AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND VS NZ: અજીંક્ય રહાણે અને ચેતેશ્વર પુજારા માટે ચિંતાઓ વધી ગઇ, દક્ષિણ આફ્રિકા પ્રવાસ ટીમ સિલેકશન પહેલા બેટ શાંત રહ્યુ

India vs New Zealand, 1st Test: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે કાનપુરમાં પ્રથમ ટેસ્ટમાં રહાણે અને પુજારાનું બેટ પ્રથમ દાવમાં શાંત રહ્યું હતું. જ્યારે નવા સવા ખેલાડીઓએ અર્ધશતક ભરી શાનદાર રમત દર્શાવી છે.

IND VS NZ: અજીંક્ય રહાણે અને ચેતેશ્વર પુજારા માટે ચિંતાઓ વધી ગઇ, દક્ષિણ આફ્રિકા પ્રવાસ ટીમ સિલેકશન પહેલા બેટ શાંત રહ્યુ
Ajinkya Rahane-Cheteshwar Pujara
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 26, 2021 | 7:06 AM
Share

ન્યુઝીલેન્ડ (New Zealand) માં ફ્લોપ, ઈંગ્લેન્ડ સામેની હોમ સિરીઝમાં ફ્લોપ, ઈંગ્લેન્ડની ધરતી પર પણ ફ્લોપ. અજિંક્ય રહાણે (Ajinkya Rahane) ની બેટિંગને લઈને ફ્લોપ શબ્દ સતત સંભળાઈ રહ્યો છે. કાનપુર ટેસ્ટ (Kanpur Test) માં પણ અજિંક્ય રહાણે ફ્લોપ રહ્યો છે. સારી શરૂઆત મળી પરંતુ તેની રમત 35 રન પર સમાપ્ત થઈ ગઈ. એવું માનવામાં આવે છે કે અજિંક્ય રહાણે માટે ફરી એકવાર નિષ્ફળ જવાથી સમય નિકળતો જઇ રહ્યો છે.રહાણે આ વખતે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની જેટલુ ખતરનાક આક્રમણ ઘરેલુ પરિસ્થિતીમાં ન હોવા છતાં સારો દેખાવ કરી શક્યો નથી. માત્ર રહાણે માટે જ નહીં પરંતુ ચેતેશ્વર પુજારા માટે પણ મુશ્કેલીઓ વધી છે.

પુજારા અને રહાણે બંને કાનપુરમાં ન્યુઝીલેન્ડ સામેની શરૂઆતની ટેસ્ટમાં સારી શરૂઆતનો લાભ ઉઠાવી શક્યા ન હતા. જ્યારે નવોદિત શ્રેયસ અય્યર અને શુભમન ગીલે અડધી સદી ફટકારી હતી. બંન્ને એક એવા એટેક સામે વહેલા આઉટ થઈ ગયા, જેમાં પ્રતિભાશાળી ટ્રેન્ટ બોલ્ટનો સમાવેશ થતો ન હતો. જેની સવારના ભેજ પર ઈનસ્વિંગ બેટ્સમેનોને રમવાનું મુશ્કેલ બનાવે છે. ટેસ્ટ મેચમાં અય્યરનું શાનદાર પદાર્પણ અને ઓપનર તરીકે ગીલના રન આ ટેસ્ટ મેચમાં કેપ્ટન (રહાણે) અને વાઇસ-કેપ્ટન (પુજારા) માટે ચોક્કસપણે ખતરાની ઘંટડી વગાડશે.

શું રહાણે-પુજારાને સાઉથ આફ્રિકા પ્રવાસમાં સ્થાન મળશે?

સાઉથ આફ્રિકા સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત પણ થોડા દિવસોમાં કરવામાં આવશે. જો આ બે અનુભવી ખેલાડીઓ જોહાનિસબર્ગ જવા માટે પસંદ કરવામાં આવે છે, તો કેપ્ટન વિરાટ કોહલી, હેડ રાહુલ દ્રવિડે તેમને પૂર્ણ સિરીઝમાં તક આપવા માટે ઘણો આત્મવિશ્વાસ બતાવવો પડશે. મોટી વાત એ છે કે હવે રહાણે અને પુજારાનો વિકલ્પ પણ દેખાઈ રહ્યો છે.

મિડલ ઓર્ડરમાં શુભમન ગીલને રમાડવાની ચર્ચા ચાલી રહી છે અને હવે શ્રેયસ અય્યર પણ ટેસ્ટ પ્લેઈંગ ઈલેવનમાં આવી ગયો છે. જો કેએલ રાહુલ ઇજાગ્રસ્ત ન થયો હોત તો કાનપુરમાં શુભમન ગિલ મિડલ ઓર્ડરમાં જોવા મળ્યો હોત. દક્ષિણ આફ્રિકામાં શુભમન ગીલને માત્ર મિડલ ઓર્ડરમાં જ તક આપવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે પાંચમાં નંબર પર બેટિંગ કરી રહેલી વેસ્ટ ઈન્ડિઝની A ટીમ માટે વિદેશી ધરતી પર ગિલનો સર્વશ્રેષ્ઠ ફર્સ્ટ ક્લાસ સ્કોર 204 છે.

અય્યરે પણ પોતાની ડેબ્યૂ ઇનિંગથી ઘણો આત્મવિશ્વાસ આપ્યો છે. જો તે કાનપુરમાં સદી ફટકારે છે તો પસંદગીકારો ચોક્કસપણે તેને દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર પસંદ કરશે. ત્યારે સવાલ એ થાય છે કે કોનું પત્તુ કપાશે?

આ પણ વાંચોઃ Abu Dhabi T10: અબૂધાબી T10 લીગમાં 11 બોલમાં 54 રન ફટકારી દીધા, દિલ્હી બુલ્સના અફઘાની બેટ્સમેને મચાવી દીધી ધમાલ

આ પણ વાંચોઃ અમદાવાદનો પોલીસ જવાન અમદાવાદમાં બનાવટી દારુ સપ્લાય કરતો હતો, ઘરમાં જ દારુનો ‘ગૃહ ઉધોગ’ ખોલી શરુ કર્યો નકલી દારુનો ધંધો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">