારતીય ટીમના સુકાનીએ બતાવ્યુ હતુ તે, બેટિંગ અને બોલિંગની પ્રાથમિકતાઓને ખુલ્લી કરી શકે એમ નથી. આમ છતાં એક વાત કહી હતી કે, બહુસંખ્યક મેચોની સિરીઝમાં પિચના આધાર પર પ્લેઈંગ ઈલેવન પસંદ કરવામાં આવી શકે છે.

રોહિતને પ્લેઈંગ ઈલેવનમાં બંને ફોર્મમાં રહેલા ખેલાડીઓ વિશે સવાલ થયો હતો. ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરતા ખેલાડીને પણ ટીમથી બહાર નહીં કરાય. રોહિતે બતાવ્યુ હતુ કે, અંતિમ ઈલેવન નક્કી કરતી વખતે જે ખેલાડીના ફોર્મની સાથે પિચ પર ખેલાડીના કૌશલ્યને એટલુ જ ધ્યાને રાખવામાં આવશે. જોકે આ આકરો નિર્ણય હશે, પરંતુ અમને ખ્યાલ છે કે, ઘણાં ખેલાડીઓ સારા ફોર્મમાં છે આ ટીમ માટે સારો સંકેત છે.

જરુર જણાશે તેને સામેલ કરીશુ

આગળ પણ રોહિતે કહ્યું, પસંદગી એક મુદ્દો છે અને તે દર્શાવે છે કે ઘણા ખેલાડીઓ સારું પ્રદર્શન કરી રહ્યા છે. ટીમના દૃષ્ટિકોણથી તે ખૂબ જ મહત્વપૂર્ણ છે, અમારે માત્ર દરેક પીચને જોવી પડશે અને શ્રેષ્ઠ ઈલેવન પસંદ કરવી પડશે. અમે ભૂતકાળમાં પણ એવું જ કરતા આવ્યા છીએ અને ભવિષ્યમાં પણ કરીશું.

ભારતીય કેપ્ટને કહ્યું, ખેલાડીઓ માટે સંદેશ સ્પષ્ટ છે. અમે પીચના આધારે ખેલાડીઓને રમાડવા માટે તૈયાર છીએ. પીચ ગમે તે હોય, અમને જે પણ જરૂર પડશે અમે તેને ટીમમાં સામેલ કરીશું. આ એક સામાન્ય બાબત છે.

ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
g clip-path="url(#clip0_868_265)">