IND vs WI: પ્રેક્ષકો T20 Series નહી રહી શકે ઉપસ્થિત, BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ આપી મોટી જાણકારી

કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ (India vs West Indies) વચ્ચે ત્રણ T20 મેચોની શ્રેણી રમવાની છે.

IND vs WI: પ્રેક્ષકો T20 Series નહી રહી શકે ઉપસ્થિત, BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ આપી મોટી જાણકારી
ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ની ટી20 સિરીઝ કોલકાતામાં રમાનારી છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 04, 2022 | 4:36 PM

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ત્રણ મેચની T20 શ્રેણી (India vs West Indies T20 Series) પણ દર્શકો વિના રમાશે. BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) એ 4 ફેબ્રુઆરીએ આ માહિતી આપી હતી. કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં ત્રણ ટી-20 મેચોની શ્રેણી રમાવાની છે. બંગાળ સરકારે કોરોના નિયમોમાં રાહત આપતા સ્ટેડિયમમાં 75 ટકા દર્શકોની હાજરીને મંજૂરી આપી છે. પરંતુ ભારતીય ક્રિકેટ બોર્ડ દર્શકો માટે દરવાજા ખોલશે નહીં. આ પહેલા યોજાનારી ODI શ્રેણી પણ દર્શકો વગરની હશે. ODI શ્રેણીની મેચો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં યોજાવાની છે.

ન્યૂઝ એજન્સી પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં સૌરવ ગાંગુલીએ કોલકાતામાં ઓડિયન્સ એન્ટ્રીના સવાલ પર કહ્યું, ‘હું ઓન રેકોર્ડ કહી રહ્યો છું. અમે ઈડન ગાર્ડન્સમાં દર્શકોને ત્રણ T20 મેચો માટે મંજૂરી આપી રહ્યાં નથી. જનતા માટે કોઈ ટિકિટ હશે નહીં. સ્ટેડિયમમાં ફક્ત બંગાળ ક્રિકેટ એસોસિએશનના અધિકારીઓ અને વિવિધ એકમોના પ્રતિનિધિઓને જ પ્રવેશ આપવામાં આવશે. આવા સમયે અમે દર્શકોને મંજૂરી આપીને ખેલાડીઓના સ્વાસ્થ્યને જોખમમાં ન નાખી શકીએ. કોઈ ટિકિટ આપવામાં આવશે નહીં. જો કે અમારી પાસે બંગાળ સરકારની પરવાનગી છે, પરંતુ BCCI ખેલાડીઓના સ્વાસ્થ્યને જોખમમાં નાખવા માંગતું નથી.

T20 સિરીઝ 16 ફેબ્રુઆરીથી શરૂ થશે

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 16 ફેબ્રુઆરીથી T20 સિરીઝ શરૂ થવાની છે. આ પહેલા 6 થી 11 ફેબ્રુઆરી દરમિયાન ODI શ્રેણીની મેચો રમાવાની છે. આ માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમ ભારત પહોંચી ગઈ છે. સાથે જ ભારતીય ખેલાડીઓ પણ અમદાવાદમાં છે અને પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. જો કે ટીમ ઈન્ડિયામાં કોરોનાના કેસો સામે આવ્યા છે. ત્રણ ખેલાડીઓ ઉપરાંત સપોર્ટ સ્ટાફ પણ કોરોનાની ઝપેટમાં છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

કોરોના પોઝિટિવ મળી આવેલા ખેલાડીઓના નામોમાં શિખર ધવન, ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ અય્યરનો સમાવેશ થાય છે. આ સિવાય ફાસ્ટ બોલર નવદીપ સૈની અને ફિલ્ડિંગ કોચ ટી દિલીપ પણ પોઝિટિવ છે. જો કે તેમ છતાં બીસીસીઆઈએ સીરીઝના શેડ્યૂલમાં કોઈ ફેરફાર કર્યો નથી. કોરોના કેસ સામે આવ્યા બાદ મયંક અગ્રવાલ અને ઈશાન કિશનને ODI ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ IPL Mega Auction: મહેન્દ્રસિંહ ધોની અને ગૌતમ ગંભીર પણ ખેલાડીઓ પર બોલી લગાવતા આવશે નજર, ઓક્શનમાં ટીમ માલિકો સાથે રહેશે હાજર!

આ પણ વાંચોઃ PSL 2022: શાહિદ આફ્રિદીની રેકોર્ડ બ્રેક ધોલાઇ, ચોગ્ગા અને છગ્ગા ‘ઉડવા’ લાગતા 4 ઓવરમાં 67 રન લુટાવ્યા

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">