AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ: હર્ષલ પટેલે વાહ વાહી પહેલા કર્યો છે આકરો સંઘર્ષ, રણજી થી લઇને IPL સુધી અપમાનના ઘૂંટડા પીધાં છે, જાણો સફરની કહાની

હર્ષલ પટેલ (Harshal Patel) ને તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચમાં જ મેન ઓફ ધ મેચ મળ્યો હતો. રાંચી T20માં ન્યુઝીલેન્ડ સામે 2 વિકેટ.

IND vs NZ: હર્ષલ પટેલે વાહ વાહી પહેલા કર્યો છે આકરો સંઘર્ષ, રણજી થી લઇને IPL સુધી અપમાનના ઘૂંટડા પીધાં છે, જાણો સફરની કહાની
Harshal Patel
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 20, 2021 | 9:58 AM
Share

લહેરોથી ડરીને નાવ પાર નથી પડતી, કોશિશ કરનારા હારતા નથી. ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર હર્ષલ પટેલ (Harshal Patel) પર આ શબ્દો એકદમ ફિટ બેસે છે. હર્ષલ પટેલે રાંચી T20માં ભારતીય ટીમ (Team India) માટે ડેબ્યુ કર્યું હતું અને પહેલી જ મેચમાં તેણે પોતાની જબરદસ્ત બોલિંગથી ચાહકોના દિલ જીતી લીધા હતા.

હર્ષલ પટેલે ન્યુઝીલેન્ડ (New Zealand) સામે 4 ઓવરમાં માત્ર 25 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. હર્ષલ પટેલને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. પટેલને ઝાકળમાં પણ ઉત્તમ નિયંત્રણ સાથે બોલિંગ કરી હતી. આ માટે તેને એવોર્ડ મળ્યો હતો.

રાંચી T20 પછી હર્ષલ પટેલનું નામ દરેક ફેન્સના મોં પર છે. લોકો ડેથ ઓવરોમાં તેની બોલિંગના વખાણ કરી રહ્યા છે. પરંતુ આ તાળીઓ પહેલા આ ફાસ્ટ બોલરે ગાળો પણ ખાધી છે. હર્ષલ પટેલે ભારતીય ટીમ સુધી પહોંચવા માટે ઘણો સંઘર્ષ કર્યો છે. પટેલે પોતાનું સપનું પૂરું કરવા પરિવાર સાથે હજારો કિલોમીટરનો પ્રવાસ કર્યો. દૂર રહ્યો. રણજી ટ્રોફી અને IPL દરમિયાન પણ તેને અપમાનની ચુસ્કી પીવી પડી હતી. પરંતુ આજે તે પોતાની મહેનતના દમ પર ટીમ ઈન્ડિયા માટે રમી રહ્યો છે.

હર્ષલ પટેલની કહાની

23 નવેમ્બર, 1990ના રોજ ગુજરાતમાં જન્મેલા હર્ષલ પટેલે 2008-09ની વિનુ માંકડ ટ્રોફીમાં 23 વિકેટ લઈને પોતાના નામની ચર્ચા જગાવી હતી. આ પછી, વર્ષ 2010 માં, તેણે ભારત માટે અંડર 19 વર્લ્ડ કપ રમ્યો. અંડર-19 વર્લ્ડ કપ બાદ તેને મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા IPL કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. પરંતુ અહીંથી હર્ષલ પટેલનો સંઘર્ષ શરૂ થયો હતો.

2009માં જ ગુજરાત માટે લિસ્ટ Aમાં ડેબ્યૂ કરનાર હર્ષલ પટેલને માત્ર બે વર્ષમાં જ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. હર્ષલ પટેલે 2011 માં ગુજરાત છોડીને હરિયાણા માટે રમવાનું નક્કી કર્યું, કારણ કે ગુજરાતના પસંદગીકારોએ તેને રણજી ટ્રોફી ટીમમાં સ્થાન ન આપ્યું. હર્ષલ આઉટસાઇડર તરીકે હરિયાણા આવ્યો હતો પરંતુ આજે તે આ ટીમનો કેપ્ટન છે.

