IND VS NZ, 1st T20I: ભારત vs ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ મેચમાં ઝાકળની ઝંઝટ, જયપુરમાં દુબઇ જેવુ નહી થવાની આશા

India vs New Zealand: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 17 નવેમ્બરથી ત્રણ મેચની T20 સીરીઝ શરૂ થઈ રહી છે. પ્રથમ મેચ જયપુરમાં રમાશે, જ્યાં ઝાકળ મેચમાં મોટી ભૂમિકા ભજવી શકે છે.

IND VS NZ, 1st T20I: ભારત vs ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ મેચમાં ઝાકળની ઝંઝટ, જયપુરમાં દુબઇ જેવુ નહી થવાની આશા
Jaipur Cricket Stadium
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 16, 2021 | 8:57 AM

T20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup 2021) માં ભારતીય ટીમ (Team India) સુપર-12 રાઉન્ડમાંથી જ બહાર થઈ ગઈ હતી, જેનું મુખ્ય કારણ પ્રથમ બે મેચમાં હાર છે. ટીમ ઈન્ડિયાને પણ આ હાર એટલા માટે મળી કારણ કે તે ટોસ હારી ગઈ હતી અને બાદમાં બેટિંગ કરી રહેલી ટીમને ડ્યૂનો ફાયદો મળ્યો. હવે ન્યૂઝીલેન્ડ (New Zealand) ભારતીય ટીમની સામે છે અને ઝાકળની અસર ત્રણ મેચની T20 શ્રેણીમાં પણ જોવા મળી શકે છે. પ્રથમ મેચ 17 નવેમ્બરથી જયપુરમાં છે, જ્યાં સાંજથી ડ્યુ થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં આ મેચમાં પણ જીત કે હારનો નિર્ણય થશે? આ પ્રશ્ન વિશાળ છે.

જોકે, રાજસ્થાન ક્રિકેટ એસોસિએશન (RCA) નું કહેવું છે કે જયપુરમાં ટોસ જીતવા કે હારવાથી બહુ ફરક નહીં પડે. કારણ કે અહીં સાંજે 7 વાગ્યાથી ઝાકળ પડવાનું શરૂ થઈ જાય છે. ભારત-ન્યૂઝીલેન્ડ મેચ પણ એ જ સમયે શરૂ થશે, જેમાં બંને ટીમોને ઝાકળનો સમાન લાભ મળશે.

જયપુરમાં ટોસ જીતવાનો કોઈ ફાયદો નથી!

યુએઈમાં તાજેતરમાં સમાપ્ત થયેલા T20 વર્લ્ડ કપમાં ડ્યૂએ મોટી ભૂમિકા ભજવી હતી જ્યાં ટીમોએ વધુ સારી બેટિંગ સ્થિતિમાં લક્ષ્યનો પીછો કરવાનું પસંદ કર્યું હતું. એક અધિકારીએ કહ્યું, છેલ્લા બે દિવસની સ્થિતિને જોતા, અહીં જયપુરમાં, પ્રથમ દાવમાં જ ઝાકળ પડી શકે છે, જે ટોસ જીતીને મળનારા લાભને ઘણી હદ સુધી ઘટાડે છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ ટી20 મેચ છે તેથી આ વિકેટ પર ઘણા રન બનવાની આશા રાખી શકાય છે. તેમણે કહ્યું, ‘અમે મેચના દિવસે ઝાકળ વિરોધી સ્પ્રેનો ઉપયોગ કરીશું પરંતુ અમે બધાએ જોયું છે કે તેની અસર ખૂબ જ મર્યાદિત રહે છે.’

2013માં અહીં રમાયેલી છેલ્લી ODI મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાનો 359 રનનો ટાર્ગેટ માત્ર 43.3 ઓવરમાં મેળવી લીધો હતો. આ મેચમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી બંનેએ સદી ફટકારી હતી. રાજસ્થાન ક્રિકેટમાં વહીવટી સંકટના કારણે જયપુરને છેલ્લા લગભગ એક દાયકામાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટની યજમાની કરવાની તક મળી નથી.

સ્ટેડિયમ ખીચોખીચ રહેવાની આશા

જયપુર ફેબ્રુઆરીમાં વન-ડે ઈન્ટરનેશનલ મેચની પણ યજમાની કરશે. દર્શકોની સંખ્યા પર કોઈ મર્યાદા નથી અને આવી સ્થિતિમાં 25,000 પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતું સ્ટેડિયમ ખીચોખીચ ભરાઈ જવાની આશા છે. RCA ના સચિવ મહેન્દ્ર વર્માએ જણાવ્યું હતું કે ગયા અઠવાડિયે ઓનલાઈન વેચાણ માટે મૂકવામાં આવ્યા બાદ પ્રથમ ત્રણ કલાકમાં લગભગ આઠ હજાર ટિકિટો વેચાઈ હતી. વર્માને મેચના પાસ માટે ઘણી વિનંતીઓ મળી રહી છે અને તેમને લાગે છે કે તેને પૂર્ણ કરવું અશક્ય છે.

આ પણ વાંચોઃ IND vs NZ: ભારત vs ન્યુઝીલેન્ડ T20 મેચની ટિકિટો ખરીદવા રાંચીમાં ક્રિકેટ ચાહકોની પડાપડી, 12 કલાક લાઇનમાં ઉભા રહેવુ પડ્યુ

આ પણ વાંચોઃ IND vs NZ: ન્યુઝીલેન્ડ સામે રમાનારી T20 મેચના સ્થળે પહોંચ્યો એમએસ ધોની, વાયરલ થવા લાગ્યો માહિ નો Video

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">