ન્યુઝીલેન્ડ સામે ટી20 સીરીઝ જીત્યા બાદ ભારતીય ટીમની નજર હવે વનડે સીરીઝ પર છે. સીરીઝની પ્રથમ મેચ શુક્રવારે ઓકલેન્ડમાં રમાવાની છે. ભારતનો નિયમિત કેપ્ટન રોહિત શર્મા પણ આ શ્રેણી માટે ટીમનો ભાગ નથી અને વનડે શ્રેણી માટે શિખર ધવનને સુકાની સોંપવામાં આવી છે. ટી20 સિરીઝની જેમ આ સિરીઝમાં પણ યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે, જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમ પોતાની શ્રેષ્ઠ ઈલેવન સાથે મેદાનમાં ઉતરશે. કેપ્ટન રોહિત શર્મા, કરિશ્માઈ બેટ્સમેન વિરાટ કોહલી, ટીમ મેનેજમેન્ટના પ્રિય કેએલ રાહુલ, ઝડપી બોલર જસપ્રિત બુમરાહ અને વનડેમાં નંબર વન ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા આ શ્રેણીમાં નથી રમી રહ્યા.
વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતને 2020માં ન્યૂઝીલેન્ડના હાથે 0-3થી શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો અને ટીમ ભૂતકાળની આ હારને ભૂલીને નવેસરથી શરૂઆત કરવા માંગે છે. ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપની શરૂઆત થવામાં માત્ર 11 મહિના બાકી છે અને દરેકને શુક્રવારથી શરૂ થનારી શ્રેણીથી ભારતના મિડલ ઓર્ડર અને બોલિંગ આક્રમણ વિશે પ્રારંભિક ખ્યાલ આવશે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ વનડે સીરીઝની પ્રથમ મેચ 25 નવેમ્બર, શુક્રવારના રોજ રમાશે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ વનડે મેચ ઓકલેન્ડના ઈડન પાર્ક ખાતે રમાશે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ODI સવારે 7:00 વાગ્યે શરૂ થશે અને ટોસ સવારે 06:30 વાગ્યે થશે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ODIનું લાઈવ ટેલિકાસ્ટ દૂરદર્શન પર થશે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ODIનું લાઈવ સ્ટ્રીમિંગ એમેઝોન પ્રાઇમ પર જોઈ શકાશે.
પ્રથમ ODI – 25 નવેમ્બર – શુક્રવાર – પ્રથમ ODI – સવારે 7 વાગ્યે
બીજી ODI – 27 નવેમ્બર – રવિવાર – બીજી ODI – સવારે 7 વાગ્યે
ત્રીજી ODI – 30 નવેમ્બર – બુધવાર – ત્રીજી ODI – સવારે 7 વાગ્યે
Published On - 9:40 pm, Thu, 24 November 22