Hardik Pandya ઈંગ્લેન્ડ વિરુદ્ધ T20 સિરીઝમાં કેપ્ટનશીપ કરશે? રોહિત શર્મા રમશે નહિ!

|

Jun 21, 2022 | 5:43 PM

ભારતીય ક્રિકેટ ટીમ આયરલેન્ડ (India vs Ireland) વિરુદ્ધ 26 અને 28 જૂનના રોજ T20 મેચ રમશે. આ ટીમની કમાન પંડ્યા પાસે છે. એવા પણ સમાચાર છે કે, જે ટીમ આયરલેન્ડ વિરુદ્ધ રમશે તે ટીમ જ T20 સિરીઝમાં મેદાનમાં ઉતરી શકે છે.

Hardik Pandya ઈંગ્લેન્ડ વિરુદ્ધ T20 સિરીઝમાં કેપ્ટનશીપ કરશે? રોહિત શર્મા રમશે નહિ!
Hardik Pandya
Image Credit source: INSTAGRAM

Follow us on

India vs Ireland : ટુંક સમયમાં જ ભારતીય ટીમ આયરલેન્ડ  (India vs Ireland) વિરુદ્ધ T20 સીરિઝ રમવા ઉતરશે, પહેલી મેચ 26 જૂનના રોજ રમાશે. આ ટીમની કમાન હાર્દિક પાંડ્યાના હાથમાં છે કારણ કે કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma)ની આગેવાનીમાં ભારતીય ટીમ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝની 5મી મેચ રમશે, ગત્ત વર્ષ રમાયેલ ટેસ્ટ સિરીઝની છેલ્લી મેચ કોરોનાને કારણે સ્થગિત કરવી પડી હતી અને હવે આ અધુરી મેચ ટેસ્ટ સિરીઝ બાદ ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડ સામે ટી 20 રમવાની છે એવા પણ સમાચાર છે કે, હાર્દિક પંડ્યા(Hardik Pandya) ની કેપ્ટનશીપ વાળી ટીમ રમી શકે છે.

હાર્દિક પંડ્યા કેપ્ટનશીપ કરશે ?

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ આયરલેન્ડમાં T20 સિરીઝ રમનારી ટીમ ઈન્ડિયા જ ઈંગ્લેન્ડ વિરુદ્ધ T20 સિરીઝ રમવા મેદાનમાં ઉતરી શકે છે, સુત્રો મુજબ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનાર એજબેસ્ટન ટેસ્ટ 5 જુલાઈના રોજ પૂર્ણ થશે અને 7 જુલાઈથી T20 સિરીઝ રમનારી ટીમને ઈગ્લેન્ડ વિરુદ્ધ મેદાનમાં ઉતારી શકે છે. તમને જણાવી દઈએ કે, T20 સીરિઝ બાદ હાર્દિર પંડ્યાની કેપ્ટનશીપ વાળી ટીમ ડર્બીશર વિરુદ્ધ 1 જુલાઈના રોજ પ્રેક્ટિસ મેચ રમશે. ત્યારબાદ 3 જુલાઈના નૉર્થમ્ટ્નશર વિરુદ્ધ પણ T20 પ્રેક્ટિસ મેચ રમશે. આ દરમિયાન રોહિત શર્માની આગેવાની વાળી ટીમ એજબેસ્ટનમાં ટેસ્ટ સિરીઝ રમશે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

ટીમ ઈન્ડિયાએ લેસ્ટરશાયરમાં પ્રેક્ટિસ કેમ્પ પણ શરૂ કર્યો

ભારતીય ક્રિકેટ ટીમ (Team India) એ ઈંગ્લેન્ડની ધરતી પર પગ મુક્યો છે (ENG vs IND). ટીમ ઈન્ડિયાએ લેસ્ટરશાયરમાં પ્રેક્ટિસ કેમ્પ પણ શરૂ કર્યો છે. 24 જૂને વોર્મ-અપ મેચ છે અને તેના માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. પરંતુ આ દરમિયાન વિરાટ કોહલી (Virat Kohli) , રોહિત શર્મા (Rohit Sharma) ની હરકતોથી BCCI નારાજ થઈ ગયું છે. આ નારાજગીનું કારણ એ છે કે વિરાટ કોહલી અને રોહિત શર્મા તેમના ફેન્સ સાથે ફોટો પડાવે છે. તમને જણાવી દઈએ કે લંડન પહોંચ્યા બાદ કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી રસ્તાઓ પર ફરતા જોવા મળ્યા હતા અને તેઓએ ફેન્સ સાથે ફોટા પડાવવા માટે પોઝ પણ આપ્યા હતા.

ભારત v/s આયરલેન્ડનું શેડ્યુલ

ભારત v/s આયરલેન્ડ, પ્રથમ T20 મેચ 26 જૂન

ભારત v/s આયરલેન્ડ, બીજી T20 મેચ 28 જૂન

ભારત v/s ઈંગ્લેન્ડનું શેડ્યુલ

1 જુલાઈ T20 વોર્મ-અપ વિ ડર્બીશાયર

3 જુલાઈ T20 વોર્મ-અપ વિ નોર્થમ્પટનશાયર

7 જુલાઈ 1લી T20I, ધ એજીસ બાઉલ

9 જુલાઈ 2જી T20I, એજબેસ્ટન

10 જુલાઈ 3જી T20I, ટ્રેન્ટ બ્રિજ

12 જુલાઈ 1લી ODI, ધ ઓવલ

14 જુલાઈ 2જી ODI, લોર્ડ્સ

17 જુલાઈ 3જી ODI, ઓલ્ડ ટ્રેફોર્ડ

Next Article