IND vs ZIM : રિયાન પરાગ સહિત આ 4 ખેલાડીઓ બહાર, ટીમ ઈન્ડિયાએ લીધો મોટો નિર્ણય

ઝિમ્બાબ્વે સામેની ત્રીજી T20માં ટીમ ઈન્ડિયાએ તેની પ્લેઈંગ ઈલેવનમાં ચાર મોટા ફેરફારો કર્યા છે. શુભમન ગિલે વર્લ્ડ ચેમ્પિયન ખેલાડી યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન અને શિવમ દુબેને ટીમમાં સામેલ કર્યા હતા. જોકે તેની સામે ચાર ખેલાડીઓને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે.

IND vs ZIM : રિયાન પરાગ સહિત આ 4 ખેલાડીઓ બહાર, ટીમ ઈન્ડિયાએ લીધો મોટો નિર્ણય
Team India
Follow Us:
| Updated on: Jul 10, 2024 | 6:38 PM

ઝિમ્બાબ્વે સામેની ત્રીજી T20માં ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. પરંતુ સિક્કાની રમત જીત્યા બાદ તેણે જે નિર્ણય લીધો તે ઘણો રસપ્રદ હતો. શુભમન ગિલે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં 4 ફેરફાર કર્યા છે. ટીમની પ્લેઈંગ ઈલેવનમાં ત્રણ વર્લ્ડ કપ વિજેતા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. શિવમ દુબે, યશસ્વી જયસ્વાલ અને સંજુ સેમસનને હરારેમાં તક મળી. આ ઉપરાંત લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર ખલીલ અહેમદની પણ પ્લેઈંગ ઈલેવનમાં પસંદગી કરવામાં આવી હતી.

આ 4 ખેલાડીઓ બહાર

સંજુ સેમસન, યશસ્વી જયસ્વાલ અને શિવમ દુબેની એન્ટ્રી સાથે પ્લેઈંગ ઈલેવનમાંથી ધ્રુવ જુરેલ, રાયન પરાગ, સાઈ સુદર્શનને બેંચ પર બેસાડવામાં આવ્યા હતા. આ સિવાય ફાસ્ટ બોલર મુકેશ કુમારને આરામ આપવામાં આવ્યો હતો.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

પ્લેઈંગ ઈલેવનમાં ટોપ ઓર્ડરના 5 બેટ્સમેન

જો કે, ટીમ ઈન્ડિયાએ ત્રીજી T20માં જે પ્લેઈંગ ઈલેવનને મેદાનમાં ઉતાર્યું છે તેમાં ટોપ ઓર્ડરના પાંચ બેટ્સમેન છે. જેમાં શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, ઋતુરાજ ગાયકવાડ, સંજુ સેમસન અને અભિષેક શર્માનો સમાવેશ થાય છે. કોઈ ટીમની પ્લેઈંગ ઈલેવનમાં આટલા બધા ટોપ ઓર્ડર બેટ્સમેનને રમતા જોવું ખૂબ જ દુર્લભ છે. જોકે, ગાયકવાડ અને સેમસનને મધ્ય ઓવરો દરમિયાન પણ બેટિંગ કરવાનો અનુભવ છે.

ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન

યશસ્વી જયસ્વાલ, અભિષેક શર્મા, શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, સંજુ સેમસન, શિવમ દુબે, રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, ખલીલ અહેમદ.

સિરીઝ 1-1ની બરાબરી પર

T20 સિરીઝની વાત કરીએ તો પહેલી મેચ ઝિમ્બાબ્વેએ જીતી હતી પરંતુ ત્યાર બાદ ટીમ ઈન્ડિયાએ જોરદાર વાપસી કરી હતી અને 100 રનથી જીત મેળવી હતી. આ મેચમાં અભિષેક શર્માએ શાનદાર સદી ફટકારી હતી.

આ પણ વાંચો: ગૌતમ ગંભીર બાદ વધુ એક વર્લ્ડ ચેમ્પિયનની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી! મળશે મોટી જવાબદારી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">