IND VS SL, 1st Test: શ્રીલંકા પર ભારે પડશે ભારત, જાણો કેવી હશે મોહાલી ટેસ્ટમાં ભારતીય Playing XI

India Playing XI 1st Test: શુક્રવારથી મોહાલી (Mohali Test) માં ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે, જેમાં ટેસ્ટ કેપ્ટન તરીકે રોહિત શર્માની ડેબ્યૂ ટેસ્ટ.

IND VS SL, 1st Test: શ્રીલંકા પર ભારે પડશે ભારત, જાણો કેવી હશે મોહાલી ટેસ્ટમાં ભારતીય Playing XI
ભારત અને શ્રીલંકા વચ્ચે શુક્રવાર થી ટેસ્ટ સિરીઝનો પ્રારંભ થશે.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 03, 2022 | 6:54 PM

ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ મોહાલીમાં રમાશે. ટીમ ઈન્ડિયા માટે આ મેચ ઘણા કારણોસર ખૂબ જ ખાસ છે. સૌથી પહેલા તો આ મેચ વિરાટ કોહલીની કારકિર્દીની 100મી ટેસ્ટ મેચ છે. ટેસ્ટ કેપ્ટન તરીકે રોહિત શર્મા (Rohit Sharma) ની આ પ્રથમ મેચ છે. સાથે જ, ટીમ ઈન્ડિયા (India vs Sri Lanka) નો મિડલ ઓર્ડર હવે નવા ખેલાડીઓથી સજ્જ દેખાશે, કારણ કે લાંબા સમય બાદ ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણેને ટેસ્ટ ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે. રહાણે અને પુજારાની બહાર થવાથી યુવા ખેલાડીઓ માટે તક મળી છે. જોકે, આ દરમિયાન પણ ટીમ ઈન્ડિયા મેનેજમેન્ટ એ વાત પર અટવાયું છે કે પુજારા-રહાણેને બદલે પ્લેઈંગ ઈલેવન (India Playing XI 1st Test) માં કયા ખેલાડીઓને તક આપવી જોઈએ? ભારતની જે પ્રકારની બેન્ચ સ્ટ્રેન્થ છે, તેના માટે આ સમસ્યાનો સામનો કરવો સારી વાત છે.

રોહિત શર્મા અને રાહુલ દ્રવિડની જોડી હંમેશા પિચ, હરીફ અનુસાર પ્લેઈંગ ઈલેવનને ઉતારે છે. બંનેનો ઉદ્દેશ્ય પ્લેઈંગ ઈલેવનમાં સંતુલન જાળવવાનો છે. મોહાલીમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન કેવી હશે, રહાણે-પુજારાની જગ્યાએ કોને મળશે તક? ચાલો તમને જણાવીએ કે મોહાલી ટેસ્ટમાં ભારતની પ્લેઈંગ ઈલેવન.

ટીમ ઈન્ડિયાની ઓપનીંગ

ભારતની ઓપનિંગની જવાબદારી રોહિત શર્મા અને મયંક અગ્રવાલ પર રહેશે. રોહિત શર્માએ ટેસ્ટમાં મિડલ ઓર્ડરમાં ઘણી મેચો રમી પરંતુ અંતે તેને માત્ર ઓપનિંગ સ્લોટમાં જ અદ્ભુત સફળતા મળી. હવે રોહિત કેપ્ટન બની ગયો છે અને છતાં તે આ પદ પર રમવા જઈ રહ્યો છે. મયંક અગ્રવાલ તેની સાથે ઓપનિંગ કરતો જોવા મળશે કારણ કે કેએલ રાહુલ ટીમમાં નથી.

PKL ઈતિહાસમાં આ ટીમો સતત જીતી છે કબડ્ડી મેચ, જુઓ લિસ્ટ
સુરતમાં 5 ડિસેમ્બરથી લિજેન્ડ્સ ક્રિકેટ લીગનો ક્વોલિફાયર રાઉન્ડ શરુ
એકલા હાથે પિંક પેન્થર્સને જીતાડી શકે છે આ ખેલાડી, જાણો કોણ છે
5 લાખ રુપિયાના બનાવો 15 લાખ રુપિયા, આટલા વર્ષ લમસમ રોકાણ કરો
શિયાળામાં આદુ ખાઓ, ઈમ્યુનિટી સિસ્ટમ મજબૂત બનાવો
ગોલ્ડન ડક મામલે ભારતીય દિગ્ગજનો રેકોર્ડ સૂર્યકુમાર યાદવ કરતા પણ ખરાબ

પુજારાનું સ્થાન લેશે ગિલ!

ચેતેશ્વર પૂજારાની જગ્યાએ શુભમન ગિલને ત્રીજા નંબર પર તક મળી શકે છે. જો આમ થશે તો ભારત નંબર 3 પર આક્રમક ખેલાડીને મેદાનમાં ઉતારવા જઈ રહ્યું છે. એક તરફ જ્યાં પૂજારા ડિફેન્સિવ ક્રિકેટ રમતો હતો, તો બીજી તરફ પોતાની આક્રમક બેટિંગ માટે પ્રખ્યાત શુભમન ગિલ હવે ભારતીય ટીમને એક નવા અંદાજમાં રજૂ કરશે. ચોથા નંબર પર માત્ર વિરાટ કોહલી જ ઉતરશે. 100મી ટેસ્ટમાં આ દિગ્ગજ ખેલાડી પાસેથી સદીનો દુષ્કાળ ખતમ થવાની આશાઓ છે.

