AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ: વિરાટ કોહલીએ દશ વર્ષ પહેલા કરેલુ ટ્વિટ ખૂબ Viral થવા લાગ્યુ, અંપાયરની ભૂલ થી મુંબઇમાં ગુમાવી હતી વિકેટ!

ભારતીય ટીમ (Team India) ના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ મુંબઇ ટેસ્ટ દરમ્યાન શૂન્ય રન કરીને વિકેટ ગુમાવી હતી. જેના આઉટ થવાને લઇને મામલો વિવાદે પણ ખૂબ ચગ્યો હતો.

IND vs NZ: વિરાટ કોહલીએ દશ વર્ષ પહેલા કરેલુ ટ્વિટ ખૂબ Viral થવા લાગ્યુ, અંપાયરની ભૂલ થી મુંબઇમાં ગુમાવી હતી વિકેટ!
Virat Kohli
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 04, 2021 | 10:13 AM
Share

ભારત અને ન્યુઝીલેન્ડ (India Vs New Zealand) વચ્ચે હાલમાં ટેસ્ટ સિરીઝ રમાઇ રહી છે. જેની બીજી અને અંતિમ ટેસ્ટ મેચ મુંબઇ (Mumbai Test) માં રમાઇ રહી છે. પહેલી ટેસ્ટ મેચમાં અજીંક્ય રહાણે (Ajinkya Rahane) એ ભારતીય ટીમ (Team India) ની કેપ્ટનશિપ સંભાળી હતી. બીજી ટેસ્ટ દરમ્યાન નિયમીત કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) આરામ થી પરત આવતા આગેવાની સંભાળી લીધી હતી. પરંતુ તેને મુંબઇ ટેસ્ટ રમવા દરમ્યાન નિરાશા સાંપડી હતી. તેને એજાઝ પટેલ (Ajaz Patel) ના બોલને ડિફેન્સિવ રમવા દરમ્યાન અંપાયર દ્વારા આઉટ આપવામાં આવ્યો હતો. જેને લઇ વિવાદ પણ ખૂબ સર્જાયો છે. હવે આ મામલામાં વિરાટ કોહલીનુ એક દશક જુનુ ટ્વિટ વાયરલ થવા લાગ્યુ છે.

ટીમ ઇન્ડિયા માટે પ્રથમ દિવસ મુશ્કેલ રહ્યો હતો. ભારતીય ટીમે એક બાદ એક 3 વિકેટ 80 રનના સ્કોર પર જ ગુમાવી દીધી હતી. એજાઝ પટેલ ભારતીય માટે પ્રથમ દિવસે જ આફત બનીને ઉતર્યો હતો. ભારતીય ટીમની મુશ્કેલીઓ વધારનારો એ વિરાટ કોહલીને આઉટ આપવાનો આ વિવાદાસ્પદ નિર્ણય પણ જવાબદાર હતો. જેમાં કોહલીને જે રીતે આઉટ અપાયો તેને લઇને સવાલો ઉઠ્યા હતા. પરંતુ હવે એક દશક જુનુ ટ્વિટ વાયરલ થવા લાગ્યુ છે. જેમાં તેણે એક ભૂલો વિશે લખ્યુ હતુ. જે હવે સોશિયલ મીડિયા પર ચાહકો ખૂબ વાયલ કરી રહ્યા છે.

વર્ષ 2011 ના 6 ડિસેમ્બરે વિરાટ કોહલીએ આ ટ્વિટ કર્યુ હતુ. જેમાં તેણે લખ્યુ હતુ કે, ભૂલો તો સૌથી થતી રહે છે. મેં પણ કાલે એક ભૂલ કરી હતી. તમે માત્ર તેનાથી શિખી શકો છો અને આગળ વધી શકો છો.

આ રીતે થયો આઉટ

ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટીંગ ઇનીંગ પસંદ કરી હતી. ભારતીય ટીમની બેટીંગ ઇનીંગની 30મી ઓવરમાં વિરાટ કોહલી એજાઝ પટેલના બોલ પર આઉટ થયો થયો હતો. પટેલના બોલને કોહલીએ આગળ આવીને ડિફેન્સીવ સ્ટ્રોક રમવા માટે પ્રયાસ કર્યો હતો. જે બોલ તેના પગે અથડાયો હતો અને અપિલ થતા જ ફિલ્ડ અંપાયરે આઉટ આપ્યો હતો. તેના બાદ કોહલીએ તુરત જ રિવ્યુ લેવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ રિપ્લેમાં એ વાત જાણે અસ્પષ્ટ લાગી રહ્યુ હતુ કે, બોલ બેટ પર વાગ્યો અને પેડ પર અથડાયો છે કે કેમ. જેને લઇને ટીવી અંપાયરે નિયમોનુસાર ફીલ્ડ અંપાયર સાથે સહમતી દર્શાવી હતી. એટલે કે કોહલીને આઉટ આપ્યો હતો.

કોહલી અંપાયરો દ્વારા જાહેર કરેલા નિર્ણયને પગલે નિરાશ થઇ ગયો હતો. સાથે જ તેની નિરાશા તેના સ્વભાવ મુજબ મેદાન પર દર્શાવવાની ચુક્યો નહોતો. મેદાન ને છોડવા દરમ્યાન કોહલીએ ગુસ્સામાં પોતાના બેટને જોરથી બાઉન્ડરી લાઇન પર માર્યુ હતુ. તેણે અંપાયર નિતીન મેનન સાથે વાતચીત મેદાન છોડતા પહેલા કરી હતી. કોહલી અને રાહુલ દ્રાવિડ પણ આ મામલે ડ્રેસિંગ રુમમાં વાતચીત કરતા નજર આવ્યા હતા.

આ પણ વાંચોઃ IND vs NZ: ચેતેશ્વર પૂજારાએ ‘શૂન્ય’ પર આઉટ થવાને લઇને નોંધાવ્યો નાપસંદ રેકોર્ડ, 40 ઇનીંગથી શતક લગાવી શક્યો નથી

આ પણ વાંચોઃ IND vs NZ: મયંક અગ્રવાલે બેટને ‘ઉંચુ-નિચુ’ કરવાની સલાહને માની અને કિસ્મત બદલાઇ ગઇ, દિગ્ગજે કહેલી ટેકનિકે સફળતા અપાવી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">