IPL 2018ની હરાજી પછી બદલાયો હર્ષલ!

એવું કહેવાય છે કે દરેક ખેલાડીના જીવનમાં એવી ક્ષણ આવે છે, જેના પછી તેની કારકિર્દી સંપૂર્ણપણે બદલાઈ જાય છે. આઈપીએલ 2018ની હરાજી દરમિયાન હર્ષલ પટેલ સાથે કંઈક આવું જ થયું હતું. હરાજી દરમિયાન કોઈપણ ટીમે હર્ષલ પટેલ પર દાવ લગાવ્યો ન હતો પરંતુ અંતે દિલ્હી કેપિટલ્સે તેને 20 લાખની મૂળ કિંમતે ખરીદ્યો હતો. હર્ષલ પટેલને આ વાત અપમાનની લાગી અને તેણે મહેનત શરૂ કરી.

જો કે, 2018ની સીઝન હર્ષલ પટેલ માટે ઘણી નિરાશાજનક રહી. પટેલ 5 મેચમાં 7 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો, પરંતુ તેનો ઈકોનોમી રેટ 9.54 હતો. વર્ષ 2019માં પણ હર્ષલ પટેલ માત્ર 2 મેચ રમીને બહાર થયો હતો. 2020માં, હર્ષલ 5 મેચમાં માત્ર 3 વિકેટ લઈ શક્યો અને દિલ્હી કેપિટલ્સે તેને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાં ટ્રાન્સફર કર્યો.

હર્ષલ પટેલે રણજી ટ્રોફી 2020 સીઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે માત્ર 9 મેચમાં 52 વિકેટ લઈને સનસનાટી મચાવી દીધી હતી. તે ફર્સ્ટ ક્લાસ સિઝનમાં હરિયાણા માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો હતો. આ પછી, IPL 2021 શરૂ થતાં જ બેંગ્લોરે હર્ષલ પટેલને રમવાની તક આપી.

હર્ષલ પટેલે પહેલી જ મેચમાં પાંચ વિકેટ ઝડપી હતી અને તે મુંબઈ ઈન્ડિયન્સ સામેની ઈનિંગમાં પાંચ વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો હતો. IPL 2021 હર્ષલ પટેલ માટે માઈલસ્ટોન સાબિત થયું. આ ફાસ્ટ બોલરે 32 વિકેટ લઈને પર્પલ કેપ જીતી હતી અને તેને ન્યૂઝીલેન્ડ સામેની બીજી T20માં ડેબ્યૂ કરવાની તક પણ મળી હતી.

હર્ષલ પટેલ પરિવારથી અલગ છે

તમને જણાવી દઈએ કે હર્ષલ પટેલ ક્રિકેટના કારણે પોતાના પરિવારથી અલગ રહે છે. હર્ષલ પટેલનો પરિવાર વર્ષ 2005માં અમેરિકા શિફ્ટ થયો હતો, પરંતુ આ ખેલાડી પોતાનું સપનું પૂરું કરવા ભારતમાં જ રહ્યો હતો. હર્ષલ પટેલે 30 વર્ષની ઉંમરે ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવી લીધી છે. તેણે અહીં સુધી પહોંચવા માટે ઘણી લાંબી મજલ કાપી છે. પરંતુ આ ખેલાડીએ આખરે તેની મહેનતના આધારે એક મોટું સ્થાન હાંસલ કર્યું છે.

આ પણ વાંચોઃ IND vs NZ: ભુવનેશ્વર કુમાર પર એટેક કરવા જતા ન્યુઝીલેન્ડના જીમી નીશમે તોડ્યુ બેટ, જુઓ VIDEO

આ પણ વાંચોઃ Ban vs Pak: શોએબ અખ્તર રહી ગયો દંગ, 200 પ્રતિ કિમીથી વધારે ઝડપનો વિશ્વવિક્રમી બોલ જોવા મળ્યો!

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">