5માં નંબર પર કોણ રમશે?

અજિંક્ય રહાણેની જગ્યાએ બે દાવેદાર છે. પહેલું નામ- હનુમા વિહારી, બીજું નામ- શ્રેયસ અય્યર. હનુમા વિહારી ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ છે અને તેમને લાંબા સમયથી યોગ્ય રીતે તકો મળી નથી. તેણે ભારતની ધરતી પર માત્ર એક જ ટેસ્ટ રમી છે. તેને વિદેશમાં અલગ-અલગ બેટિંગ પોઝિશન પર પણ તક આપવામાં આવી હતી. હવે ટીમ ઈન્ડિયા હનુમા વિહારીને તક આપી શકે છે.

બીજી તરફ શ્રીલંકા સામે સિરીઝનો સર્વશ્રેષ્ઠ ખેલાડી અને ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારનાર શ્રેયસ અય્યરને બહાર બેસવું પડી શકે છે. વિકેટકીપિંગની જવાબદારી હંમેશાની જેમ પંત પાસે રહેશે. આ સાથે જ જાડેજા અને અશ્વિનની જોડી ફરી એકવાર મેદાનમાં ઉતરશે. ફાસ્ટ બોલરોમાં શમી, બુમરાહ અને સિરાજ રમી રહ્યા હોવાનું માનવામાં આવે છે.

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન

રોહિત શર્મા, મયંક અગ્રવાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, હનુમા વિહારી, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ.

આ પણ વાંચોઃ IND vs SA: રાજકોટમાં રમાશે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની T20 મેચ, BCCI એ શ્રેણીની તૈયારી શરુ કરી

આ પણ વાંચોઃ Russia Ukraine War: પુતિનની નજીકના મનાતા રશિયન અરબોપતિ વેચી દેશે ચેલ્સી ફુટબોલ ક્લબ, યુક્રેનને આ રીતે કરશે મદદ

Latest News Updates

ગુજરાતમાં આગામી 48 કલાક સુધી કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં આગામી 48 કલાક સુધી કમોસમી વરસાદની આગાહી
તાપી નદીમાં પડતુ મુકનાર યુવકને ફાયરબ્રિગેડે જીવ જોખમમાં મુકી બચાવ્યો
તાપી નદીમાં પડતુ મુકનાર યુવકને ફાયરબ્રિગેડે જીવ જોખમમાં મુકી બચાવ્યો
વાંકાનેરમાં નક્લી ટોલનાકુ ઉભુ કરી ઉઘરાણા કરતા પાંચ શખ્સો સામે ફરિયાદ
વાંકાનેરમાં નક્લી ટોલનાકુ ઉભુ કરી ઉઘરાણા કરતા પાંચ શખ્સો સામે ફરિયાદ
ગુજરાતના 156 માછીમારો હજુ પાકિસ્તાન જેલમાં બંધ: શક્તિસિંહ ગોહિલે
ગુજરાતના 156 માછીમારો હજુ પાકિસ્તાન જેલમાં બંધ: શક્તિસિંહ ગોહિલે
બોલિવુડથી લઈ હોલિવુડ સુધી ફેમસ મુસ્લિમ કલાકારના ઘરે વાગ્યા ઢોલ મંજીરા
બોલિવુડથી લઈ હોલિવુડ સુધી ફેમસ મુસ્લિમ કલાકારના ઘરે વાગ્યા ઢોલ મંજીરા
ક્રિસ ગેલ, શ્રીસંત, સહિતના ક્રિકેટ દિગ્ગજો પહોંચ્યા સુરત
ક્રિસ ગેલ, શ્રીસંત, સહિતના ક્રિકેટ દિગ્ગજો પહોંચ્યા સુરત
ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની આગોતરા જામીન અરજી નામંજૂર
ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની આગોતરા જામીન અરજી નામંજૂર
ચૂંટણી જીતતા જ રસ્તા પરથી નોનવેજની દુકાનો હટાવવા ધારાસભ્યે કર્યુ ફરમાન
ચૂંટણી જીતતા જ રસ્તા પરથી નોનવેજની દુકાનો હટાવવા ધારાસભ્યે કર્યુ ફરમાન
બોયફ્રેન્ડ સાથે ઉજ્જૈન પહોચી જ્હાન્વી કપૂર, જુઓ વીડિયો
બોયફ્રેન્ડ સાથે ઉજ્જૈન પહોચી જ્હાન્વી કપૂર, જુઓ વીડિયો
કુંડળીમાં બનતો ત્રિલોચન યોગ જાતકને બનાવે છે તેજસ્વી અને ક્રાંતિકારી
કુંડળીમાં બનતો ત્રિલોચન યોગ જાતકને બનાવે છે તેજસ્વી અને ક્રાંતિકારી
g clip-path="url(#clip0_868_265)">