AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL: શ્રીલંકા સામેની સિરીઝ પહેલા ટીમ ઇન્ડિયા મેનેજર પદે BCCI એ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના ધવલ શાહ ને નિયુક્ત કર્યા

શ્રીલંકાનો ભારત પ્રવાસ (Sri Lanka Tour Of India) 24 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહ્યો છે. આ પ્રવાસમાં તેણે T20 અને ટેસ્ટ મેચોની શ્રેણી રમવાની છે.

IND vs SL: શ્રીલંકા સામેની સિરીઝ પહેલા ટીમ ઇન્ડિયા મેનેજર પદે BCCI એ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના ધવલ શાહ ને નિયુક્ત કર્યા
સૌરાષ્ટ્રના જયદેવ શાહ વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીમાં ભારતીય ટીમના મેનેજર હતા.
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 22, 2022 | 9:34 AM
Share

શ્રીલંકાનો ભારત પ્રવાસ (Sri Lanka Tour Of India) 24 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહ્યો છે. પરંતુ તે પહેલા ભારતીય ટીમ મેનેજમેન્ટ (Indian Team Management) માં ફેરબદલ કરવામાં આવ્યો છે. BCCIએ ભારતીય ટીમના મેનેજર (Team India’s Manager) ને બદલ્યા છે. BCCIએ ભારતીય ટીમના મેનેજરને બદલ્યા છે. મીડિયા અહેવાલ મુજબ બોર્ડે ગિરીશ ડોંગેરેનો કાર્યકાળ વધાર્યો નથી. ડોંગર છેલ્લા બે વર્ષથી ભારતીય ટીમના મેનેજર હતા. પરંતુ, BCCI એ તેમના કરારને લંબાવ્યો ન હતો. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જયદેવ શાહ વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીમાં ભારતીય ટીમના મેનેજર હતા. પરંતુ, વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણી પૂરી થતાં જ તેનો કાર્યકાળ પણ સમાપ્ત થઈ ગયો. શ્રીલંકા સામેની શ્રેણીમાં હવે ગુજરાત ક્રિકેટ એસોસિએશન સાથે સંકળાયેલા ધવલ શાહ ટીમ ઈન્ડિયાના નવા મેનેજર હશે.

રિપોર્ટ અનુસાર, BCCI મેનેજરના પદ પર નિમણૂક હવે જૂની પેટર્નને અનુસરીને શ્રેણી દર શ્રેણી કરી શકે છે. સાથે જ બોર્ડ હવે વરિષ્ઠ ટીમના કાયમી મેનેજરની નિમણૂકને ખતમ કરી શકે છે. જીસીએના ધવલ શાહ હાલમાં શ્રીલંકા સાથેની શ્રેણી માટે મેનેજર તરીકે રહેશે. તેઓ આ પદ પર જયદેવ શાહનું સ્થાન લેશે.

દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણી બાદ ડોંગરે મેનેજર નથી

એવું માનવામાં આવે છે કે ભારતીય ટીમ સાથે ગિરીશ ડોંગરેનો કાર્યકાળ ગયા વર્ષના T20 વર્લ્ડ ટેક્સ સુધીનો હતો. તેમની નિમણૂક BCCIની જૂની કમિટી ઑફ એડમિનિસ્ટ્રેટર્સ દ્વારા કરવામાં આવી હતી. T20 વર્લ્ડ કપ બાદ તેનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો અને તેને દક્ષિણ આફ્રિકા મોકલવામાં આવ્યા. જ્યારે તે પ્રવાસ જાન્યુઆરીમાં સમાપ્ત થયો, ત્યારથી તે ટીમ ઈન્ડિયાના મેનેજર પદ પર રહ્યા નહોતા.

વર્ષ 2019 માં, સુનીલ સબ્રહ્મણ્યમની જગ્યાએ ડોંગરે ટીમ ઇન્ડિયાના મેનેજર બન્યા હતા, જેમને ઇંગ્લેન્ડમાં ઘણા ભારતીય ખેલાડીઓ કોરોના પોઝિટિવ આવ્યા બાદ પદ પરથી હટાવવામાં આવ્યા હતા.

ભારતનો શ્રીલંકા પ્રવાસ

ભારત અને શ્રીલંકા વચ્ચે 3 T20 અને 2 ટેસ્ટ મેચોની શ્રેણી રમાવાની છે. પ્રથમ T20 શ્રેણી રમાશે, જેની સામે મેચ લખનૌ અને ધર્મશાળામાં રમાશે. પ્રથમ T20 24 ફેબ્રુઆરીએ લખનૌમાં રમાશે. જ્યારે બીજી અને ત્રીજી T20 26 અને 27 ફેબ્રુઆરીએ ધર્મશાળામાં રમાશે. આ પછી બંને ટીમો વચ્ચે ટેસ્ટ સિરીઝ શરૂ થશે. પ્રથમ ટેસ્ટ 4-8 માર્ચ વચ્ચે મોહાલીમાં રમાશે, જે વિરાટ કોહલીની 100મી ટેસ્ટ પણ હશે. તે જ સમયે, બીજી ટેસ્ટ બેંગલુરુમાં 12-16 માર્ચ વચ્ચે ડે-નાઈટ રમાશે.

આ પણ વાંચોઃ IND vs SL: ભારત અને શ્રીલંકા વચ્ચેની T20 ટક્કરમાં 200 રનનો આંકડો વાત વાતમાં પાર થઇ જાય છે, જાણો અત્યાર સુધીના 5 સૌથી મોટા સ્કોર

આ પણ વાંચોઃ PAK vs AUS: પાકિસ્તાન પ્રવાસની વન ડે સિરીઝ અને T20 માટે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમમાંથી સ્ટાર ખેલાડીઓ ગાયબ, IPL ની દેખાઇ અસર!

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">