Virat Kohli ને રજાઓ ટૂંકાવી પરત ફરવુ પડશે! ટીમ ઈન્ડિયા સાથે વન ડે શ્રેણી રમવા ઝિમ્બાબ્વે પ્રવાસે મોકલવાની BCCI ની તૈયારીઓ

ટીમ ઈન્ડિયાના પસંદગીકારો ઈચ્છે છે કે વિરાટ કોહલી (Virat Kohli) ઝિમ્બાબ્વે શ્રેણીમાં રમતા જોવા મળે. પસંદગીકારોની આ ઈચ્છા પાછળ વિરાટ કોહલી નું આઉટ ઓફ ફોર્મ છે. વાસ્તવમાં, ટીમ પસંદ કરનારાઓ ઈચ્છે છે કે તેઓ તેમના ફોર્મમાં આવે.

Virat Kohli ને રજાઓ ટૂંકાવી પરત ફરવુ પડશે! ટીમ ઈન્ડિયા સાથે વન ડે શ્રેણી રમવા ઝિમ્બાબ્વે પ્રવાસે મોકલવાની BCCI ની તૈયારીઓ
Virat Kohli હાલમાં બ્રેક લઈ પેરિસમાં પરિવાર સાથે રજા માણી રહ્યો છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2022 | 9:35 AM

વિરાટ કોહલી (Virat Kohli) હાલ બ્રેક પર છે. તે પરિવાર સાથે લંડન અને પેરિસના પ્રવાસમાં છે. જ્યા તે અનુષ્કા શર્મા (Anushka Sharma) સાથે એક માસનો સમય પસાર કરશે તેવા અહેવાલો છે. પરંતુ, હવે નવા અહેવાલો સામે આવી રહ્યા છે, એ મુજબ હવે તે એક માસનો સમય રજાઓમાં ગાળી શકે એમ નથી. આમ તો પહેલા એમ હતુ કે, કોહલી સીધો જ એશિયા કપમાં હાજર થશે. જોકે BCCI નો એક નિર્ણય તેની રજાઓના સમયને ટૂંકાવી દે એમ છે. એટલે કે તેનો બ્રેક વહેલો સમાપ્ત થઇ શકે છે. ટીમ ઈન્ડિયાના પસંદગીકારો ઈચ્છે છે કે તે ઝિમ્બાબ્વે (India vs Zimbabwe) સામેની વન ડે શ્રેણીમાં રમતા જોવા મળે. પસંદગીકારોની આ ઈચ્છા પાછળ વિરાટ કોહલીનું આઉટ ઓફ ફોર્મ છે. વાસ્તવમાં, ટીમ પસંદ કરનારાઓ ઈચ્છે છે કે તેઓ તેમના ફોર્મમાં આવે.

ભારતે ઝિમ્બાબ્વે સામે 3 વન-ડે મેચોની શ્રેણી રમવાની છે અને તેમાં વિરાટ કોહલીને રમાડવો છે, આ ભારતીય પસંદગીકારોની ઈચ્છા છે. એક મીડિયા અહેવાલ મુજબ તેમને પસંદગી સમિતિના એક સભ્યએ કહ્યું, આશા છે કે, તેને મળેલો બ્રેક તેને માનસિક શક્તિ આપશે અને તે તેનું ફોર્મ પાછું મેળવવામાં સક્ષમ હશે. પરંતુ સત્ય એ પણ છે કે આંતરરાષ્ટ્રીય મેચો રમ્યા વિના તમે ફોર્મમાં પરત ફરી શકતા નથી. આવી સ્થિતિમાં અમે ઈચ્છીએ છીએ કે તે ઝિમ્બાબ્વે સામેની શ્રેણીમાં રમે. વિરાટ ODI ક્રિકેટને પણ મહત્વ આપે છે અને અહીં રમવાથી તેને એશિયા કપ પહેલા તેનું ખોવાયેલું ફોર્મ પાછું મેળવવામાં પણ મદદ મળશે. જો કે અમે આ અંગે અંતિમ નિર્ણય ટીમ સિલેક્શન સમયે લઈશું.

ઝિમ્બાબ્વે સામે 18મી ઓગસ્ટથી શ્રેણી શરૂ થશે

એવી અપેક્ષા છે કે ભારત ઝિમ્બાબ્વે પ્રવાસ માટે તેની બી-ટીમ મોકલશે, જેથી તમામ સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવશે. તે ટીમની કમાન સંભવતઃ શિખર ધવનના હાથમાં હશે. ભારતીય પસંદગીકારો ઈચ્છે છે કે વિરાટ કોહલી તે શ્રેણીમાં પણ રમે, પરંતુ સમસ્યા એ છે કે આ શ્રેણી પછી ભારતે તરત જ એશિયા કપ રમવો પડશે, જે હવે શ્રીલંકાને બદલે યુએઈમાં રમાઈ શકે છે. ઝિમ્બાબ્વે સામેની વનડે શ્રેણી 18 ઓગસ્ટથી શરૂ થવાની છે.

આજનું રાશિફળ તારીખ : 15-05-2024
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન

અગાઉ એવા અહેવાલ હતા કે વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડ પ્રવાસ બાદ એક મહિનાની રજા લીધી છે. હવે તે ઓગસ્ટના અંતથી શરૂ થઈ રહેલા એશિયા કપમાં સીધો જ રમતા જોવા મળશે. વિરાટ કોહલી 1 ઓગસ્ટથી એશિયા કપની તૈયારીઓ શરૂ કરવાનો હતો. પરંતુ હવે પસંદગીકારો ઈચ્છે છે કે તે ઝિમ્બાબ્વે સામેની શ્રેણીમાં રમે અને પોતાનું ખોવાયેલું ફોર્મ પાછું મેળવવાનો પ્રયાસ કરે.

Latest News Updates

ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી
ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી
માવઠાથી રાજ્યમાં 7 લોકોના મોત, 11 ટાઉનમાં વીજળી ડૂલ
માવઠાથી રાજ્યમાં 7 લોકોના મોત, 11 ટાઉનમાં વીજળી ડૂલ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે વેપારમાં થશે ફાયદો
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે વેપારમાં થશે ફાયદો
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
g clip-path="url(#clip0_868_265)">