Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND VS SL, 1st Test: શ્રીલંકા પર ભારે પડશે ભારત, જાણો કેવી હશે મોહાલી ટેસ્ટમાં ભારતીય Playing XI

India Playing XI 1st Test: શુક્રવારથી મોહાલી (Mohali Test) માં ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે, જેમાં ટેસ્ટ કેપ્ટન તરીકે રોહિત શર્માની ડેબ્યૂ ટેસ્ટ.

IND VS SL, 1st Test: શ્રીલંકા પર ભારે પડશે ભારત, જાણો કેવી હશે મોહાલી ટેસ્ટમાં ભારતીય Playing XI
ભારત અને શ્રીલંકા વચ્ચે શુક્રવાર થી ટેસ્ટ સિરીઝનો પ્રારંભ થશે.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 03, 2022 | 6:54 PM

ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ મોહાલીમાં રમાશે. ટીમ ઈન્ડિયા માટે આ મેચ ઘણા કારણોસર ખૂબ જ ખાસ છે. સૌથી પહેલા તો આ મેચ વિરાટ કોહલીની કારકિર્દીની 100મી ટેસ્ટ મેચ છે. ટેસ્ટ કેપ્ટન તરીકે રોહિત શર્મા (Rohit Sharma) ની આ પ્રથમ મેચ છે. સાથે જ, ટીમ ઈન્ડિયા (India vs Sri Lanka) નો મિડલ ઓર્ડર હવે નવા ખેલાડીઓથી સજ્જ દેખાશે, કારણ કે લાંબા સમય બાદ ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણેને ટેસ્ટ ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે. રહાણે અને પુજારાની બહાર થવાથી યુવા ખેલાડીઓ માટે તક મળી છે. જોકે, આ દરમિયાન પણ ટીમ ઈન્ડિયા મેનેજમેન્ટ એ વાત પર અટવાયું છે કે પુજારા-રહાણેને બદલે પ્લેઈંગ ઈલેવન (India Playing XI 1st Test) માં કયા ખેલાડીઓને તક આપવી જોઈએ? ભારતની જે પ્રકારની બેન્ચ સ્ટ્રેન્થ છે, તેના માટે આ સમસ્યાનો સામનો કરવો સારી વાત છે.

રોહિત શર્મા અને રાહુલ દ્રવિડની જોડી હંમેશા પિચ, હરીફ અનુસાર પ્લેઈંગ ઈલેવનને ઉતારે છે. બંનેનો ઉદ્દેશ્ય પ્લેઈંગ ઈલેવનમાં સંતુલન જાળવવાનો છે. મોહાલીમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન કેવી હશે, રહાણે-પુજારાની જગ્યાએ કોને મળશે તક? ચાલો તમને જણાવીએ કે મોહાલી ટેસ્ટમાં ભારતની પ્લેઈંગ ઈલેવન.

ટીમ ઈન્ડિયાની ઓપનીંગ

ભારતની ઓપનિંગની જવાબદારી રોહિત શર્મા અને મયંક અગ્રવાલ પર રહેશે. રોહિત શર્માએ ટેસ્ટમાં મિડલ ઓર્ડરમાં ઘણી મેચો રમી પરંતુ અંતે તેને માત્ર ઓપનિંગ સ્લોટમાં જ અદ્ભુત સફળતા મળી. હવે રોહિત કેપ્ટન બની ગયો છે અને છતાં તે આ પદ પર રમવા જઈ રહ્યો છે. મયંક અગ્રવાલ તેની સાથે ઓપનિંગ કરતો જોવા મળશે કારણ કે કેએલ રાહુલ ટીમમાં નથી.

Air Coolers : ઉનાળામાં ઠંડી હવા આપશે આ 5 સસ્તા કુલર, કિંમત 5000 રૂપિયાથી ઓછી
કાવ્યાની ટીમના 23 વર્ષના ખેલાડીએ IPLમાં પોતાની પહેલી અડધી સદી ફટકારી
શેરડીના રસમાં કયા વિટામિન ભરપૂર હોય છે?
મુકેશ અંબાણીની Jio યુઝર્સને ભેટ, 365 દિવસના પ્લાનમાં મળશે 912.5 GB ડેટા ફ્રી !
Navratri: નવરાત્રી દરમિયાન ભૂલથી પણ આ વસ્તુઓ ન ખરીદો, તમારા જીવનમાં ગરીબી છવાઈ જશે!
તુલસીના છોડમાં કીડીઓનું નીકળવું કઈ વાતનો આપે છે સંકેત?

પુજારાનું સ્થાન લેશે ગિલ!

