AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA: રાહુલ દ્રવિડના માટે દક્ષિણ આફ્રિકા પ્રવાસ દરમ્યાન આ છે સૌથી મોટો પડકાર, મેદાન બહારની સમસ્યા ઉકેલવા મથશે

ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ શ્રેણી અને વનડે શ્રેણી રમવાની છે. ટીમ ઈન્ડિયા (Team India) સાઉથ આફ્રિકામાં આજ સુધી ટેસ્ટ સિરીઝ જીતી શકી નથી, જે પોતાનામાં એક પડકાર છે, પરંતુ આનાથી પણ મોટો પડકાર છે.

IND vs SA: રાહુલ દ્રવિડના માટે દક્ષિણ આફ્રિકા પ્રવાસ દરમ્યાન આ છે સૌથી મોટો પડકાર, મેદાન બહારની સમસ્યા ઉકેલવા મથશે
Rahul Dravid-Virat Kohli
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 12, 2021 | 8:44 AM
Share

ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) આગામી થોડા દિવસોમાં દક્ષિણ આફ્રિકા (South Africa) જવા રવાના થશે, જ્યાં 26 ડિસેમ્બરથી બંને ટીમો વચ્ચે ટેસ્ટ શ્રેણી શરૂ થશે. આ પ્રવાસમાં ટેસ્ટ મેચો બાદ વનડે શ્રેણી પણ રમાશે. ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકામાં આજ સુધી એકપણ ટેસ્ટ શ્રેણી જીતી શકી નથી અને આવી સ્થિતિમાં તેની પાસે પ્રથમ વખત આ સફળતા મેળવવાની તક છે. જો કે, દક્ષિણ આફ્રિકાના આ મજબૂત બોલિંગ આક્રમણ અને ભારતીય મિડલ ઓર્ડરના ખરાબ ફોર્મને જોતા, આ એક મોટો પડકાર છે.

ટીમ ઈન્ડિયાના નવા કોચ રાહુલ દ્રવિડ (Rahul Dravid) શક્ય તેટલી વહેલી તકે ઉકેલ શોધવા માંગે છે. પરંતુ જો પૂર્વ ભારતીય ક્રિકેટર સબા કરીમ (Saba Karim) ની વાત માનવામાં આવે તો દ્રવિડ સામે આનાથી પણ મોટો પડકાર છે, જે મેદાનની બહાર છે.

ટીમ ઈન્ડિયામાં નેતૃત્વમાં પરિવર્તન આવ્યું છે. BCCIએ વિરાટ કોહલી પાસેથી ODI ટીમની કપ્તાની છીનવીને રોહિત શર્મા (Rohit Sharma) ને આપી દીધી છે અને રોહિતને ટેસ્ટ ટીમનો ઉપ-કેપ્ટન પણ બનાવ્યો છે. આને લઈને ઘણો વિવાદ પણ વર્તાઇ રહ્યો છે અને સબા કરીમનું માનવું છે કે દક્ષિણ આફ્રિકામાં દ્રવિડ સામે સૌથી મોટો પડકાર ડ્રેસિંગ રૂમનું સંચાલન કરવાનો છે. પોડકાસ્ટમાં વાત કરતા સબા કરીમે આ મુદ્દે કહ્યું, રાહુલ દ્રવિડ માટે આ સૌથી મોટો પડકાર છે. તે પણ વિચારતા હશે કે ‘હું હમણાં જ ટીમમાં જોડાયો છું અને આ બધું થવા લાગ્યું’.

કોહલીને સમજાવશે દ્રવિડ

જોકે, ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપરે આશા વ્યક્ત કરી હતી કે દ્રવિડ તેના અનુભવ અને પરિપક્વતાના બળ પર તેને સંભાળશે. સબાના મતે દ્રવિડે વિરાટ કોહલી સાથે વાત કરવી પડશે. ભૂતપૂર્વ ભારતીય ટેસ્ટ ક્રિકેટરે કહ્યું, આ પદ પર તમારે આવી બાબતોનું ધ્યાન રાખવું પડશે. દ્રવિડ જે પ્રકારનો અનુભવ અને પરિપક્વતા ધરાવે છે અને તે જે રીતે વાતચીત કરે છે, મને ખાતરી છે કે તે વિરાટ કોહલી સાથે વાત કરી રહ્યો હશે અને તેને સમજાવતો હશે કે જે બન્યું તે ભૂલી જાઓ અને હવે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર ધ્યાન કેન્દ્રિત કરો. રાહુલ દ્રવિડ માટે આ મોટો પડકાર રહેનારો છે.

કોહલીને હટાવવાને લઇ ગાંગુલીએ શું કહ્યું?

કોહલીએ T20 વર્લ્ડ કપ પહેલા કેપ્ટનશિપ છોડવાની જાહેરાત કરી હતી, પરંતુ વનડે અને ટેસ્ટમાં કેપ્ટનશિપ ચાલુ રાખવાની વાત કરી હતી. જોકે, BCCIએ તેની આશા પર પાણી ફેરવી દીધુ હતું. BCCIએ 8 ડિસેમ્બરે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે ટેસ્ટ ટીમની જાહેરાત કરી હતી અને તેની સાથે પ્રેસ રિલીઝમાં એ પણ કહેવામાં આવ્યું હતું કે હવે રોહિત શર્મા ODI અને T20 ટીમનો કેપ્ટન રહેશે.

તેમની પ્રેસ રિલીઝમાં બોર્ડે કેપ્ટનશીપમાં ફેરફારનું કોઈ કારણ જણાવ્યું નથી. જો કે, એક દિવસ પછી, BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીએ કહ્યું કે મર્યાદિત ઓવરના ક્રિકેટમાં બે અલગ-અલગ કેપ્ટન રાખવાનું તાર્કિક નથી અને તેથી આ ફેરફાર કરવામાં આવ્યો છે.

બરતરફી પર અલગ દાવાઓ

આ દરમિયાન કોહલીને હટાવવાને લગતા અલગ-અલગ અહેવાલો પણ સામે આવ્યા છે, જેમાં વિરોધાભાસી બાબતો બહાર આવી રહી છે. કેટલાક અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે બોર્ડે કોહલીને રાજીનામું આપવા કહ્યું હતું, પરંતુ કોહલીએ ના પાડી દીધી હતી અને ત્યારબાદ બોર્ડે તેને હટાવવાનો નિર્ણય લીધો હતો. તે જ સમયે, કેટલાક અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે કોહલી સાથે કેપ્ટનશિપને લઈને કોઈ વાત થઈ નથી. 8 ડિસેમ્બરે ટીમ સિલેક્શન મીટિંગમાંથી કોહલીની વિદાય બાદ ફરી એક મીટિંગ થઈ હતી, જેમાં કોહલીને જાણ કર્યા વિના હટાવી દેવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ Vijay Hazare Trophy 2021: સૌરાષ્ટ્રનો લાગલગાટ ત્રીજો શાનદાર વિજય, હૈદરાબાદ સામે 7 જીત, હાર્વિક દેસાઇની અણનમ સદી, પ્રેરક માંકડની 4 વિકેટ

આ પણ વાંચોઃ  Vijay Hazare 2021: બરોડાનો પુંડુચેરી સામે 5 વિકેટે જબરદસ્ત વિજય, ધ્રુવ પટેલની વિક્રમી કજૂંસાઇ ભરી બોલીંગથી 82 રન પર હરીફ ટીમ સમેટાઇ ગઇ

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">