ચેતેશ્વર પૂજારાની જગ્યાએ શુભમન ગિલને ત્રીજા નંબર પર તક મળી શકે છે. જો આમ થશે તો ભારત નંબર 3 પર આક્રમક ખેલાડીને મેદાનમાં ઉતારવા જઈ રહ્યું છે. એક તરફ જ્યાં પૂજારા ડિફેન્સિવ ક્રિકેટ રમતો હતો, તો બીજી તરફ પોતાની આક્રમક બેટિંગ માટે પ્રખ્યાત શુભમન ગિલ હવે ભારતીય ટીમને એક નવા અંદાજમાં રજૂ કરશે. ચોથા નંબર પર માત્ર વિરાટ કોહલી જ ઉતરશે. 100મી ટેસ્ટમાં આ દિગ્ગજ ખેલાડી પાસેથી સદીનો દુષ્કાળ ખતમ થવાની આશાઓ છે.

5માં નંબર પર કોણ રમશે?

અજિંક્ય રહાણેની જગ્યાએ બે દાવેદાર છે. પહેલું નામ- હનુમા વિહારી, બીજું નામ- શ્રેયસ અય્યર. હનુમા વિહારી ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ છે અને તેમને લાંબા સમયથી યોગ્ય રીતે તકો મળી નથી. તેણે ભારતની ધરતી પર માત્ર એક જ ટેસ્ટ રમી છે. તેને વિદેશમાં અલગ-અલગ બેટિંગ પોઝિશન પર પણ તક આપવામાં આવી હતી. હવે ટીમ ઈન્ડિયા હનુમા વિહારીને તક આપી શકે છે.

બીજી તરફ શ્રીલંકા સામે સિરીઝનો સર્વશ્રેષ્ઠ ખેલાડી અને ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારનાર શ્રેયસ અય્યરને બહાર બેસવું પડી શકે છે. વિકેટકીપિંગની જવાબદારી હંમેશાની જેમ પંત પાસે રહેશે. આ સાથે જ જાડેજા અને અશ્વિનની જોડી ફરી એકવાર મેદાનમાં ઉતરશે. ફાસ્ટ બોલરોમાં શમી, બુમરાહ અને સિરાજ રમી રહ્યા હોવાનું માનવામાં આવે છે.

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન

રોહિત શર્મા, મયંક અગ્રવાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, હનુમા વિહારી, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ.

આ પણ વાંચોઃ IND vs SA: રાજકોટમાં રમાશે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની T20 મેચ, BCCI એ શ્રેણીની તૈયારી શરુ કરી

આ પણ વાંચોઃ Russia Ukraine War: પુતિનની નજીકના મનાતા રશિયન અરબોપતિ વેચી દેશે ચેલ્સી ફુટબોલ ક્લબ, યુક્રેનને આ રીતે કરશે મદદ

31 માર્ચથી 3 એપ્રિલ સુધી આ જિલ્લામાં રહેશે વરસાદી માહોલ
31 માર્ચથી 3 એપ્રિલ સુધી આ જિલ્લામાં રહેશે વરસાદી માહોલ
આજથી ચૈત્ર મહિનાનો પ્રારંભ, શક્તિપીઠ સહિતના મંદિરોમાં લાગી ભક્તોની ભીડ
આજથી ચૈત્ર મહિનાનો પ્રારંભ, શક્તિપીઠ સહિતના મંદિરોમાં લાગી ભક્તોની ભીડ
મુસ્લિમોનો અત્યાચાર ભૂલવાનો નથી - પૂર્વ નાયબ CM નીતિન પટેલ
મુસ્લિમોનો અત્યાચાર ભૂલવાનો નથી - પૂર્વ નાયબ CM નીતિન પટેલ
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અશ્લીલ હરકત કરતા 2 તબીબને કરાયા ટર્મિનેટ
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અશ્લીલ હરકત કરતા 2 તબીબને કરાયા ટર્મિનેટ
મંજુસર GIDCમાં ટાઈલ્સનો પાઉડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
મંજુસર GIDCમાં ટાઈલ્સનો પાઉડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
Rajkot : ન્યારી ડેમ રોડ પર થયેલા અકસ્માત ચોંકાવનારા CCTV આવ્યા સામે
Rajkot : ન્યારી ડેમ રોડ પર થયેલા અકસ્માત ચોંકાવનારા CCTV આવ્યા સામે
Dwarka : ખંભાળિયામાં દારુની હેરાફેરી ઝડપાઈ
Dwarka : ખંભાળિયામાં દારુની હેરાફેરી ઝડપાઈ
ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી, આ તારીખે કેટલાક જિલ્લાઓમાં પડશે માવઠું
ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી, આ તારીખે કેટલાક જિલ્લાઓમાં પડશે માવઠું
WITT 2025: જયા કિશોરી એક સારી કથાકાર છે, ધીરેન્દ્ર શાસ્ત્રીએ શું કહ્યુ
WITT 2025: જયા કિશોરી એક સારી કથાકાર છે, ધીરેન્દ્ર શાસ્ત્રીએ શું કહ્યુ
g clip-path="url(#clip0_868_265)">